શોધખોળ કરો

કાશી વિશ્વનાથ અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે પુરાતત્ત્વ સર્વેક્ષણને કોર્ટે આપી મંજૂરી, સરકાર ઉઠાવશે સર્વેનો ખર્ચ

કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે પુરાતત્ત્વીય સર્વેને કોર્ટે મંજૂરી આપી દીધી છે. કોર્ટે સર્વે કર્યા બાદ માહિતી રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

વારાણસી: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે (Kashi Vishwanath and gyanvapi mosque case) પુરાતત્ત્વ સર્વેક્ષણનો નિર્ણય આવી ગયો છે. કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે પુરાતત્ત્વીય સર્વેને કોર્ટે મંજૂરી આપી દીધી છે. સાથે સર્વેનો તમામ ખર્ચો સરકાર ઉઠાવશે તેવો નિર્ણય પણ કોર્ટે સંભળાવ્યો છે.  વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી થઈ હતી. 

આ પહેલા 2 એપ્રિલના રોજ થયેલી સુનાવણી દરમિયાન બંને પક્ષો દ્વારા ચર્ચા બાદ નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. કોર્ટે સર્વે કર્યા બાદ માહિતી રજૂ કરવાનો આદેશ આપ્યો છે.


 શ્રી કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્ચિદ મામલે 2019 ડિસેમ્બરથી પુરાતત્તવી સર્વેક્ષણ કરવાને લઈને કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો હતો. વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ આશુતોષ તિવારીએ કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્ચિદ મામલે મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે.  વારાણસી ફાસ્ટ ટ્રેક કોર્ટના ન્યાયાધીશ આશુતોષ તિવારીએ સર્વે કરીને સર્વે રજૂ કરવા આદેશ આપ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2019 માં એડવોકેટ વિજય શંકર રસ્તોગીએ સિવિલ જજની કોર્ટમાં સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વર તરફથી એક અરજી કરી હતી. ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા સંપૂર્ણ જ્ઞાનવાપી પરિસરની સર્વે કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વરના 'વાદ મિત્ર' તરીકે અરજી કરી હતી.


તેના બાદ જાન્યુઆરી 2020 માં, અંજુમન ઈંતજામિયા મસ્જિદ સમિતિએ જ્ઞાનવાપી મસ્જિદ અને પરિસરમાં એએસઆઈ સર્વેની માંગ પર  વળતો વિરોધ નોંધાવ્યો હતો. 1991માં પ્રથમ વખત જ્ઞાનવાપી પૂજાની પરવાનગી માટે સ્વયંભૂ જ્યોતિર્લિંગ ભગવાન વિશ્વેશ્વર વતી વારાણસી સિવિલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.


અરજીકર્તાએ શું કર્યો દાવો ?

અરજદારે દાવો કર્યો હતો કે, કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણ આશરે 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ મુગલ સમ્રાટ ઔરંગઝેબે 1664 માં મંદિરનો નાશ કર્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે, તેના અવશેષોનો ઉપયોગ એક મસ્જિદ બનાવવા માટે કરવામાં આવ્યો હતો જે મંદિરની જમીન પર બાંધેલી જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાય છે. અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે મંદિરની જમીનમાંથી મસ્જિદને હટાવવા અને મંદિરના ટ્રસ્ટને તેનો કબજો પાછો આપવાનો નિર્દેશ  કરવામાં આવે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget