શોધખોળ કરો

Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. આ દરમિયાન એકનાથ શિંદેએ પણ પ્રતિક્રિયા આપી છે.

Eknath Shinde On Kunal Kamra: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા પર કરેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ સાથે તેણે કહ્યું કે કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવેલી તોડફોડનું તેઓ સમર્થન કરતા નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.

તમને જણાવી દઈએ કે કુણાલ કામરાએ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓએ કહ્યું છે કે તેઓ કોઈપણ કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છે.

'બીબીસી'ને આપેલા ઈન્ટરવ્યુમાં એકનાથ શિંદેએ કહ્યું કે, કુણાલ કામરાએ માત્ર તેમના વિશે જ નહીં પરંતુ ઘણા મોટા નેતાઓ વિશે અપમાનજનક અને કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, "અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ બધું કોઈની વિરુદ્ધ બોલવા માટે 'સોપારી' લેવા જેવું છે."

વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટ પર ખોટી ટિપ્પણીઓ- શિંદે

એકનાથ શિંદેએ કહ્યું, "કોઈપણ વસ્તુનો અર્થ બદલીને કોઈને ખોટું કહેવું યોગ્ય નથી.  (કુણાલ કામરા) વડા પ્રધાન વિશે, સુપ્રીમ કોર્ટ વિશે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વિશે ખૂબ ખોટું બોલ્યા છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિશે પણ અપમાનજનક વાતો કહી છે. તેમણે ઘણા ઉદ્યોગપતિઓ વિરુદ્ધ નિવેદનો પણ આપ્યા છે અને કેટલીક એરલાઇન્સ પણ કૃણાલ કામરા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

મેં કોઈ ક્રિયા પર પ્રતિક્રિયા આપી નથી - એકનાથ શિંદે

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરનાર આવા વ્યક્તિ પાછળ કોણ છે એક તરફ સરકાર સુમેળભર્યું વાતાવરણ બનાવવાની વાત કરે છે અને બીજી તરફ તેમના જ પક્ષના લોકો જઈને સ્ટુડિયો તોડી નાખે છે, શું આ વિરોધાભાસ નથી? આના પર એકનાથ શિંદેએ કહ્યું, "જુઓ, હું એક સંવેદનશીલ વ્યક્તિ છું. અને મેં ન તો કંઈ કહ્યું કે ન તો કોઈ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી. મારા પર ઘણા આરોપો લાગ્યા છે, છેલ્લા અઢી વર્ષથી આરોપો લગાવવામાં આવી રહ્યા છે."

ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું, "હું મારા કામથી આરોપોનો જવાબ આપું છું. જે લોકોએ મારા પર આરોપ લગાવ્યા હતા તેમને જનતાએ ઘરે બેસાડી દીધા, પરંતુ તેઓ હજુ સુધરી રહ્યા નથી."

'આ ક્રિયાને સમર્થન આપતું નથી'

શિંદેએ એમ પણ કહ્યું હતું કે તેઓ એ ઘટનાને સમર્થન આપતા નથી જેમાં કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરવામાં આવી હતી. જો કે, તેણે તેમના કાર્યકરોમી  ભાવનાઓ સાથે જોડી હતી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget