શોધખોળ કરો

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ – ‘જો કહતા થા ગંગાને બુલાયા હૈ, ઉસને માં ગંગા કો રૂલાયા હૈ’

રાહુલ ગાંધીએ પોતાના આ વ્ટીની સાથે એક સમાચાર પણ શેર કર્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગંગા કિનારે 1140 કિલોમીટરમાં 2 હજારથી વધારે શબ મળ્યા છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત દરેક મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. ફરી એક વખત તેમણે ગંગામાં તરતી લાશોને લઈને મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘જો કહતા થા ગંગાને બુલાયા હૈ, ઉસને માં ગંગા કો રૂલાયા હૈ’. રાહુલ નામ લીધા વગર સીધા જ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.

રાહુલ ગાંધીએ પોતાના આ વ્ટીની સાથે એક સમાચાર પણ શેર કર્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગંગા કિનારે 1140 કિલોમીટરમાં 2 હજારથી વધારે શબ મળ્યા છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કાનપુરના શેરેશ્વર ઘાટ પર અડધા કિલોમીટરના વિતારમાં જ 400 લાશ દટાયેલી છે.

એક દિવસક પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્વીટ કર્યું હતું, “બલિયા અને ગાજીપુરમાં ગંગામાં શબ તરતા રહ્યા છે. રિપોર્ટમાં ઉન્નામાં નદીના કિનારે મોટા પાયે શબ દટાયાના અહેવાલ સામે આવ્યા છે. લખનઉ, ગોરખપુર, ઝાંસી અને કાનપુર જવા શહેરોમાંથી સત્તાવાર આંકડો ઓછો બતાવવામાં આવી રહ્યો છે."

વિપક્ષ સતત હમલાવર

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ગંગા નદીમાં મૃતદેહ તરતા જોવા મળ્યા છે. હાલમાં જ વારાણસીમાં ગંગા નદી અને તેની નજીક આવેલ ચંદૌલી જિલ્લામાં આંશિક રીતે બળેલા મૃતદેહ સહિત વધુ સાત શબ મળ્યા છે. એક શબ વારાણસીના સુજાબાદ વિસ્તારની પાસે અને છ ચંદૌલી જિલ્લાના ધાનાપુર વિસ્તારમાં ગુરુવારે મળ્યા. છ મૃતદેહ અને આંશિક રૂપથી બળેલા એક શબને બહાર કાઢવામાં આવ્યં અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બીજી બાજુ, ચંદૌલીના ધનાપુરમાં છ સડી ગયેલ મૃતદેહ મળી આવ્યા અને તેના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

બિહારના અધિકારીઓએ દાવો કર્યો છે કે, ઉત્તર પ્રદેશથી 71 મૃતદેહ વહેતા રાજ્યમાં આવ્યા હતા. અધિકારીઓએ ત્યાર બાદ નદીમાં નેટ લગાવી દીધી છે. વિપક્ષે રાજ્યમાં કોવિડથી મોતના આંકડા ઓછા બતાવાવનો આરોપ લગાવતા રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું, “ગંગામાં તરતી લાશો માત્ર આંકડા જ નથી, તે કોઈના પિતા, માતા, ભાઈ અને બહેન છે. સરકારની જવાબદારી હોવી જોઈએ જેણે પોતાના લોકોને આટલી ખરાબ રીતે નિષ્ફળ કરી દીધા છે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
Embed widget