શોધખોળ કરો

Earthquake In Uttarkashi: ઉત્તરાખંડના ઉત્તરાકાશીમાં ભૂકંપના ઝટકા, જોશીમઠથી માત્ર 250 કીમી દુર કેન્દ્ર બિન્દુ

ભૂકંપનું કેન્દ્ર 240 કીમી દુર હતુ, જોકે, ઝટકો તીવ્ર ન હતો, પરંતુ ડર ચે કે જોશીમઠની દબાતી જમીનને આ ઝટકો ક્યાંક વધુ નુકશાન ના પહોંચાડે. 

Earthquake In Uttarkashi: ઉત્તરાખંડના ઉત્તરાકાશીની ઉપરથી આપદા હટવાનુ નામ નથી લઇ રહી. ગુરુવાર- શુક્રવારની રાત્રે 2.12 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા, રિએક્ટર સ્કેમ મેપ પર ભૂંકપની તીવ્રતા 2.9 માપવામાં આવી. 

ભૂકંપનું કેન્દ્ર 240 કીમી દુર હતુ, જોકે, ઝટકો તીવ્ર ન હતો, પરંતુ ડર ચે કે જોશીમઠની દબાતી જમીનને આ ઝટકો ક્યાંક વધુ નુકશાન ના પહોંચાડે. 

જોશીમઠની જમીન પહેલાથી જ ધરતીમાં દબાઇ રહી છે. ભૂંઘસારાના કારણે 760 ઘરો એવા ચિન્હિત કરવામાં આવ્યા છે, જેમાં આંશિક રીતે કે ગંભીર રીતે તિરાડો પડી ગઇ છે. આમાં કેટલાય ભવનો ગંભીર સ્થિતિમાં છે જેના કારણે તેને તોડવામાં આવશે. આવામાં ભૂકંપના ઝટકા આવ્યા બાદ લોકોમાં ડર પેદા થઇ ગયો છે, કે પહેલાથી જ કમજોર ઘરોને આ ભૂંકપના ઝટકા વધુ નુકશાન ના પહોંચાડી દે.

 

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન - 

Joshimath Sinking: ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનની વાત પીએમઓ સુધી પહોંચી છે. વડા પ્રધાન મોદીના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રાની અધ્યક્ષતામાં રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે. તેમાં પીએમઓમાં કેબિનેટ સચિવ અને ભારત સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો પણ પરિસ્થિતિની સમીક્ષા કરશે. માહિતી અનુસાર, જોશીમઠ જિલ્લાના પદાધિકારીઓ અને ઉત્તરાખંડ સરકારના વરિષ્ઠ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં જોડાશે.

જમીન પર પડી રહી છે સતત તિરાડો 

જોશીમઠ હિન્દુઓ માટે પણ પવિત્ર ધાર્મિક સ્થળ છે. અહીં બદ્રીનાથનું મંદિર આવેલું છે. કેટલાક દિવસોથી લોકોના ઘરો અને રસ્તાઓમાં તિરાડો જોવા મળી રહી છે, જે સતત વધી રહી છે. બીજી તરફ મારવાડી વિસ્તારમાં જમીનમાંથી પાણી નીકળવા લાગ્યું છે. એવું માનવામાં આવે છે કે જોશીમઠ શહેર ડૂબી રહ્યું છે અને આ બધી વસ્તુઓ કોઈ મોટી દુર્ઘટનાના સંકેત છે. આવી સ્થિતિમાં અહીં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે

ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નિષ્ણાતોની એક પેનલ જોશીમઠને મોકલી હતી, જેણે રાજ્ય સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનાગ્રસ્ત મકાનોને તોડી પાડવામાં આવે અને અહીં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ પરિસ્થિતિનો તાગ મેળવવા જોશીમઠ પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે ચમોલીના જોશીમઠથી શરૂ થયેલ ભૂસ્ખલનની અસર કર્ણપ્રયાગ સુધી જોવા મળી રહી છે. અહેવાલો કહે છે કે કર્ણપ્રયાગમાં લગભગ પચાસ ઘરોમાં પણ તિરાડો દેખાઈ રહી છે. અહીંના લોકોએ પણ સરકારને મદદની અપીલ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ ગંદુ પાણી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વધુ પડતા બાંધકામને કારણે પર્વતની ટોચ પરથી આવતા પાણીનો રસ્તો બંધ થઈ ગયો હતો. વરસાદનું ઘણું પાણી જમીનની અંદર એકઠું થયું છે, જે તેને ખોખલું બનાવી રહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget