શોધખોળ કરો

'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ

CR Patil Jal Shakti Minister: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે 2047 સુધીમાં દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવાના સરકારના લક્ષ્ય અને 'હર ઘર જળ' યોજનાની સફળતા વિશે વિસ્તૃત ચર્ચા કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મંત્રી પાટીલે આવનારી પેઢીઓ માટે પાણી બચાવવા ભાર મૂક્યો.
  • દેશમાં વધતી જરૂરિયાત સામે, પાણી સંગ્રહ ક્ષમતા ખૂબ ઓછી છે.
  • 'હર ઘર જળ' યોજનાથી 16 કરોડ ઘરોને નળ કનેક્શન અપાયા.
  • આ યોજનાથી મહિલાઓના કરોડો કલાકો બચ્યા, આજીવિકા વધી.

CR Patil Jal Shakti Minister: નવી દિલ્હીમાં આયોજિત એબીપી નેટવર્કના 'ઇન્ડિયા@2047' કોન્ક્લેવમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે દેશની જળ સુરક્ષા અને 'હર ઘર જળ' યોજના અંગે મહત્વની વાતો કરી છે. આખા દેશને એક મજબૂત સંદેશ આપતા તેમણે કહ્યું કે, લોકો પોતાની આવનારી 7 પેઢીઓ માટે સંપત્તિ તો ભેગી કરે છે, પણ ભવિષ્ય માટે પાણી બચાવવાનો કોઈ વિચાર કરતું નથી. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં પાણીની સમસ્યા હલ કરવા માટે થઈ રહેલા ઐતિહાસિક કામો, ભવિષ્યની જરૂરિયાતો અને 'જલ જીવન મિશન'ના કારણે મહિલાઓના બચેલા અમૂલ્ય સમય વિશે પણ માહિતી આપી હતી.

જન્મથી લઈને મૃત્યુ સુધી પાણી જરૂરી છે

જળ સંરક્ષણના મહત્વ પર ભાર મૂકતા પાટીલે કહ્યું કે, જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક તબક્કે માણસને પાણીની જરૂર પડે છે. અરે, જો આપણે કોઈ સંકલ્પ લેવો હોય તો પણ હાથમાં પાણી લેવું પડે છે! દેશમાં પાણીનો વપરાશ સતત વધી રહ્યો છે, પરંતુ અગાઉ યોગ્ય આયોજન અને માળખાગત સુવિધાઓના અભાવે બહુ મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ જે કામ દાયકાઓ સુધી નહોતું થઈ શક્યું, તે પીએમ મોદીના નેતૃત્વમાં સરકારે માત્ર થોડા જ વર્ષોમાં કરી બતાવ્યું છે.

પાણીની ઉપલબ્ધિ જાણે બેંકની ફિક્સ ડિપોઝિટ (FD)

આંકડાકીય માહિતી આપતા મંત્રીએ સમજાવ્યું કે, ભારતમાં દર વર્ષે આશરે 4000 VCM વરસાદ પડે છે, જેમાંથી લગભગ 2000 VCM જેટલું પાણી તો જંગલો જ શોષી લે છે. અત્યારે આપણી જરૂરિયાત 1120 VCM છે, જે 2047 સુધીમાં વધીને 1180 VCM થઈ જશે. ચિંતાની વાત એ છે કે દેશમાં 6500 જેટલા ડેમ હોવા છતાં આપણી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા માત્ર 750 VCM છે. પાટીલે આને બેંકની ફિક્સ ડિપોઝિટ (FD) સાથે સરખાવતા કહ્યું કે, "જો તમે FD વારંવાર તોડતા રહો અને વાપરતા રહો, તો ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થવાની જ છે."

જોકે, તેમણે ખુશી વ્યક્ત કરી કે જ્યારે પણ પીએમ મોદીએ 'જળ ભાગીદારી'ની અપીલ કરી છે, ત્યારે આખા દેશે સાથ આપ્યો છે. લોકોએ જાતે જ જળ સંરક્ષણના કામોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું માતબર યોગદાન આપ્યું છે.

'હર ઘર જળ' યોજના અને 1.5 લાખ કરોડનું બજેટ

2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય અંગે વાત કરતા તેમણે કહ્યું કે, આ માટે દરેક ઘરમાં પાણી હોવું ખૂબ જ જરૂરી છે. 'હર ઘર જળ' યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 16 કરોડ ઘરોમાં નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે, જ્યારે 3 કરોડ ઘરોનું કામ હજુ બાકી છે. આ બાકીનું કામ પૂરું કરવા માટે પીએમ મોદીએ 1.5 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેમાંથી આ વર્ષે 67000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ યોજના 2028 સુધીમાં પૂરી કરવાનો ટાર્ગેટ છે, પણ સરકાર તેને વહેલી પૂરી કરવા પ્રયત્નશીલ છે.

યોજનાના અમલીકરણમાં થયેલી ગેરરીતિઓ વિશે બોલતા તેમણે કબૂલ્યું કે જ્યાં પણ ભૂલો થઈ હતી તે સુધારવામાં આવી છે અને બેદરકારી દાખવનાર 17000 અધિકારીઓ સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે.

મહિલાઓના 5.5 કરોડ કલાકો બચ્યા

'જલ જીવન મિશન'થી સમાજ પર પડેલા પ્રભાવ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, પહેલાંના સમયમાં 9 કરોડ જેટલી મહિલાઓને પાણી ભરવા માટે લાંબા અંતર સુધી ચાલીને જવું પડતું હતું. આ કામમાં તેમના લગભગ 5.5 કરોડ કલાકો વેડફાઈ જતા હતા. આજે ઘરઆંગણે પાણી આવવાથી આ સમય બચ્યો છે, જેનો ઉપયોગ મહિલાઓ પોતાની આજીવિકા કમાવવા અને પરિવારની આવક વધારવા માટે કરી રહી છે. આ યોજનાના ફાયદા હવે આખા દેશમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

Frequently Asked Questions

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે પાણીના સંરક્ષણ વિશે શું સંદેશ આપ્યો?

તેમણે કહ્યું કે લોકો પોતાની 7 પેઢીઓ માટે સંપત્તિ ભેગી કરે છે, પણ ભવિષ્ય માટે પાણી બચાવતા નથી. જન્મથી મૃત્યુ સુધી પાણી જરૂરી છે, અને તેનો વપરાશ સતત વધી રહ્યો છે.

'હર ઘર જળ' યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને અત્યાર સુધીમાં કેટલી પ્રગતિ થઈ છે?

આ યોજનાનો હેતુ 2047 સુધીમાં દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનો છે. અત્યાર સુધીમાં 16 કરોડ ઘરોને કનેક્શન મળ્યા છે, અને બાકીના 3 કરોડ માટે ₹1.5 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે.

'જલ જીવન મિશન'થી મહિલાઓને કેવી રીતે ફાયદો થયો છે?

પહેલાં 9 કરોડ મહિલાઓ પાણી ભરવામાં 5.5 કરોડ કલાક વેડફતી હતી. હવે ઘરઆંગણે પાણી મળતા આ સમય બચ્યો છે, જેનો ઉપયોગ તેઓ આજીવિકા કમાવવા અને પરિવારની આવક વધારવા માટે કરી રહી છે.

ભારતમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વિશે શું કહેવામાં આવ્યું છે?

મંત્રીએ જણાવ્યું કે ભારતમાં 6500 ડેમ હોવા છતાં, પાણી સંગ્રહ કરવાની ક્ષમતા માત્ર 750 VCM છે. તેમણે તેને બેંકની FD સાથે સરખાવી, વારંવાર વાપરવાથી ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થવાની ચેતવણી આપી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Coffee and Dehydration Myths: શું કોફી પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
Embed widget