શોધખોળ કરો

Chandipura virus: 3 રાજ્ય, 15 મોત...જાણો કેટલો ખતરનાક છે ચાંદીપુરા વાયરસ, કેવી રીતે પડ્યું તેનું નામ?

Chandipura Virus: ચાંદીપુરાના 29 કેસમાંથી 26 ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 2 રાજસ્થાન અને એક મધ્યપ્રદેશમાંથી મળી આવ્યા હતા. જ્યારે મૃત્યુની વાત કરીએ તો ગુજરાતમાં 15માંથી 13 મૃત્યુ થયા છે.

Chandipura Virus: ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં સતત હાહાકાર મચાવી રહ્યો છે. અહીં અરવલી જિલ્લાના મોટા કંથારિયા ગામમાં ચાંદીપુરા વાયરસને કારણે ચાર વર્ષની બાળકીનું મોત થયું છે. પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટમાંથી આ માહિતી સામે આવી છે. દેશમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 29 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 15 દર્દીઓના મોત થયા છે.

ધ હિંદુના અહેવાલ મુજબ, આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 15 બાળકોના મોત થયા છે. આમાંથી એકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસથી થયું હોવાની પુષ્ટિ થઈ છે. બધા કિસ્સાઓમાં લક્ષણો સમાન છે. તેથી તમામ મૃત્યુ ચાંદીપુરા વાયરસના કારણે થયા હોવાની શક્યતા છે.

ચાંદીપુરા વાયરસ શું છે?

ચાંદીપુરાના 29 કેસમાંથી 26 ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 2 રાજસ્થાન અને એક મધ્યપ્રદેશમાંથી મળી આવ્યા હતા. જ્યારે મૃત્યુની વાત કરીએ તો ગુજરાતમાં 15માંથી 13 મૃત્યુ થયા છે. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક-એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલી, મહિસાગર, ખેડા, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર અને મોરબી જિલ્લામાંથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે.

ચાંદીપુરા વાયરસ તાવનું કારણ બને છે. તેના લક્ષણો ફલૂ જેવા છે અને તે તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) નું કારણ બને છે. આ વાયરસ Rhabdoviridae પરિવારના વેસિક્યુલોવાયરસ જીનસનો સભ્ય છે. તે મચ્છર અને રેતીની માખીઓ જેવા જંતુઓ દ્વારા ફેલાય છે. આ વાયરસ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. 2003-2004માં આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં 56-75 ટકા મૃત્યુદર જોવા મળ્યો હતો.

ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.

ચાંદીપુરા નામ કેવી રીતે પડ્યું?

આ વાયરસની ઓળખ સૌપ્રથમ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં થઈ હતી. આવી સ્થિતિમાં આ વાયરસ ચાંદીપુરા તરીકે ઓળખાવા લાગ્યો. મોટેભાગે 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો આ વાયરસથી પ્રભાવિત થાય છે. આ વાયરસ મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં ફેલાય છે. તેના મુખ્ય લક્ષણો તાવ, ઉલ્ટી, ઝાડા અને માથાનો દુખાવો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાહતના સમાચાર: વાવાઝોડાનો ખતરો ટળ્યો, માત્ર કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે
રાહતના સમાચાર: વાવાઝોડાનો ખતરો ટળ્યો, માત્ર કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે
48 વર્ષ બાદ ઓગષ્ટમાં વાવાઝોડું આવશે, આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
48 વર્ષ બાદ ઓગષ્ટમાં વાવાઝોડું આવશે, આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, કહ્યું – આજે સાંજ સુધીમાં ચક્રવાત.....
વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, કહ્યું – આજે સાંજ સુધીમાં ચક્રવાત.....
Gujarat Rain: કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી,આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain: કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી, આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch Heavy Rain | માંડવીમાં 15 ઈંચ વરસાદથી કેટલાય વિસ્તારો થઈ ગયા જળમગ્ન, જુઓ વીડિયોમાંKutch Heavy Rain | આગાહી વચ્ચે કચ્છના માંડવીમાં શરૂ થયો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોમાંCyclone Forecast | કચ્છ-સૌરાષ્ટ્ર પર ભયંકર વાવાઝોડાનો ખતરો, જુઓ આગાહી | Abp Asmita | 30-8-2024Gujarat Rain | છેલ્લા 24 કલાકમાં ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp Asmita | Rain Updates

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહતના સમાચાર: વાવાઝોડાનો ખતરો ટળ્યો, માત્ર કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે
રાહતના સમાચાર: વાવાઝોડાનો ખતરો ટળ્યો, માત્ર કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે
48 વર્ષ બાદ ઓગષ્ટમાં વાવાઝોડું આવશે, આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
48 વર્ષ બાદ ઓગષ્ટમાં વાવાઝોડું આવશે, આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, કહ્યું – આજે સાંજ સુધીમાં ચક્રવાત.....
વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, કહ્યું – આજે સાંજ સુધીમાં ચક્રવાત.....
Gujarat Rain: કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી,આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 
Gujarat Rain: કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી, આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 
ચિરાગ પાસવાનનો ભાજપથી મોહભંગ! LJP રામવિલાસના 3 સાંસદ BJP માં જશે? 5 પોઈન્ટમાં જાણો કેમ ઉઠ્યા સવાલો
ચિરાગ પાસવાનનો ભાજપથી મોહભંગ! LJP રામવિલાસના 3 સાંસદ BJP માં જશે? 5 પોઈન્ટમાં જાણો કેમ ઉઠ્યા સવાલો
"ચરણોમાં માથું મૂકીને માફી માંગું છું", જાણો મહારાષ્ટ્રમાં પીએમ મોદીએ શા માટે માફી માગવી પડી
Paralympics 2024: ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ, અવની લેખરાએ પેરાલિમ્પિક્સમાં પોતાનો જ રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
Paralympics 2024: ભારતને મળ્યો પહેલો ગોલ્ડ મેડલ, અવની લેખરાએ પેરાલિમ્પિક્સમાં પોતાનો જ રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
Gujarat Rain: 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Embed widget