શોધખોળ કરો
Advertisement
Coronavirus: દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 4067 નવા કેસ નોંધાયા, વધુ 73 લોકોના મૃત્યુ
દિલ્હીમાં અત્યાર સુધી કુલ 5,86,125 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 5,48,376 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના વાયરસથી દિલ્હીમાં અત્યાર સુધી કુલ 9497 દર્દીઓના મોત થયા છે.
નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. શુક્રવારે વધુ 4067 સંક્રમિત દર્દીઓની પુષ્ટી થઈ હતી. જ્યારે 4862 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 73 લોકોના કોરોનાથી મોત થયા હતા. છેલ્લા 10 દિવસમાં મૃત્યુ દર 1.92 ટકા નોંધાયો છે.
દિલ્હીમાં અત્યાર સુધી કુલ 5,86,125 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 5,48,376 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના વાયરસથી દિલ્હીમાં અત્યાર સુધી કુલ 9497 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં હાલ પોઝિટિવીટી રેટ 8.9 ટકા છે. રાજધાનીમાં હાલ 28252 એક્ટિવ દર્દી છે. તેમાંથી 16950 દર્દી હોમ આઈસોલેશનમાં છે. દિલ્હીમાં કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 5909 થઈ ગઈ છે.
દિલ્હીમાં શુક્રવારે 85003 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી 65,85,703 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion