દેશને મળશે 4 નવી વંદે ભારત ટ્રેન, PM મોદી 8 નવેમ્બરે બતાવશે લીલી ઝંડી, ચેક કરો રુટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ સવારે 8:15 વાગ્યે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે.

Vande Bharat Express Trains: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ સવારે 8:15 વાગ્યે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો વારાણસી અને ખજુરાહો, લખનૌ અને સહારનપુર, ફિરોઝપુર અને દિલ્હી અને એર્નાકુલમ અને બેંગલુરુ વચ્ચે દોડશે. આ નવી ટ્રેનો દેશના મુખ્ય સ્થળો વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે અને પ્રાદેશિક ગતિશીલતામાં વધારો કરશે, જેનાથી દેશભરમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે.
નવી ટ્રેન વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહોને જોડશે
વારાણસી-ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસ આ રૂટ પર સીધી કનેક્ટિવિટી સ્થાપિત કરશે, જે હાલમાં કાર્યરત વિશેષ ટ્રેનોની તુલનામાં લગભગ 2 કલાક અને 40 મિનિટ બચાવશે. વારાણસી-ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસ ભારતના કેટલાક સૌથી આદરણીય ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો, જેમાં વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહોનો સમાવેશ થાય છે તેને જોડશે.
લખનૌ-સહારનપુર વંદે ભારત એક્સપ્રેસનો રૂટ શું હશે ?
લખનૌ-સહારનપુર વંદે ભારત એક્સપ્રેસ લગભગ 7 કલાક અને 45 મિનિટમાં મુસાફરી પૂર્ણ કરશે, જેનાથી લગભગ 1 કલાકનો મુસાફરી સમય બચશે. લખનૌ-સહારનપુર વંદે ભારત એક્સપ્રેસ લખનૌ, સીતાપુર, શાહજહાંપુર, બરેલી, મુરાદાબાદ, બિજનૌર અને સહારનપુરના મુસાફરોને નોંધપાત્ર ફાયદો પહોંચાડશે, અને રૂડકી થઈને હરિદ્વાર સુધીની પહોંચમાં પણ સુધારો થશે.
ફિરોઝપુર-દિલ્હી રૂટ પર દોડનારી સૌથી ઝડપી ટ્રેન
ફિરોઝપુર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન હશે. જે ફક્ત 6 કલાક અને 40 મિનિટમાં તેની મુસાફરી પૂર્ણ કરશે. ફિરોઝપુર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ રાષ્ટ્રીય રાજધાની અને પંજાબના મુખ્ય શહેરો ફિરોઝપુર, ભટિંડા અને પટિયાલા વચ્ચે જોડાણને મજબૂત બનાવશે.
Hon'ble PM Shri @narendramodi will be inagurating the new vande bharat service between ernakulam and bengaluru on 8'th of november 2025 at 8am. This will Reduce Travel Time, Enhance Regional Mobility, and Promote Tourism and Trades in the region. A successful trial run was… pic.twitter.com/WoMirZdGPd
— DRM Thiruvananthapuram (@drm_tvc) November 6, 2025
એર્નાકુલમ-બેંગલુરુ રૂટ પર 2 કલાક બચશે
દક્ષિણ ભારતમાં એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત ટ્રેન મુસાફરીના સમયમાં 2 કલાકથી વધુ ઘટાડો કરશે. જે 8 કલાક અને 40 મિનિટમાં મુસાફરી પૂર્ણ કરશે. એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ મુખ્ય આઇટી અને વાણિજ્યિક કેન્દ્રોને જોડશે, જે વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી વિકલ્પો પ્રદાન કરશે. આ માર્ગ કેરળ, તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે આર્થિક પ્રવૃત્તિ અને પર્યટનને વેગ આપશે, પ્રાદેશિક વિકાસ અને સહયોગને પ્રોત્સાહન આપશે.





















