Karnataka : કોન્ટ્રાક્ટર કથિત આત્મહત્યા કેસમાં સપડાયેલા કર્ણાટકના મંત્રી ઇશ્વરપ્પા રાજીનામું આપશે
Karnataka Contractor's Death: "આવતીકાલે હું સીએમને રાજીનામું પત્ર સોંપી રહ્યો છું. હું સહકાર માટે આપ સૌનો આભાર માનું છું," સમાચાર એજન્સી એએનઆઈએ મંત્રી ઈશ્વરપ્પાને ટાંકીને જણાવ્યું હતું.

Karnataka : કર્ણાટક ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ (RDPR) મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલના કથિત આત્મહત્યા કેસમાં જેનું નામ સામે આવ્યું હતું તે ઈશ્વરપ્પાએ કહ્યું હતું કે તેઓ શુક્રવારે પોતાનું રાજીનામું મુખ્યમંત્રીને સોંપશે.
"આવતીકાલે હું સીએમને રાજીનામું પત્ર સોંપી રહ્યો છું. હું સહકાર માટે આપ સૌનો આભાર માનું છું," સમાચાર એજન્સી એએનઆઈએ મંત્રી ઈશ્વરપ્પાને ટાંકીને જણાવ્યું હતું.
Karnataka Minister KS Eshwarappa, whose name appeared in alleged suicide case of contractor Santosh Patil, says that he will handover his resignation to the Chief Minister tomorrow.
Says, "Tomorrow I'm handing over the resignation letter to CM. I thank you all for co-operation." pic.twitter.com/vZFVrP4diI — ANI (@ANI) April 14, 2022
વિપક્ષની માંગનો જવાબ આપતા, ઈશ્વરપ્પાએ મંગળવારે તેમના પદ પરથી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય સચિવ અને કોન્ટ્રાક્ટર સંતોષ પાટીલ કર્ણાટકના ઉડુપીમાં એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. કોંગ્રેસ કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપ સરકાર પર નિશાન સાધતા મંત્રી કેએસ ઈશ્વરપ્પાની ધરપકડની માંગ કરી રહી છે.
પાટીલની કથિત આત્મહત્યાના સંબંધમાં કર્ણાટકના પ્રધાન ઇશ્વરપ્પાના રાજીનામાની તેમની માંગને ધ્યાનમાં રાખીને કર્ણાટક કોંગ્રેસના નેતાઓએ સીએમ બોમાઇના નિવાસસ્થાન તરફ રેલી કાઢી હોવાથી ભાજપ સરકાર પર દબાણ વધ્યું. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના વડા ડીકે શિવકુમાર અને પૂર્વ સીએમ સિદ્ધારમૈયા સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી અને તેઓએ વિધાના સોઢા પાસે ધરણા કરીને તેમનો વિરોધ ચાલુ રાખ્યો હતો.
વિરોધના જવાબમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે પોલીસ પાસેથી પ્રાથમિક રિપોર્ટ મળ્યા બાદ જ ઈશ્વરપ્પાના રાજીનામા અંગે નિર્ણય લેવામાં આવશે. સીએમએ કહ્યું કે, "મને પ્રાથમિક તપાસ રિપોર્ટ મળ્યા બાદ ઇશ્વરપ્પા પાસેથી રાજીનામું માંગવા અંગેનો નિર્ણય લેવામાં આવશે."
પત્રકારો સાથે વાત કરતા બોમાઈએ કહ્યું કે બુધવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને સત્ય બહાર આવશે. પાર્ટી હાઈકમાન્ડે આ મુદ્દાને લગતી તમામ માહિતી લઈ લીધી છે. જો કે, આ મુદ્દે હાઈકમાન્ડની આગળ કોઈ ભૂમિકા રહેશે નહીં. તેઓ તપાસ દરમિયાન દખલ કરશે નહીં.























