શોધખોળ કરો

India-Pakistan Border: બાંગ્લાદેશમાં ફાટી નિકળેલી હિંસા વચ્ચે અચાનક પાકિસ્તાને શરુ કરી નાપાક હરકત, CDSએ કર્યો ચોંકાવનારો દાવો

India Pakistan Border Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો લાંબા સમયથી સૌહાર્દપૂર્ણ નથી. બાંગ્લાદેશમાં ઉથલપાથલ વચ્ચે હવે પાકિસ્તાને પણ સરહદ પર નાપાક હરકતો શરૂ કરી દીધી છે.

India Pakistan Border Tension:  ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર સરહદ પર તણાવ વધવા લાગ્યો છે. ભારતીય સશસ્ત્ર દળોના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણે કહ્યું છે કે પીર પંજાલ વિસ્તારમાં તણાવ અચાનક વધી ગયો છે. સીડીએસે કહ્યું કે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાને કારણે ચિંતા ઉભી થઈ છે. સીડીએસ ચૌહાણે કહ્યું છે કે પાડોશી દેશમાં સત્તા પરિવર્તન વચ્ચે, અન્ય દેશો સાથેની સરહદો પર પહેલેથી જ તણાવ છે.

 

દિલ્હીમાં 'મિલિટરી એમ્યુનિશન' પર એક કોન્ફરન્સમાં બોલતા, CDS અનિલ ચૌહાણે કહ્યું, ભારત પાસે સુરક્ષા પડકારોનો પોતાનો હિસ્સો છે. અમે શરૂઆતથી જ જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલા પ્રોક્સી વોરનો સામનો કરી રહ્યા છીએ. હવે અચાનક પીર પંજાલ રેન્જમાં વધારો જોવા મળ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ચીન સાથે લાંબા સમયથી ચાલી રહેલ સીમા વિવાદ હજુ સમાપ્ત થયો નથી.

CDSએ બાંગ્લાદેશ હિંસાનો ઉલ્લેખ કર્યો

બાંગ્લાદેશ હિંસાના સંદર્ભમાં સીડીએસ અનિલ ચૌહાણે કહ્યું, અમે અત્યારે બે મોટા પડકારોનો સામનો કરી રહ્યા છીએ, જેમાં આપણા પડોશમાં અસ્થિરતા પણ અમારા માટે ચિંતાનું બીજું કારણ છે. ભારત જેવા મોટા દેશ માટે, સુરક્ષા સંબંધિત ઘણી સમસ્યાઓ હોય છે. તેમણે વધુમાં કહ્યું, ભારત જેવો દેશ લડાયક શસ્ત્રો માટે વિદેશી આયાત પર નિર્ભર ન રહી શકે. ખાસ કરીને જ્યારે વૈશ્વિક સુરક્ષા અને શાસન હંમેશા અસ્થિર પરિસ્થિતિઓનો સામનો કરી રહી હોય.

બાંગ્લાદેશમાં આજે કાર્યભાર સંભાળશે વચગાળાની સરકાર

નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર ગુરુવારે કાર્યભાર સંભાળશે. આ જાણકારી આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને આપી છે. તેમણે જણાવ્યું કે સરકારમાં સામેલ લોકો ગુરુવારે રાત્રે 8 વાગ્યે શપથ લેશે.

જનરલ ઝમાને કહ્યું હતું કે વચગાળાની સરકારની સલાહકાર પરિષદમાં 15 સભ્યો હશે અને તેના વડા મોહમ્મદ યુનુસ હશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મંગળવારે રાત્રે યુનુસને વચગાળાની સરકારના વડા તરીકે નિયુક્ત કર્યા. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા બાદ રાષ્ટ્રપતિએ આ નિમણૂક કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget