શોધખોળ કરો
Advertisement
કોરોના રસીકરણ માટે 30 કરોડ ભારતીયોની થઈ પસંદગી, જાણો કોનો કોનો કરાયો સમાવેશ
ટોચના સરકારી સૂત્રોના કહેવા મુજબ, વેક્સિન લગાવવાના દિશાનિર્દેશોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ કોવિડ-19 વેક્સિનના રસીકરણ માટે 30 સરકારે 30 કરોડ ભારતીયોની પસંદગી કરી છે. જેને જરૂરી મંજૂરી મળ્યા બાદ રસી અપાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કમિટીએ 30 કરોડ ભારતીયોને સૌથી પહેલા વેક્સિ શોટ્સ આપવાની ભલામણ કરી છે. જેમાં એક કરોડ હેલ્થકેર વર્કર્સ, બે કરોડ ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 27 કરોડ આમ આદમી છે.
એક્સપર્ટ કમિટી ત્રણ વેક્સિન દાવેદાર (ફાઇજર, સીરમ અને ભારત બાયોટેક) પર નજર રાખશે. જેના આધારે અંતિમ ફેંસલો લેવાશે. કોવિડ-19 વેક્સિન પર એક્સપર્ટ કમિટીએ કહ્યું કે, 97 ટકા સરકારી અને 70 ટકા ખાનગી ફ્રન્ટલાઇન હેલ્થકેર શ્રમિકોનો ડેટા મળી ચુક્યો છે. તેને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
ટોચના સરકારી સૂત્રોના કહેવા મુજબ, વેક્સિન લગાવવાના દિશાનિર્દેશોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. પ્રત્યેક રસીકરણ કેન્દ્રમાં ત્રણ અલગ અલગ રૂમ હશે. પ્રથમ રૂમમાં લાભાર્થીએ રાહ જોવી પડશે, બીજા રૂમાં તંત્ર દ્વારા રસી આપવામાં આવશે અને છેલ્લે પ્રતીક્ષા ખંડમાં મોકલવામાં આવશે. જ્યાં કોઈ આડઅસર થાય છે કે નહીં તે જોવામાં આવશે. અહીંયા તેણે લગભગ 30 મિનિટ સુધી બેસવું પડશે.
સૂત્રોના કહેવા મુજબ, રસીકરણમાં ઓછામાં ઓછો 30 મિનિટનો સમય લાગશે. દરેક સત્રમાં 100 શોટ્સનો પ્રબંધ કરાશે. 30 મિનિટ બાદ રસીકરણની પ્રતિકૂળ અસર જોવા મળશે તો જાહેર કરાશે. દરેક સત્રમાં 100 લોકોને જ રસી આપવામાં આવશે.
શું મોદી સરકાર દરેક મહિલાના ખાતામાં નાંખી રહી છે 60 હજાર ? જાણો મહત્વની વિગત
અમદાવાદઃ વટવા વિંઝોલ રેલવે ફાટક પાસે મોડી રાતે કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, ભારે જહેમત બાદ મેળવાયો કાબૂ
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion