શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Covid Cases India: ભારતમાં 227 દિવસ પછી કોરોનાના નોંધાયા આટલા બધા કેસ, જાણો આંકડો

India covid update: દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે.અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 533361 લોકોના મોત થયા છે.

India Corona Cases:  દેશમાં ફરી એક વખત કોરોના કેસ વધવા લાગ્યા છે. ભારતમાં 227 દિવસ પછી કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 841 નવા કેસ નોંધાયા છે. ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4039 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 44475602 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે કોરોનાથી કુલ 533361 લોકોના મોત થયા છે.


Covid Cases India: ભારતમાં 227 દિવસ પછી કોરોનાના નોંધાયા આટલા બધા કેસ, જાણો આંકડો

ગુજરાતમાં કેટલા છે કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા નવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 66 પર પહોંચી છે  જ્યારે 13 દર્દીઓ એવા છે જેમણે કોરોનાને મ્હાત આપી રિકવર થયા છે.

એડવાઈઝરી કરવામાં આવી છે જાહેર

આરોગ્ય વિભાગે લોકોને એડવાઈઝરી જારી કરીને સાવચેત રહેવા અપીલ કરી છે. જો શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અને કોરોના ટેસ્ટ કરાવવા સૂચના આપવામાં આવી છે. લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને તમામ નિવારક પગલાં અપનાવવા પણ કહેવામાં આવ્યું છે.

નિષ્ણાતો શું કહે છે

નિષ્ણાતો કહે છે કે JN.1 પ્રકાર ચેપી છે, તેથી આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ આ પ્રકાર ન તો ખતરનાક છે અને ન તો જીવલેણ છે. એપિડેમિયોલોજિસ્ટ ડૉ. અજય કુમાર કહે છે કે આગામી દિવસોમાં કોવિડના નવા કેસો થોડા દિવસો સુધી વધી શકે છે, પરંતુ ગભરાવાની કોઈ વાત નથી. જો કેસ વધે તો પણ કોઈ ગંભીર ખતરો નથી. આ એટલા માટે છે કારણ કે કોવિડ ગંભીર લક્ષણોનું કારણ નથી. નવા વેરિઅન્ટના કેસ વધી રહ્યા હોવા છતાં તે જીવલેણ નથી. JN.1 વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ છે અને તેના લક્ષણો લગભગ સમાન છે. તેથી, ચિંતા કરવાની જરૂર નથી, તેમ છતાં સાવચેતીની જરૂર છે. વૃદ્ધો, ક્રોનિક રોગના દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સિઝનમાં બહાર જવાનું ટાળો અને જો તમે બહાર જતા હોવ તો માસ્ક અવશ્ય પહેરો.

પીક ક્યારે આવશે?

એપિડેમિયોલોજિસ્ટ ડૉ. જુગલ કિશોર કહે છે કે દેશમાં કોવિડની પીક જાન્યુઆરીના બીજા સપ્તાહમાં અપેક્ષિત છે, જોકે કેટલાક રાજ્યોમાં તેનો સમય અલગ હોઈ શકે છે. પરંતુ જાન્યુઆરીથી કેસમાં ઘટાડો થવાની ધારણા છે. પરંતુ ત્યાં સુધી એલર્ટ રહેવાની અને કોવિડથી પોતાને બચાવવાની જરૂર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget