શોધખોળ કરો
SP અને BSP ‘જાતિ વિશેષ’નો વિકાસ કરે છે, બીજેપી કરશે UPનો વિકાસઃ અમિત શાહ

લખનઉ: ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, આઝાદીના 70 વર્ષમાંથી 60 વર્ષ દેશ પર શાસન કરનાર એક પરિવારની સરકાર ભારતની આઝાદી માટે બલિદાન આપનાર કરોડો શહીદોની આશાઓવાળો દેશ બનાવવામાં અસફળ રહી છે. અમિત શાહે લખનઉ કાકોરી વિસ્તારમાં ત્રિરંગા યાત્રાની શરૂઆતના અવસરે કહ્યું કે, જે લોકોએ આઝાદી માટે બલિદાન આપ્યું, તેમની ઈચ્છા હતી કે આ દેશ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થઈને વિશ્વમાં એક આગવી ઓળખ મેળવે અને દેશના ગરીબથી ગરીબ વ્યક્તિના ઘરમાં રોટી, વીજળી અને પાણી પહોંચે. અમિત શાહે કહ્યું, ઉત્તર પ્રદેશનો વિકાસ કર્યા વગર દેશનો વિકાસ નહીં થાય. તમે જણાવો, શું સપા અને બસપાની સરકારો રહેતા રાજ્યનો વિકાસ થઈ શકે છે, શું બુલંદશહેર અને જવાહરબાગ જેવી ઘટનાઓ રોકાઈ શકે છે, શું ઉદ્દયોગ લાગી શકાય છે, શું દરેક ખેતરમાં પાણી પહોંચાડી શકાય છે, શું ખેડૂતોને પડતી મુશ્કેલીઓ ઉપર સહાયતા મળી શકે છે, શું કાયદો-વ્યવસ્થા ઠીક થઈ શકે છે? હવે તમેજ નક્કી કરો, આ ખૂબ જ સારો માકો છે.
વધુ વાંચો























