શોધખોળ કરો

BJPએ ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મારી બાજી, AAPના પક્ષમાં આવ્યા ફક્ત 11 મત

1996 પછી પહેલી વાર ભાજપને 18 મત, આપને 11 મત અને કોંગ્રેસને 7 મત મળ્યા હતા.  

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સૌરભ જોશી ચંડીગઢના નવા મેયર તરીકે ચૂંટાયા છે. ગયા વર્ષના વિવાદોમાંથી શીખીને વહીવટીતંત્રે પ્રિસાઇડિંગ ઓફિસર રમણીક સિંહ બેદીની દેખરેખ હેઠળ હાથ ઉઠાવીને મતદાન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. 1996 પછી પહેલી વાર ભાજપને 18 મત, આપને 11 મત અને કોંગ્રેસને 7 મત મળ્યા હતા.  મેયર, સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરના પદ માટે ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસ ખાતે મતદાન થયું. વિજય માટેનો જાદુઈ આંકડો 19 મત હતો. ત્રણેય પક્ષો (ભાજપ, કોંગ્રેસ અને આપ) એ ગઠબંધન બનાવવાને બદલે એકલા ચૂંટણી લડી હતી. 

જાહેર થયેલા પરિણામોમાં ભાજપના સૌરભ જોશીને 18 કાઉન્સિલર મત મળ્યા, જ્યારે આપના યોગેશ ઢીંગરાને 11 મત મળ્યા અને કોંગ્રેસના ગુરપ્રીત સિંહ ગબ્બીને 7 મત મળ્યા હતા. આમાં 6 કાઉન્સિલર મત અને સાંસદ મનીષ તિવારીનો એક મત સામેલ છે. બહુમતી માટે 19 મતોની જરૂર હોવા છતાં ત્રિકોમીય મુકાબલામાં સૌરવ જોશીને તેમના સૌથી વધુ મત (18) ના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

1996 પછી પહેલી વાર કાઉન્સિલરોએ મતપત્રનો ઉપયોગ કરવાને બદલે હાથ ઉંચા કરીને અને મૌખિક ઘોષણા કરીને મતદાન કર્યું હતું. મતદાન કર્યા પછી બધા કાઉન્સિલરોએ દસ્તાવેજો પર સહી પણ કરી હતી. કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી ગૃહમાં પહોંચ્યા અને મતદાન કર્યું. મતદાન પહેલાં તેમણે તેમના પક્ષના ઉમેદવારો સાથે મુલાકાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રિસાઇડિંગ ઓફિસર રમણીક સિંહે પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કર્યા, જેથી ગયા વખતની જેમ કોઈ ગોટાળો ન થાય.

સૌરભ પંજાબ ભાજપના રાજ્ય મીડિયા વડા વિનીત જોશીના ભાઈ છે. ભાજપના જસમનપ્રીત સિંહ ચંડીગઢના સિનિયર ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. મતદાન પહેલાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના મેયરના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી ન હતી. મતદાન પહેલાં પ્રિસાઇડિંગ ઓફિસરે ઉમેદવારોને પૂછ્યું કે શું તેઓ પોતાનું નામાંકન પાછું ખેંચવા માંગે છે પરંતુ કોઈ ઉમેદવારે તેમ કર્યું નહીં.

આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ મેયરની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા. મતદાન પહેલાં ભાજપ કાઉન્સિલરોની સંખ્યામાં આગળ હતો કારણ કે કોર્પોરેશનમાં તેના 18 કાઉન્સિલરો છે. કાઉન્સિલરો હોવા છતાં AAP અને કોંગ્રેસે પણ ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

ભાજપ સિવાય, AAP અને કોંગ્રેસ પાસે કેટલા કાઉન્સિલરો છે?

AAP 11 કાઉન્સિલરો સાથે બીજા સ્થાને છે, જ્યારે કોંગ્રેસ પાસે છ છે. વધુમાં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી પાસે પણ એક મત છે. ગૃહમાં કુલ 35 કાઉન્સિલરો છે અને ચંડીગઢના સાંસદે પણ એક મત આપ્યો છે, જેનાથી કુલ મત 36 થયો છે. બંને પક્ષો (AAP અને કોંગ્રેસ) હજુ પણ ભાજપને રોકવા માટે એકબીજાને સાથે આવવા માટે આગ્રહ કરી રહ્યા હતા. પરંતુ બંને પક્ષો તરફથી કોઈ ગઠબંધન અથવા સાથે ચૂંટણી લડવાની કોઈ શક્યતા નહોતી કારણ કે આ પક્ષોએ પહેલાથી જ આ શક્યતાને નકારી કાઢી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Weather Forecast: '15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
Goa Tour Package: ટ્રેનના ભાડામાં ફ્લાઇટથી ગોવા! 4-સ્ટાર હોટેલ, ફ્રી નાસ્તો-ડિનર સાથે IRCTCનું શાનદાર પેકેજ
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Embed widget