શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Full Updates: દેશમાં કોરોના દર્દીની સંખ્યા 2014 થઈ, સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં 41ના મોત
કોરોના પર ચર્ચા માટે પીએમ મોદી આજે સવારે 11 કલાકે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કન્ફરન્સિંગ દ્વારા વાત કરશે.
![Full Updates: દેશમાં કોરોના દર્દીની સંખ્યા 2014 થઈ, સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં 41ના મોત coronavirus 2014 confirmed cases and 41 death in country Full Updates: દેશમાં કોરોના દર્દીની સંખ્યા 2014 થઈ, સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં 41ના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/02130505/corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 2014 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત વાયરસને કારણે થયા છે જ્યારે 132 લોકો રિકવર થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે, 24 કલાકમાં 386 નવા કેસ સામે આવ્યા અને ત્રણ લોકોના મોતથયા છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં થયેલ તબલીઘી જમાનને કારણે કેસમાં વધારો જોવા મળ્યો છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે 325, કેરળમાં 265, તમિલનાડુમાં 234, દિલ્હીમાં 123, યૂપીમાં 116, રાજસ્થાનમાં 108, કર્ણાટકમાં 105 કેસ સામે આવ્યા છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 8 લાખને પાર પહોંચી ગઈ છે.
તમિલનાડુમાં તબલીઘી જમાતમાંથી પરત આવેલ 110 લોકો સંક્રમિત
દિલ્હીમાં તબલીઘી જમાનમાં સામેલ થયા બાદ તમિલનાડુ પરત ફરેલ 110 લોકોને કોરોના વાયરસને ચેપ લાગ્યો છે જેના કારણે રાજ્યમાં સંક્રમણના કેસની સંખ્યા વધીને 234 થઈ ગઈ છે. તમિલનાડુમાં આવા 515 લોકોની ઓળખ થઈ છે જે આ આયોજનમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રી પલાનીસામીએ જણાવ્યું કે, રાજ્યમાં અંદાજે 1500 લોકો કાર્યક્રમમાં સામેલ થયા હતા જેમાંથી 1131 લોકો રાજ્ય પરત ફર્યા છે.
એક સપ્તાહમાં મોતનો આંકડો બેગણો થયો, ડબલ્યૂએચઓ ચિંતિત
ડબલ્યૂએચઓએ બુધવારે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીનાં વૈશ્વિક સ્તરે ફેલાવો અને હાલમાં જ ઝડપથી વધી રહેલ કેસની સંખ્યા પર તે ચિંતિત છે. ડબલ્યૂએચઓના પ્રમુખ ટેડરોસ એડહાનોમ ઘેબ્રેયાસસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘વિતેલા સપ્તાહે મૃતકોની સંખ્યા બેગણીથી વધારે થઈ ગઈ છે. આગામી થોડા દિવસમાં સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખ અને મૃતકોની સંખ્યા 50,000 થઈ શકે છે.’
સવારે 11 કલાકે તમામ રાજ્યોના સીએમ સાથે વાત કરશે પીએમ મોદી
કોરોના પર ચર્ચા માટે પીએમ મોદી આજે સવારે 11 કલાકે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કન્ફરન્સિંગ દ્વારા વાત કરશે. આ બીજી વખત હશે જ્યારે પીએમ કોરોના વાયરસ પર તમામ મુખ્યમંત્રીઓ સાથે સીધી વાતચીત કરશે. આ પહેલા દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ કર્યા બાદ પીએમ મોદીએ દરેક રાજ્યના સીએમ સાથે ચર્ચા કરી હતી અને કોરોનાનો સામો કરવા માટેની તૈયારીઓ વિશે જાણકારી મેળવી હતી.
કોરોના સંકટ પર આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક
કોંગ્રેસ દેશમાં કોરોના વાયરસના સંકટને કારણે ઉભી થયેલ સ્થિતિ પર વિચાર કરવા માટે આજે કોંગ્રેસ કાર્ય સમિતિ (સીડબલ્યૂસી)ની બેઠક બોલાવી છે. બેઠક વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી થશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોના વાયરસના સંકટના મામલે સમન્વય કરવા માટે કેન્દ્રીય નિયંત્રણ કક્ષ બનાવવામાં આવ્યો છે. આ નિયંત્રણ કક્ષ વેણુગોપાલની નજર હેઠળ કામ કરશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)