શોધખોળ કરો
છત્તિસગઢમાં એન્ટકાઉંટરમાં 3 મહિલા નક્સલી ઠાર, 7 નક્સલી ઘાયલ

નવી દિલ્લીઃ છત્તીસગઢમાં પોલીસ સુકમામાં બુધવારે એનકાઉંટરમાં ત્રણ મહિલા નક્સલીને ઠાર કરવામાં આવી હોવનો દાવો કરવામાં આવ્યો છે. એનકાઉંટર દરમિયાન સાત નક્સલી પણ જખ્મી થયા હતા. તે તમામ લોકો ભાગવામાં સફળ લહ્યા હતા. DGP નક્સલ ઑપરેશન ડીએમ અવસ્થી મુજબ બસ્તર અને સુકમામાં સતત ઑપરેશન ચાલુ રહેશે. સીઆરપીએફ કોબરા બટાલિયન અને પોલીસની સર્ચીત પાર્ટીએ જોઇંટ ઑપરેશન દરમિયાન દોઢ ડર્જન નક્સલીઓની ઘેરાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન નક્સલીયોએ પહેલા ફાયરિંગ શરૂ કર્યું હતું જેના જવાબી કાર્યવાહીમાં નક્સલિયો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સુકમા ગાદીરાસ થાણે અંતર્ગત મોટા શક્તિ એરિયાની માહિતી બાદ પોલીસ અને સીઆફપીએફની કોબરા બટાલિયને જંગલમાં નક્સલિયોને આત્મસમર્પણ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ નક્સલિયોએ સુરક્ષા બળો પર તાબડતોબ ફાયરિંગ શરુ કર્યું હતું. તેના જવાબમાં સુરક્ષા બળોએ પણ જવાબી ફાયરિંગ કર્યું હતું. બે કલાક સુધી બંને તરફથી ફાયરિંગ થતું રહ્યું. પોલીસના જણાવ્યા અનુસાર તેમણે નક્સલી કમાંડર અંજૂ અને તેમના બે અંગરક્ષકોને મારી નાખ્યા હતા. જોકે તે લોકો તેની બોડીને પોતાની સાથે જવામાં સફળ રહ્યા હતા. એનકાઉંટરની જગ્યાએ પોલીસને મોટી માત્રમાં રાયફલની ગોળીઓ અને બંદુક મળી આવી હતી.
વધુ વાંચો






















