શોધખોળ કરો

Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. આ દરમિયાન એકનાથ શિંદેએ પણ પ્રતિક્રિયા આપી છે.

Eknath Shinde On Kunal Kamra: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા પર કરેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ સાથે તેણે કહ્યું કે કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવેલી તોડફોડનું તેઓ સમર્થન કરતા નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.

તમને જણાવી દઈએ કે કુણાલ કામરાએ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓએ કહ્યું છે કે તેઓ કોઈપણ કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છે.

'બીબીસી'ને આપેલા ઈન્ટરવ્યુમાં એકનાથ શિંદેએ કહ્યું કે, કુણાલ કામરાએ માત્ર તેમના વિશે જ નહીં પરંતુ ઘણા મોટા નેતાઓ વિશે અપમાનજનક અને કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, "અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ બધું કોઈની વિરુદ્ધ બોલવા માટે 'સોપારી' લેવા જેવું છે."

વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટ પર ખોટી ટિપ્પણીઓ- શિંદે

એકનાથ શિંદેએ કહ્યું, "કોઈપણ વસ્તુનો અર્થ બદલીને કોઈને ખોટું કહેવું યોગ્ય નથી.  (કુણાલ કામરા) વડા પ્રધાન વિશે, સુપ્રીમ કોર્ટ વિશે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વિશે ખૂબ ખોટું બોલ્યા છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિશે પણ અપમાનજનક વાતો કહી છે. તેમણે ઘણા ઉદ્યોગપતિઓ વિરુદ્ધ નિવેદનો પણ આપ્યા છે અને કેટલીક એરલાઇન્સ પણ કૃણાલ કામરા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

મેં કોઈ ક્રિયા પર પ્રતિક્રિયા આપી નથી - એકનાથ શિંદે

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરનાર આવા વ્યક્તિ પાછળ કોણ છે એક તરફ સરકાર સુમેળભર્યું વાતાવરણ બનાવવાની વાત કરે છે અને બીજી તરફ તેમના જ પક્ષના લોકો જઈને સ્ટુડિયો તોડી નાખે છે, શું આ વિરોધાભાસ નથી? આના પર એકનાથ શિંદેએ કહ્યું, "જુઓ, હું એક સંવેદનશીલ વ્યક્તિ છું. અને મેં ન તો કંઈ કહ્યું કે ન તો કોઈ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી. મારા પર ઘણા આરોપો લાગ્યા છે, છેલ્લા અઢી વર્ષથી આરોપો લગાવવામાં આવી રહ્યા છે."

ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું, "હું મારા કામથી આરોપોનો જવાબ આપું છું. જે લોકોએ મારા પર આરોપ લગાવ્યા હતા તેમને જનતાએ ઘરે બેસાડી દીધા, પરંતુ તેઓ હજુ સુધરી રહ્યા નથી."

'આ ક્રિયાને સમર્થન આપતું નથી'

શિંદેએ એમ પણ કહ્યું હતું કે તેઓ એ ઘટનાને સમર્થન આપતા નથી જેમાં કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરવામાં આવી હતી. જો કે, તેણે તેમના કાર્યકરોમી  ભાવનાઓ સાથે જોડી હતી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
IPL 2026: જમીન-ઘરેણા વેંચીને દીકરાને બનાવ્યો ક્રિકેટર, 14.2 કરોડમાં વેચાયેલા ખેલાડીની કહાની સાંભળશો તો રડવું આવી જશે
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
જગદગુરુ શંકરાચાર્યએ હિન્દુ-મુસ્લિમ ધર્મ પર આપ્યું મોટું નિવેદન, કહ્યું - ઇસ્લામ ગોલબંદી ધર્મ છે... સોશ્યલ મીડિયા પર મચી બબાલ
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
ઓનલાઈન ફ્રોડ થાય તો શું કરવું? આ નંબર ડાયલ કરો, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી જાણકારી
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર 
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
નાગરિકો માટે મોટું અપડેટ! હવેથી આધાર કાર્ડમાં જોવા મળશે આ મોટો બદલાવ
Embed widget