શોધખોળ કરો

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક પર CBI કરી શકે છે કાર્યવાહી, જાણો શું છે સમગ્ર મામલો

Satyapal Malik : આ મામલો જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ રહેતા તેમને લાંચની ઓફર સાથે સંબંધિત છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને CBIને નિષ્પક્ષ તપાસ માટે આ મામલાની તપાસ કરવાની ભલામણ કરી હતી.

Meghalaya : CBI મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક વિરુદ્ધ ટૂંક સમયમાં કાર્યવાહી કરી શકે છે. કેન્દ્ર સરકારે CBIને તપાસ માટે મંજૂરી આપી છે. આ મામલો જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને લાંચની ઓફર સાથે સંબંધિત છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસને CBIને નિષ્પક્ષ તપાસ માટે આ મામલાની તપાસ કરવાની ભલામણ કરી હતી.

CBI જમ્મુ અને કાશ્મીર સરકારી કર્મચારી આરોગ્ય સંભાળ વીમા યોજના માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારની તપાસ કરશે. CBI કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટના સિવિલ વર્ક્સનો કોન્ટ્રાક્ટ ખાનગી પેઢીને આપવામાં ભ્રષ્ટાચારની પણ તપાસ કરી શકે છે.

300 કરોડની લાંચની ઓફર
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે હાલમાં જ દાવો કર્યો હતો કે RSS નેતા અને અંબાણીની ફાઈલો ક્લિયર કરવાના બદલામાં તેમને 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી. સત્યપાલ મલિકના આ દાવાથી સનસનાટી ફેલાઈ ગઈ હતી.

રાજ્યપાલે પોતે જ આ સોદો રદ્દ  કર્યો હતો 
હવે સરકારે આ આરોપોની CBI દ્વારા તપાસ કરાવવા માટે જમ્મુ-કાશ્મીર પ્રશાસનની ભલામણને મંજૂરી આપી દીધી છે. સત્યપાલ મલિકે કહ્યું કે તેમને ફાઇલ ક્લિયર કરવા માટે 300 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે ડીલ રદ્દ  કરી દીધી હતી. જો કે આ દરમિયાન મલિકે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે સમયે પીએમએ તેમને ભ્રષ્ટાચાર સાથે સમાધાન ન કરવાનું કહ્યું હતું.

ઑક્ટોબર 2018માં જ્યારે તેઓ જમ્મુ અને કાશ્મીરના ગવર્નર હતા, તેમણે ગેરરીતિની શંકાના આધારે કર્મચારીઓ માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સાથે જૂથ આરોગ્ય વીમા કરાર રદ્દ કર્યો હતો. તે જ સમયે બે દિવસ પછી રાજ્યપાલે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ સાથેના કરારને બંધ કરવાની મંજૂરી આપી અને સમગ્ર પ્રક્રિયાની તપાસ માટે મામલો ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને મોકલ્યો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget