શોધખોળ કરો

Chandipura virus: 3 રાજ્ય, 15 મોત...જાણો કેટલો ખતરનાક છે ચાંદીપુરા વાયરસ, કેવી રીતે પડ્યું તેનું નામ?

Chandipura Virus: ચાંદીપુરાના 29 કેસમાંથી 26 ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 2 રાજસ્થાન અને એક મધ્યપ્રદેશમાંથી મળી આવ્યા હતા. જ્યારે મૃત્યુની વાત કરીએ તો ગુજરાતમાં 15માંથી 13 મૃત્યુ થયા છે.

Chandipura Virus: ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં સતત હાહાકાર મચાવી રહ્યો છે. અહીં અરવલી જિલ્લાના મોટા કંથારિયા ગામમાં ચાંદીપુરા વાયરસને કારણે ચાર વર્ષની બાળકીનું મોત થયું છે. પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટમાંથી આ માહિતી સામે આવી છે. દેશમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 29 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 15 દર્દીઓના મોત થયા છે.

ધ હિંદુના અહેવાલ મુજબ, આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 15 બાળકોના મોત થયા છે. આમાંથી એકનું મૃત્યુ ચાંદીપુરા વાયરસથી થયું હોવાની પુષ્ટિ થઈ છે. બધા કિસ્સાઓમાં લક્ષણો સમાન છે. તેથી તમામ મૃત્યુ ચાંદીપુરા વાયરસના કારણે થયા હોવાની શક્યતા છે.

ચાંદીપુરા વાયરસ શું છે?

ચાંદીપુરાના 29 કેસમાંથી 26 ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 2 રાજસ્થાન અને એક મધ્યપ્રદેશમાંથી મળી આવ્યા હતા. જ્યારે મૃત્યુની વાત કરીએ તો ગુજરાતમાં 15માંથી 13 મૃત્યુ થયા છે. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એક-એક દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં ગુજરાતના સાબરકાંઠા, અરવલી, મહિસાગર, ખેડા, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, જામનગર અને મોરબી જિલ્લામાંથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે.

ચાંદીપુરા વાયરસ તાવનું કારણ બને છે. તેના લક્ષણો ફલૂ જેવા છે અને તે તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) નું કારણ બને છે. આ વાયરસ Rhabdoviridae પરિવારના વેસિક્યુલોવાયરસ જીનસનો સભ્ય છે. તે મચ્છર અને રેતીની માખીઓ જેવા જંતુઓ દ્વારા ફેલાય છે. આ વાયરસ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. 2003-2004માં આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં 56-75 ટકા મૃત્યુદર જોવા મળ્યો હતો.

ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.

ચાંદીપુરા નામ કેવી રીતે પડ્યું?

આ વાયરસની ઓળખ સૌપ્રથમ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરામાં થઈ હતી. આવી સ્થિતિમાં આ વાયરસ ચાંદીપુરા તરીકે ઓળખાવા લાગ્યો. મોટેભાગે 9 મહિનાથી 14 વર્ષની વચ્ચેના બાળકો આ વાયરસથી પ્રભાવિત થાય છે. આ વાયરસ મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં ફેલાય છે. તેના મુખ્ય લક્ષણો તાવ, ઉલ્ટી, ઝાડા અને માથાનો દુખાવો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
Embed widget