શોધખોળ કરો

CM અરવિંદ કેજરીવાલને ઝટકો, વચગાળાની જામીન અરજી ફગાવી, કોર્ટે બીજું શું કહ્યુ?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.

દિલ્હીની લિકર પોલિસી અને તેનાથી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે અરવિંદ કેજરીવાલની સ્વાસ્થ્યના કારણોસર દાખલ કરવામાં આવેલી વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. સ્વાસ્થ્યને ટાંકીને કેજરીવાલે તપાસ માટે સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.

કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કરતી વખતે તપાસ એજન્સી EDએ કહ્યું હતું કે કેજરીવાલ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. EDનો આરોપ છે કે સતત પ્રચાર કરી રહેલા કેજરીવાલની તબિયત જ્યારે સરેન્ડર કરવાનો સમય આવ્યો ત્યારે બગડી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો જે આજે બુધવારે સંભળાવવામાં આવ્યો હતો.

બુધવારે કેજરીવાલ તેમની અરજી પર નિર્ણય સાંભળવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. ચુકાદો આપતી વખતે રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 14 દિવસ વધારી દીધી છે, એટલે કે હવે કેજરીવાલને 19 જૂન સુધી જેલમાં રહેવું પડશે. કોર્ટે સંબંધિત અધિકારીઓને જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવાના નિર્દેશ આપ્યા છે. વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ તિહાર જેલના અધિકારીઓને ન્યાયિક કસ્ટડીમાં કેજરીવાલની તબીબી જરૂરિયાતોનું ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યો છે.

હવે કેજરીવાલના વકીલોએ સંકેત આપ્યા છે કે સ્પેશિયલ કોર્ટના આદેશને ટૂંક સમયમાં દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. વિશેષ અદાલતના નિર્ણયનો અભ્યાસ કર્યા બાદ અરજી દાખલ કરવામાં આવશે.

નોંધનીય છે કે કેજરીવાલને 55 દિવસ બાદ 10 મેના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. આ પછી તે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. 21 માર્ચે તેમની ધરપકડ બાદ તે 10 દિવસ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં હતા. આ પછી 1 એપ્રિલે કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. તેઓ તિહારમાં 39 દિવસ રહ્યા હતા પરંતુ વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ તેઓ તિહાર જેલમાં ગયા અને 2 જૂને આત્મસમર્પણ કર્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Assam Flood Update: આસામમાં પૂરથી ભારે તબાહી! મૃત્યુઆંક 75 પર પહોંચ્યો, 3 લાખથી વધુ પ્રભાવિત
Assam Flood Update: આસામમાં પૂરથી ભારે તબાહી! મૃત્યુઆંક 75 પર પહોંચ્યો, 3 લાખથી વધુ પ્રભાવિત
દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ
દેશના 17 રાજ્યોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
Embed widget