ચીન પર ભરોસો ન કરી શકાય, ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાંં સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપ્યું મોટું નિવેદન
Upendra Dwivedi: આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ રાષ્ટ્રીય સુરક્ષા, ચીન અને પાકિસ્તાનના પડકારો પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતીય સેના દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.

Indian Army: ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે ચીન અને પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં. પાકિસ્તાન અંગે જનરલ દ્વિવેદીએ કહ્યું કે તે આતંકવાદને રોકવા માટે કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી.
ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2025માં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, ભારતીય સેના ઝડપથી આધુનિક ટેક્નોલોજી અપનાવી રહી છે અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ચીન સાથે સંભવિત યુદ્ધની સ્થિતિ પર જનરલ દ્વિવેદીએ કહ્યું કે, ભારતીય સેના ડ્રોન ટેક્નોલોજી સહિત નવી સૈન્ય ક્ષમતાઓ પર સતત કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે, ભારત પાસે એવા અદ્યતન ડ્રોન છે જે AK-47 ચલાવી શકે છે અને મિસાઈલ લોન્ચ કરી શકે છે. જો ચીન તરફથી ડ્રોન હુમલો થાય છે, તો ભારત પણ તે જ તાકાતથી જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમણે એ પણ સ્પષ્ટ કહ્યું કે ચીન પર વિશ્વાસ કરી શકાય નહીં. જો કે યુદ્ધ કોઈપણ દેશના હિતમાં નથી, પરંતુ જો જરૂર પડે તો ભારતીય સેના સંપૂર્ણ તૈયારી સાથે જવાબ આપવા સક્ષમ
ભારત-ચીન બોર્ડર પર સ્થિતિ સામાન્ય છે
2020માં પૂર્વી લદ્દાખના ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ પછીની સ્થિતિ અંગે આર્મી ચીફે કહ્યું કે સ્થિતિ હવે સામાન્ય છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે બંને દેશોની સેનાઓ વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવે છે જેથી શાંતિ જાળવી શકાય.
પાકિસ્તાન પર આર્મી ચીફનો કડક સંદેશ
પાકિસ્તાન અંગે જનરલ દ્વિવેદીએ કહ્યું કે તે આતંકવાદને રોકવા માટે કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી. આ કારણે ભારતીય સેનાએ હંમેશા સક્રિય રહેવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો ખતરો હતો, હવે ત્યાં પર્યટન વિકસી રહ્યું છે. તેમણે કહ્યું કે, અમે આતંકવાદથી પ્રવાસન સુધીની સફર કરી છે. સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અનેક સફળ ઓપરેશન કર્યા છે, જેનાથી આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા આવી છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















