Green Hydrogen Mission: મોદી કેબિનેટે ગ્રીન હાઈડ્રોડન મિશનને આપી મંજૂરી, જાણો શું છે તેનો હેતુ
Modi Cabinet: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે આજે 19,744 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. તેના દ્વારા 6 લાખ નોકરીઓ આપવામાં આવશે.
![Green Hydrogen Mission: મોદી કેબિનેટે ગ્રીન હાઈડ્રોડન મિશનને આપી મંજૂરી, જાણો શું છે તેનો હેતુ Cabinet approves Green Hydrogen Mission 50 lakh tonnes green hydrogen will be produced per annum by 2030 Green Hydrogen Mission: મોદી કેબિનેટે ગ્રીન હાઈડ્રોડન મિશનને આપી મંજૂરી, જાણો શું છે તેનો હેતુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/04/33a650d1614d61c39c200848bddcbc241672826986183528_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Green Hydrogen Mission: PM મોદીના નેતૃત્વમાં બુધવાર (4 જાન્યુઆરી)ના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે તેમણે માહિતી આપી હતી કે ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ બનશે. દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 60-100 ગીગાવોટની ક્ષમતાનું ઈલેક્ટ્રોલાઈઝર તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગ્રીન હાઈડ્રોજનનું હબ વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Union Cabinet has given approval to National Green Hydrogen Mission. India will be the global hub for Green Hydrogen: Union Minister Anurag Thakur pic.twitter.com/k225BQGnWo
— ANI (@ANI) January 4, 2023
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે આજે 19,744 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ મિશનથી 8 લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે અને તેના દ્વારા 6 લાખ નોકરીઓ આપવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ માટે 382 મેગાવોટ સુન્ની ડેમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 2,614 કરોડનો ખર્ચ થશે. તે સતલજ નદી પર બનાવવામાં આવશે.
શેરબજારમાં ઉછાળો ધોવાયો
ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ ખાસ ન રહ્યો. આજે શેરબજાર 630થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું. જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો. આજના કારોબારના અંતે રોકાણકારોની સંપત્તિ ઘટીને 2,81,61,750 રૂપિયા થઈ ગઈ છે.
કેટલો થયો ઘટાડો
આજે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 636.75 પોઇન્ટના ઘટાડા સાથે 60,657.45 પર બંધ રહ્યો. જ્યારે નિફ્ટી 189.6 પોઇન્ટના ઘટાડા સાથે 18042.95 પર બંધ રહી. બેંક નિફ્ટી 466.45 પોઇન્ટના ઘટાડા સાથે 42958.80 પોઇન્ટ પર બંધ રહી. નિફ્ટી ફાર્મા બેસ્ટ સેક્ટર અને નિફ્ટી મેટલ વર્સ્ટ સેક્ટર રહ્યું.
રોકાણકારોને 3 લાખ કરોડનું નુકસાન
2023માં પ્રથમ વખત શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું, તેથી રોકાણકારોને પણ આજના ટ્રેડિંગ સેશનમાં ભારે નુકસાન થયું છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 281.61 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 284.65 લાખ કરોડ હતું. એટલે કે રોકાણકારોને 3.04 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)