શોધખોળ કરો
કેરાલામાં કોરોના વકર્યો, 8 નવા કેસો નોંધાતા થિયેટરો અને શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક ધોરણે બંધ કરવાના આદેશ
મંગળવારે કેરાલામાં કોરાનાના આઠ નવા કેસો સામે આવ્યા, જ્યારે કર્ણાટકા અને મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ નવા મામલાની પુષ્ટિ થઇ હતી

Created with GIMP
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો પ્રકોપ ભારતમાં દિવસે દિવસે વધી રહ્યો છે, મંગળવારે કેરાલામાં કોરાનાના આઠ નવા કેસો સામે આવ્યા, જ્યારે કર્ણાટકા અને મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ નવા મામલાની પુષ્ટિ થઇ હતી. આ સાથે ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 61એ પહોંચી ગઇ છે. કોરોના વાયરસની સૌથી વધુ અસર કેરાલામાં પડી છે, કેરાલામાં આઠ નવા કેસો મળી આવતા રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 14 થઇ ગઇ છે. કેરાલા સરકારે તાત્કાલિક એક્શન લઇને રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સિનેમાઘરોને બંધ કરવાનો આદેશ આપી દીધો છે. મુખ્યમંત્રી પિનરાઇ વિજયને મંગળવારે મંત્રીમંડળની એક ખાસ બેઠક બોલાવી હતી, અને કહ્યું હતું કે, 1116 લોકો જુદીજુદી હૉસ્પીટલોમાં 149 આઇસૉલેશન વૉર્ડમાં નજર હેઠળ છે, જ્યારે 967ને ઘરે જ સારવાર અપાઇ રહી છે.
વધુ વાંચો





















