શોધખોળ કરો

છત્તીસગઢના  મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતાની કરવામાં આવી ધરપકડ,  જાણો  કારણ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલની ધરપકડ કરવામાં આવી છે.રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલની ધરપકડ કરવામાં આવી છે.  નંદકુમાર બઘેલે બ્રાહ્મણ સમાજની સામે વાંધાજનક ટીપ્પણી કરી હતી.
રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી.  પોલીસે ધરપકડીને કરીને નંદ કુમાર બઘેલને રાયપુરની કોર્ટમાં રજૂ કર્યાં હતા. બ્રાહ્મણ સમાજની વિરૃદ્ધ વાંધાજનક નિવેદન આપવા બદલ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલની ધરપકડ કરાઈ છે.

પોલીસે દિલ્હીમાંથી ધરપકડ કરીને તેમને રાયપુરની કોર્ટમાં રજૂ કર્યાં હતા. રાયપુરના ડીડી નગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. એફઆઈઆર નોંધાયા બાદ તેમની ધરપકડ થવાનું નિશ્ચિત હતું. નંદકુમાર બઘેલે લખનઉમાં બ્રાહ્મણ સમાજની વિરૃદ્ધ અપમાનજનક ટીપ્પણી કરી હતી. તેમના નિવેદનથી બ્રાહ્મણ સમાજમાં રોષ ફેલાયો હતો. ફરીયાદ નોંધાયા બાદ રાયપુર પોલીસ ધરપકડ કરવા માટે નીકળી ગઈ હતી. પોલીસ દિલ્હીથી ધરપકડ કરીને તેમને રાયપુર લઈ ગઈ હતી.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલે લખનઉમાં કહ્યું હતું કે હું ભારતના તમામ ગ્રામીણોને કહેવા માગું છું કે બ્રાહ્મણોને ગામમાં પેસવા ન દેતા. હું દરેક સમુદાય સાથે વાત કરીશ જેથી કરીને અમે તેમનો બહિષ્કાર કરી શકીએ. તેમને વોલ્ગા નદીના તટ પર પાછા મોકલવાની જરુર છે. બ્રાહ્મણ પરદેશી છે, વિદેશી છે. જે રીતે અંગ્રેજો આવ્યા અને જતા રહ્યાં તેવી રીતે આ બ્રાહ્મણ સુધરી જાય અથવા તો ગંગાથી વોલ્ગા જવા માટે તૈયાર થઈ જાય.

પિતાની વાંધાજનક ટીપ્પણી બાદ મુખ્યમંત્રી ભુપેશ બઘેલે જણાવ્યું હતું કે કાયદો બધા માટે સર્વોચ્ય છે અને તેમની સરકાર કાયદાના પક્ષમાં છે. તેમણે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી. પછી ભલેને તે 86 વર્ષના મારા પિતા હોય. છત્તીસગઢ સરકાર દરેક ધર્મ, સંપ્રદાય, સમુદાય અને તેમની ભાવનાઓનું સન્માન કરે છે.

Maharashtra Coronavirus: નાગપુરમાં આવી ગઈ કોરોનાની ત્રીજી લહેર, લદાશે નિયંત્રણો

દેશમાં ફરીથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. ત્યારે હવે મહારાષ્ટ્રના નાગપુરમાં ત્રીજી લહેર આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી નીતિન રાઉતે આ અંગે સંકેત આપ્યા છે કે, પ્રશાસન ટૂંક સમયમાં જ સંક્રમણને રોકવા માટે પ્રતિબંધોની જાહેરાત કરશે.


કેબિનેટ મંત્રી નીતિન રાઉતે હાલમાં જ અધિકારીઓ સાથેની એક સમીક્ષા બેઠક કરી હતી, જેમાં રેવન્યૂ મિનિસ્ટર, પોલીસ અને સ્વાસ્થ્ય સહિત કેટલાય સરકારી વિભાગના વરિષ્ઠ અધિકારી હાજર રહ્યા હતા. બેઠક બાદ નિતિન રાઉતે કહ્યુ કે, નાગપુરમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી ગઈ છે. કારણ કે, બે દિવસમાં બમણા કેસો વધી રહ્યા છે.


નીતિન રાઉતે જણાવ્યુ હતું કે, બે ત્રણ દિવસથી અધિકારીઓ દ્વારા આખરી તારીખ નક્કી કર્યા બાદ દુકાનો અને અન્ય જગ્યાએ ફરીથી પ્રતિબંધો લગાવી દેવાશે. પ્રતિબંધો જરૂરી છે. કારણ કે, લોકોના જીવ બચાવવા સૌથી મોટુ કર્તવ્ય છે. નાગપુરમાં રવિવારે કોરોના વાયરસના 10 નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે સોમવારે શહેરમાં 13 નવા કેસ નોંધાયા હતા. આ આંકડાનો હવાલો આપતા નિતિન રાઉતે ત્રીજી લહેરની દસ્તકની વાત કહી હતી. જિલ્લામાં કોરોનાના કેસો ઘટ્યા બાદ 17 ઓગસ્ટે પ્રતિબંધોમાં એકદમ ઢીલ અપાઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
Embed widget