શોધખોળ કરો

મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસનું ઓનલાઈન અભિયાન આજે, સોનિયા-રાહુલ સહિત 50 લાખ કાર્યકર્તા જોડાશે

લોકડાઉનનો સામનો કરી રહેલ મજૂરો, ખેડૂતો, અસંગઠિત કર્મચારીઓ અને નાના દુકાનદારોના મુદ્દાને લઈને કોંગ્રેસ મોદી સરકારને ઘેરવા જઈ રહી છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો પ્રકોપ વધતા આંકડાની વચ્ચે રાજનીતિ પણ જોરશોરથી ચાલી રહી છે. બે મહિના બાદ રાજકીય પક્ષો ફરી સક્રિય થયા છે. કેન્દ્રની મોદી સરાકર 2.0નું એક વર્ષ પૂરું થવાના અવસર પર 30 મેના રોજ ભાજપ 1000 વર્ચ્યુઅલ કોન્ફરન્સથી લઈને અનેક ઈ-રેલીઓ કરશે. જ્યારે કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારને ઘેરવા માટે વર્ચ્યુઅલ રણનીતિ બનાવી છે. પ્રવાસી શ્રમિકો, ખેડૂત અને નાના દુકાનદારો માટે રાહત પેકજની માગને લઈને કોંગ્રેસ પાર્ટી આજે ઓનલાઈન આંદોલન કરશે. લોકડાઉનનો સામનો કરી રહેલ મજૂરો, ખેડૂતો, અસંગઠિત કર્મચારીઓ અને નાના દુકાનદારોના મુદ્દાને લઈને કોંગ્રેસ મોદી સરકારને ઘેરવા જઈ રહી છે. જે લોકો ઇનકમ ટેક્સની વ્યાખ્યાથી બહાર છે એ તમામ પરિવારના ખાતામાં કેન્દ્ર સરકાર તરફથી દસ હજાર રૂપિયાની તાત્કાલીક મદદ પહોંચાડવાની માગને લઈને કોંગ્રેસ આજે 11થી 2 કલાકની વચ્ચે મોટા પાયે ઓનલાઈન અભિયાન ચલાવશે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલને પત્ર અને વીડિયો કોન્ફર્સિંગ દ્વારા નિર્દેશ આપ્યા છે કે આ અભિયાનમાં તમામ કાર્યકર્તાઓને સામેલ થવું ફરજિયાત છે. પાર્ટીએ ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ જેવા જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક સાથે 50 લાખ કોંગ્રેસ કાર્યકર્તાઓને ઓનલાઈન લાવવાનો ટાર્ગેટ રાખ્યો છે. ઓનલાઈન અભિયાન દ્વારા કોંગ્રેસ ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ, અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના મુદ્દાને ઉઠાવીને તેને સાધવાની કવાયતમાં છે. કોંગ્રેસ પોતાની માગને લઈને મોટા પાયે ટ્રેન્ડ સેટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. માટે કોંગ્રેસે પોતાના પત્રમાં કહ્યું છે કે, અમે મુશ્કેલીમાં ફસાયેલા લોકોનો મુદ્દો ઉઠાવીશું અને કેન્દ્ર સરકારને અપીલ કરીશું કે લોકોની મદદ કરવા માટે પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ માગ પર વિચાર કરે. સાથે જ સરકાર પાસે માગ કરીશું કે ઇનકમ ટેક્સમાં ન આવતા હોય તેવા પરિવારના ખાતામાં દસ હજાર રૂપિયા તાત્કાલીક જમા કરાવવામાં આવે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget