![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પૂર્વ પ્રધાનમંત્રીઓ માટે કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે અનોખું કામ, 14 એપ્રિલના રોજ પીએમ મોદી...
કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે પૂર્વ વડાપ્રધાનો માટે એક મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લીધો છે, જેનું કામ અંતિમ તબક્કામાં હોવાની વાત સામે આવી છે. આ મ્યુઝિયમનો શુભારંભ 14મી એપ્રિલે કરવામાં આવશે.
![પૂર્વ પ્રધાનમંત્રીઓ માટે કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે અનોખું કામ, 14 એપ્રિલના રોજ પીએમ મોદી... Central government is building a museum for former prime ministers પૂર્વ પ્રધાનમંત્રીઓ માટે કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે અનોખું કામ, 14 એપ્રિલના રોજ પીએમ મોદી...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/29/6c40dc2cb131a7c1ed6c3b9682dc0c01_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે પૂર્વ વડાપ્રધાનો માટે એક મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય લીધો છે, જેનું કામ અંતિમ તબક્કામાં હોવાની વાત સામે આવી છે. આ મ્યુઝિયમનો શુભારંભ 14મી એપ્રિલે કરવામાં આવશે. તેની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે આજે બીજેપી સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે દરેકનું સન્માન કરીએ છીએ, કોઈની વચ્ચે ભેદભાવ નથી કરતા. મોદી સરકાર પર પહેલાથી જ દેશના મહાપુરુષોને પોતાના બનાવવાનો આરોપ લાગતો રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ દેશના વડાપ્રધાનો માટે મ્યુઝિયમ બનાવવાનો ઉલ્લેખ કરીને રાજનીતિ તેજ કરી દીધી છે.
હકિકતમાં કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયે નેહરુ સેન્ટરમાં ત્રણ પ્રતિમાઓ સાથેનું એક સંગ્રહાલય તૈયાર કર્યું છે, જેમાં દેશના અત્યાર સુધીના તમામ વડાપ્રધાનોની યાદો સંગ્રહિત કરવામાં આવી છે. મીડિયામાં પ્રકાશિત તસવીરો, મૂર્તિઓ અને અહેવાલોના આધારે વડા પ્રધાનો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ મ્યુઝિયમનું કામ અત્યારે અંતિમ તબક્કામાં છે. આવતા મહિનાની 14 એપ્રિલે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ 270 કરોડ રૂપિયાનો છે, જેને વર્ષ 2018માં મંજૂરી આપવામાં આવી હતી. તે ઓક્ટોબર 2020 સુધીમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ તેમાં વારંવાર વિલંબ થતો ગયો. આ અગાઉ, કેન્દ્ર સરકારે તેના ઉદ્ઘાટન માટે બે તારીખો વિશે વિચાર્યું હતું. પ્રથમ 25 ડિસેમ્બર, ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ, જેને સુશાસન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે અને બીજી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ.
પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં શું છે?
તમને જણાવી દઈએ કે આ મ્યુઝિયમમાં તમામ પૂર્વ વડાપ્રધાનોના યોગદાનનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમને વિવિધ માધ્યમો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. એવું કહી શકાય કે પ્રધાનમંત્રી મ્યુઝિયમ પોતાનામાં દેશનું એક અનોખું મ્યુઝિયમ છે, જેમાં તમામ પૂર્વ વડાપ્રધાનોને નજીકથી જાણવાનો મોકો મળશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મ્યુઝિયમમાં લોકોને ભારતના 14 પૂર્વ વડાપ્રધાનો વિશે તમામ માહિતી મળશે. આ મ્યુઝિયમમાં તમામ પૂર્વ વડાપ્રધાનોને તેમના કાર્યકાળ અનુસાર સ્થાન આપવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર તૈયાર કરવામાં આવેલા આ અનોખા મ્યુઝિયમને તૈયાર કરતી વખતે, તમામ ભૂતપૂર્વ વડા પ્રધાનોના પરિવારજનોનો સંપર્ક કર્યા પછી, તેમના જીવન સાથે સંબંધિત રસપ્રદ માહિતી એકત્ર કરવામાં આવી છે અને અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત બનેલા આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)