શોધખોળ કરો

Punjab Politics: જલંધર લોકસભા બેઠક પર ભાજપે કરી મોટી જાહેરાત, શિરોમણી અકાલી દળમાંથી આવેલા આ નેતાને બનાવ્યા ઉમેદવાર

ભાજપે જલંધર લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે

Punjab News:  લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે ભાજપે જલંધર લોકસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે જલંધર લોકસભા સીટ પરથી સરદાર ઈન્દર ઈકબાલ સિંહ અટવાલને ટિકિટ આપી છે. અટવાલ રવિવારે જ શિરોમણી અકાલી દળ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમના ભાજપમાં જોડાવા સાથે જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ તેમને જલંધર લોકસભા સીટ પર ઉતારી શકે છે. જલંધર લોકસભા સીટ માટે પેટાચૂંટણી 10 મેના રોજ યોજાશે, જ્યારે મતગણતરી 13 મેના રોજ થશે.

અટવાલ લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકરના પુત્ર છે.

ઉલ્લેખનીય છે કે સરદાર ઈન્દર ઈકબાલ સિંહ અટવાલ લોકસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર ચરણજીત સિંહ અટવાલના પુત્ર છે. ચરણજીત સિંહ 2004 થી 2009 સુધી લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. ઈન્દર ઈકબાલ સિંહના પિતા ચરણજીત સિંહ પણ જલંધર લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. 2019માં યોજાયેલી આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના ચૌધરી સંતોખ સિંહ સામે 19 હજાર મતોથી હારી ગયા હતા.

અકાલી-બસપાએ પણ ઉમેદવારની જાહેરાત કરી

શિરોમણી અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધને પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. અકાલી દળે બંગાના ધારાસભ્ય ડૉ. સુખવિન્દર કુમાર સુખીને ઉમેદવાર બનાવ્યા છે. સુખી 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.

કરમજીત કૌર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડશે

જલંધર લોકસભા સીટ પર થનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે દિવંગત સાંસદ સંતોખ ચૌધરીની પત્ની કરમજીત કૌરને ટિકિટ આપી છે. જલંધર લોકસભા સીટ ભારત જોડો યાત્રા દરમિયાન જલંધરના કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીના અવસાનના કારણે ખાલી પડી હતી.

AAP તરફથી સુશીલ કુમાર રિંકુ ચૂંટણી મેદાનમાં છે

કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા ધારાસભ્ય સુશીલ કુમાર રિંકુને આમ આદમી પાર્ટીએ જલંધર લોકસભા સીટ માટે પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

Corona : મહારાષ્ટ્રમાં રીતસરનો કોરોના વિસ્ફોટ, 1000 કેસ ને 9ના મોતથી ફફડાટ

Corona Virus Cases in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો ખતરાની ઘંટડી સમાન છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 1000 થી વધુ કેસ નોંધાયા છે અને નવ લોકોના મોત થતા ફફડાટ વ્યાપી જવા પામ્ય છે. ગઈ કાલે મંગળવારે રાજ્યમાં 919 નવા કેસ નોંધાયા હતા. જ્યારે ગઈકાલે કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નોંધાયું હતું. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા વધીને 5421 થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિન મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના 1115 નવા કેસ નોંધાયા છે.

મુંબઈમાં સૌથી વધુ સક્રિય કેસ

હેલ્થ બુલેટિન અનુસાર, મુંબઈમાં સૌથી વધુ સક્રિય કેસ 1577 છે. તે જ સમયે, એક દિવસમાં 560 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનામાંથી રિકવરીનો દર એટલે કે રિકવરી રેટ 98.11 ટકા છે. થાણે જિલ્લો સક્રિય કેસોની દ્રષ્ટિએ રાજ્યમાં બીજા ક્રમે છે જ્યાં 953 સક્રિય કેસ છે. પાલઘરમાં 160 અને રાયગઢમાં 237 સક્રિય કેસ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
Embed widget