શોધખોળ કરો

મહાકુંભમાં આખરે કયા કારણે મચી ગઇ હતી નાસભાગ, પ્રત્યક્ષદર્શી જણાવી હકીકત, 13 આખાડાઓએ સ્નાન ન કરવાનો કર્યો નિર્ણય

Mahakumbh stampede:ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળા દરમિયાન બુધવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે એક ઘાટ પર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થઈ શકે છે અને 10 લોકોના મોતની આશંકા છે.

Mahakumbh stampede:પ્રયાગરાજ શહેરના એક ડોક્ટરે નામ જાહેર ન કરવાની શરતે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ છે.જો કે, વહીવટીતંત્રે હજુ સુધી કોઈના મોતની સત્તાવાર પુષ્ટી કરી નથી. દરમિયાન, સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે ટેલિફોન પર વાત કરી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે.

કેવી રીતે ઘટી સમગ્ર દુર્ઘટના

મૌની અમાવસ્યા નિમિત્તે મંગળવારે મોડી સાંજથી શાહી સ્નાન ચાલી રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના બની હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, અચાનક મહિલા ભીડમાં શ્વાસ ઘુટાવવાથી બેભાન થઇ જતકાં ભીડે બેરેકેટ તોજીને  ઘાટ પર બેઠેલા લોકો પર ચઢી આવી હતી જેના કારણે અનેક લોકો ઘાયલ થયા અને 10થી વધુના મોતની પણ આશંકા છે.

 

સંગમના કિનારે નાસભાગની ઘટના બાદ તમામ અખાડાઓએ અમૃતમાં સ્નાન કરવાનો ઇનકાર કરી દીધો છે. બધા અખાડા રસ્તામાં પોતપોતાની છાવણીમાં પાછા ફર્યા. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ શ્રી મહંત રવિન્દ્ર પુરીએ કહ્યું કે અકસ્માત બાદ અખાડાઓ અમૃતસ્નાન કરશે નહીં.

અખાડા પરિષદના પ્રમુખની જાહેરાત બાદ, મહાનિર્વાણ અખાડાએ તેનું સરઘસ અધવચ્ચે પાછું ખેંચી લીધું અને છાવણીમાં પરત ફર્યું, જ્યારે જુના અખાડાએ પણ તેનું સરઘસ છાવણીમાં પાછું બોલાવ્યું. અકસ્માતની માહિતી મળ્યા બાદ અંજલિ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર કૈલાશનંદ ગિરી પણ છાવણી પહોંચ્યા હતા. સંગમ કાંઠે થયેલા અકસ્માત બાદ અખાડાઓએ અમૃતસ્નાન ન લેવાની જાહેરાત કરી છે. મહામંડલેશ્વર અને સંતોના બધા રથ પરત  ફર્યા છે.

ઉલ્લેખનિય છે કે, મૌની અમાસ હોવાથી આજના સ્નાનનું વિશેષ મહત્વ છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળું અમૃત સ્નાન સંગમ ઘાટે કરવા માટે ઉમટ્યાં હતા. જેના કારણે બેરેકેટ તોડીને ભીડ બેકાબૂ બની હતી. ભીડના કારણે કેટલાક લોકો બેભાન થયા હતા. ઘાયલોમાં મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે. દુર્ઘટના બાદ પણ કુંભમાં આવનાર શ્રદ્ધાળુની સંખ્યામાં વધી રહી છે. પીએમ મોદીએ સીએમ યોગી સાથે એક કલાકમાં બે વખત વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશનને સઘન કરવા માટે અને સ્થિતિ પૂર્વવત કરવાના આદેશ આપ્યાં છે. 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Makar Sankranti 2026: મકરસંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Makar Sankranti 2026:મકરસંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
Makar Sankranti 2026: મકરસંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Makar Sankranti 2026:મકરસંક્રાંતિ બાદ ફરી ક્યારે ગૂંજશે લગ્નની શરણાઈ, જાણો શુભ કાર્યાનો શુભ મુહૂર્ત
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ
Tata Nexon અને MG Windsor ઇલેક્ટ્રિક SUVને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવી Mahindra XUV 3XO EV, જાણો કિંમત અને ફીચર્સ
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
2026 Holidays ની યાદી આવી સામે, જાણો કયા દેશના લોકોને મળશે સૌથી વધુ રજાઓ, કયા ક્રમે છે ભારત
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Embed widget