શોધખોળ કરો

કોરોના પર સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન- ભારતમાં કુલ 28 કેસ નોંધાયા, સાવધાની જ બચાવ

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કોરોનાના આ 28 કોસમાં દિલ્હીમાંથી એક કેસ, અને આમાંથી ત્રણ દર્દીઓ સજા થઇ ચૂક્યા છે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસની અસર હવે ભારતમાં પણ થવા લાગી છે. કોરોના વાયરસને લઇને કોરોના હવે સરકાર હરકતમાં આવી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને માહિતી આપી છે કે ભારતમાં અત્યારુ સુધી કોરોના વાયરસના કુલ 28 કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, કોરોનાના આ 28 કોસમાં દિલ્હીમાંથી એક કેસ, અને આમાંથી ત્રણ દર્દીઓ સજા થઇ ચૂક્યા છે, જે કેરાલાના છે. હવે વિદેશમાંથી આવનારા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવશે, પહેલા માત્ર 12 દેશો માટે આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. ભારતમાં કોરોના વાયરસનો સામનો કરવા માટેની તૈયારીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે. બુધવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને વરિષ્ઠ અધિકારીઓને મળીને બેઠક કરી હતી, અને તૈયારીઓની તપાસ પણ કરી હતી. સ્વાસ્થ્ય મંત્રીએ બુધવારે જાહેરાત કરી કે અત્યાર સુધી 15 લેબ હતી, ત્યાં કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે. હવે સરકાર તરફથી વધુ 19 લેબ બનાવવામાં આવશે.
કોરોના પર સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન- ભારતમાં કુલ 28 કેસ નોંધાયા, સાવધાની જ બચાવ સ્વાસ્થ્ય મંત્રી અનુસાર ક્યાંથી કેટલા કેસો સામે આવ્યા..... - કેરાલામાં ત્રણ કેસ સામે આવ્યા, હાલ બધા ઠીક થઇ ગયા છે - દિલ્હીમાં એક કેસ નોંધાયો છે, તેના કારણે તેના 6 સંબંધીઓ પણ ઝપેટમાં આવી ગયા છે. - તેલંગાણામાં પણ એક સામે આવ્યો. - ઇટાલીથી આવેલા કુલ 17 લોકો પર કોરોના વાયરસની અસર (16 ઇટાલી + એક ભારતીય) આનો અર્થ એ કે ભારતમાં અત્યાર સુધી 7+1+17 = 25 કેસ કોરોના સાથે સંબંધિત છે. કોરોના પર સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન- ભારતમાં કુલ 28 કેસ નોંધાયા, સાવધાની જ બચાવ શું છે કોરોના વાયરસ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે. કોરોના પર સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન- ભારતમાં કુલ 28 કેસ નોંધાયા, સાવધાની જ બચાવ કોરોનાથી બચવા આ બાબતો રાખો ધ્યાનમાં 1.કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. બહારથી આવ્યા બાદ સાબુથી હાથ ધોવાનું ન ભૂલવું જોઈએ. ખાંસી દરમિયાન ટિશ્યૂ મોં પર રાખવું ને બાદમાં તેને ડસ્ટબિનમાં ફેકી દેવું. 2.હાથ ધોવા માટે સેનિટાઇઝર કે ઉચ્ચ ગુણવત્તાવાળા સાબુનો ઉપયોગ કરો. 20 સેંકડ સુધી હાથ પર સાબુ કે સેનિટાઇઝર લગાડી રાખવું જોઈએ. જે બાદ સ્વચ્છ કપડાંથી હાથ લૂછવા જોઈએ કે ડ્રાયરથી હાથ સુકવવા જોઈએ. 3. ઘરથી બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાનું ન ભૂલો. 4. ઈન્કેક્ટેડ કે અજાણી વ્યક્તિના વધારે સંપર્કમાં આવવાની કોશિશ ન કરો. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવ્યા બાદ સાબુથી સારી રીતે ધોઈ નાંખો. 5. બજારમાંથી ખરીદેલા કોઈપણ ખાદ્ય પદાર્થને કાચા ન ખાવ. માંસ કે લીલી શાકભાજી ખાતા પહેલા સારી રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ. 6. જો તમે શરદી, ખાંસી, તાવ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરો. આંખ, નાક કે મોં પર વારંવાર હાથ લગાવવાથી બચો. 7. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિત રીતે પાલન કરો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM: બિહારના નવા મુખ્યમંત્રી કોણ? જાણો ક્યાં નામો પર થઈ રહી છે ચર્ચા 
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
Bihar CM Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજયસભા માટે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યાં ઉપસ્થિત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Childhood Obesity In India: સાવધાન! ચીન પછી હવે ભારતનો નંબર, કેમ ઝડપથી મેદસ્વી બની રહ્યા છે આપણા બાળકો?
Childhood Obesity In India: સાવધાન! ચીન પછી હવે ભારતનો નંબર, કેમ ઝડપથી મેદસ્વી બની રહ્યા છે આપણા બાળકો?
Iran Israel War: ઈરાન પર હુમલાની ભારત પર માઠી અસર, અનેક વસ્તુઓ થઈ મોંઘી,ગુજરાતનો આ ઉદ્યોગ બંધ થવાને આરે
Iran Israel War: ઈરાન પર હુમલાની ભારત પર માઠી અસર, અનેક વસ્તુઓ થઈ મોંઘી,ગુજરાતનો આ ઉદ્યોગ બંધ થવાને આરે
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
Embed widget