શોધખોળ કરો

EC : ચૂંટણી પંચનો AAPને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો,  શરદ પવાર અને મમતાને જોરદાર આંચકો

ચૂંટણી પંચે આજે મહત્વનો નિર્ણય લેતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે.

ચૂંટણી પંચે આજે મહત્વનો નિર્ણય લેતા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપ્યો છે. તો બીજી બાજુ શરદ પવાર, મમતા બેનરજી સહિતના કેટલાક દિગ્ગજ રાજકીય પક્ષોના નેતાઓને ચૂંટણી પંચે જોરદાર આંચકો આપ્યો છે. ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ (TMC), CPI અને શરદ પવારની NCP પાસેથી રાષ્ટ્રીય પક્ષોનો દરજ્જો પાછો લઈ લીધો છે.  ચૂંટણી પંચે સોમવારે સાંજે આ બાબતેની જાહેરાત કરી હતી.

થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટી (AAP) એ રાષ્ટ્રીય પાર્ટી તરીકે માન્યતા મેળવવા માટે કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, વિલંબના કારણે તેમની ચૂંટણી લડવાની ક્ષમતામાં અવરોધ આવી રહ્યો છે. હવે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. તો શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. પૂર્વોત્તર રાજ્યોમાં હાર બાદ એનસીપી પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ ગયો છે.

લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાન) ને નાગાલેન્ડમાં રાજ્ય પક્ષનો દરજ્જો મળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ બંગાળ અને ત્રિપુરામાં રાજ્ય સ્તરીય પાર્ટીનો દરજ્જો જાળવી રાખશે. ટીપ્રા મોથા પાર્ટીને ત્રિપુરામાં રાજ્ય પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. બીઆરએસને આંધ્રપ્રદેશમાં રાજ્ય પક્ષ તરીકે અમાન્ય કરવામાં આવ્યું છે.

ભારતના ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોકદળનો રાજ્ય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. to પશ્ચિમ બંગાળમાં રાજ્ય પક્ષ તરીકે ક્રાંતિકારી સમાજવાદી પક્ષને રદ કર્યો. મેઘાલયમાં વોઈસ ઓફ ધ પીપલ પાર્ટીને રાજ્યની પાર્ટી તરીકે માન્યતા આપવામાં આવી હતી.

શું છે રાષ્ટ્રીય પક્ષના દરજ્જાના માપદંડો? 

હકીકતમાં 2016માં ચૂંટણી પંચે રાષ્ટ્રીય પક્ષના હોદ્દાઓની સમીક્ષા માટેના નિયમોમાં ફેરફાર કર્યો હતો. હવે સમીક્ષા 5ના બદલે 10 વર્ષમાં કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે, કોઈપણ રાષ્ટ્રીય પક્ષ માટે તે જરૂરી છે કે, તેના ઉમેદવારોને દેશના ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં 6 ટકાથી વધુ મતો મળ્યા હોવા જોઈએ. જ્યારે લોકસભામાં ઓછામાં ઓછા ચાર સાંસદો પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હોવા જોઈએ.

જો કે પંચે 2019માં જ ટીએમસી, સીપીઆઈ અને એનસીપીની રાષ્ટ્રીય પાર્ટીની સમીક્ષા કરવાની હતી. પરંતુ તે પછી આયોગે આગામી રાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સમીક્ષા કરી ન હતી. હકીકતમાં ચૂંટણી પ્રતીક ઓર્ડર 1968 હેઠળ તેની રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવવાથી પક્ષ દેશના તમામ રાજ્યોમાં સમાન પ્રતીક પર ચૂંટણી લડી શકશે નહીં.

અત્યારે કેટલા રાષ્ટ્રીય પક્ષો છે?

1. ભારતીય જનતા પાર્ટી (BJP)
2. કોંગ્રેસ

3. બહુજન સમાજ પાર્ટી (BSP)

4. ભારતીય સામ્યવાદી પક્ષ

5. ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી)

6. નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)

7. આમ આદમી પાર્ટી (AAP).

AAP એ ભારતનો સૌથી નવો રાષ્ટ્રીય પક્ષ છે. આ પાર્ટીને વર્ષ 2023માં એટલે કે, આજે જ રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget