શોધખોળ કરો
Advertisement
ભારતમાં ક્યારે આવી જશે કોરોનાની રસી ? જાણો એઈમ્સના ડિરેક્ટરે કરી શું મોટી જાહેરાત ?
ભારતમાં કોરોનાની રસી ક્યારે ઉપલબ્ધ થશે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.
નવી દિલ્હી: બ્રિટનમાં કોરોના વાયરસની વેક્સિન ફાઇઝરના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે અને આ આગામી અઠવાડિયાથી ઉપલબ્ધ થશે. ભારતમાં કોરોનાની રસી ક્યારે ઉપલબ્ધ થશે તેને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં પણ ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની શરૂઆતમાં વેક્સિન મળવાની આશા છે.
એઇમ્સના ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યું- ભારતીય રેગ્યુલેટર જલ્દીથી આપી શકે છે મંજૂરી. એઈમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, વેક્સિન સમગ્ર રીતે સેફ છે અને સેફ્ટીથી કોઇ સમાધાન નહીં કરવામાં આવે. તેમણે જણાવ્યું કે, તેમને આશા છે કે, આ મહિનાના અંતથી લઇને આગામી મહિનાની શરૂઆતમાં કોવિડ-19 વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે.
એઈમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, અમારી પાસે એવી વેક્સિન છે જે ટ્રાયલના અંતિમ સ્ટેજમાં છે. આશા છે કે, ભારતીય નિયામક આના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દેશે. ત્યારબાદ આપણે લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરશું. તેમણે કહ્યું, અમારી પાસે આ વાતને સાબિત કરવા માટે વધુ ડેટા છે કે આ વેક્સિન સેફ છે. વેક્સિન સેફ્ટીથી કોઇ સમાધાન નહીં કરવામાં આવે.
ગુલેરિયાએ જણાવ્યું કે, 70-80 હજાર વાલંટિયર્સને આ વેક્સિન આપવામાં આવી છે અને કોઇપર આ વેક્સિનના ગંભીર પરિણામ જોવા નથી મળ્યા અને વેક્સિન સેફ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement
for smartphones
and tablets
and tablets