શોધખોળ કરો
Advertisement
કોરોનાવાયરસઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા 11 હજારને પાર, 377 લોકોનાં મોત, જાણો રાજ્યવાર આંકડા
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 178 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં હાલ આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 11 હજારને પાર કરી ગઈ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 11,439 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 377 લોકોના મોત થયા છે. ઉપરાંત 1306 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.
કયા રાજ્યમાં કેટલા મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 178 લોકોના મોત થયા છે. જે બાદ મધ્યપ્રદેશમાં 50, ગુજરાતમાં 28, પંજાબમાં 12, દિલ્હીમાં 30, તમિલનાડુમાં 12, તેલંગાણામાં 17, આંધ્રપ્રદેશમાં 9, કર્ણાટકમાં 10, પશ્ચિમ બંગાળમાં 7, જમ્મુ-કાશ્મીરમાં 4, ઉત્તર પ્રદેશમાં 5, હરિયાણામાં 3, રાજસ્થાનમાં 3, કેરળમાં 3, ઝારખંડમાં 2, બિહાર, આસામ, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં 1-1 લોકોના મોત થયા છે.
સરકાર આજે જાહેર કરશે દિશા નિર્દેશ
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ગઈકાલે પીએમ મોદીએ લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, સંક્રમણને રોકવા માટે લોકડાઉનના સારા પરિણામ મળી રહ્યા છે. પીએમ મોદીએ અંદાજે 25 મિનિટના રાષ્ટ્રના નામે સંબોધનમાં કહ્યું કે, બીજા તબક્કામાં લોકડાઉનને કડકાઈથી પાલન સુનિશ્ચિત કરવામાં આવશે અને આજે આ મામલે વિસ્તૃત ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે જેથી સુનિશ્ચિત કરી શકાય કે તે નવા વિસ્તારમાં ન ફેલાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
ગુજરાત
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion