શોધખોળ કરો

Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. આ દરમિયાન એકનાથ શિંદેએ પણ પ્રતિક્રિયા આપી છે.

Eknath Shinde On Kunal Kamra: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા પર કરેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ સાથે તેણે કહ્યું કે કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવેલી તોડફોડનું તેઓ સમર્થન કરતા નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.

તમને જણાવી દઈએ કે કુણાલ કામરાએ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓએ કહ્યું છે કે તેઓ કોઈપણ કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છે.

'બીબીસી'ને આપેલા ઈન્ટરવ્યુમાં એકનાથ શિંદેએ કહ્યું કે, કુણાલ કામરાએ માત્ર તેમના વિશે જ નહીં પરંતુ ઘણા મોટા નેતાઓ વિશે અપમાનજનક અને કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, "અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ બધું કોઈની વિરુદ્ધ બોલવા માટે 'સોપારી' લેવા જેવું છે."

વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટ પર ખોટી ટિપ્પણીઓ- શિંદે

એકનાથ શિંદેએ કહ્યું, "કોઈપણ વસ્તુનો અર્થ બદલીને કોઈને ખોટું કહેવું યોગ્ય નથી.  (કુણાલ કામરા) વડા પ્રધાન વિશે, સુપ્રીમ કોર્ટ વિશે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વિશે ખૂબ ખોટું બોલ્યા છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિશે પણ અપમાનજનક વાતો કહી છે. તેમણે ઘણા ઉદ્યોગપતિઓ વિરુદ્ધ નિવેદનો પણ આપ્યા છે અને કેટલીક એરલાઇન્સ પણ કૃણાલ કામરા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

મેં કોઈ ક્રિયા પર પ્રતિક્રિયા આપી નથી - એકનાથ શિંદે

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરનાર આવા વ્યક્તિ પાછળ કોણ છે એક તરફ સરકાર સુમેળભર્યું વાતાવરણ બનાવવાની વાત કરે છે અને બીજી તરફ તેમના જ પક્ષના લોકો જઈને સ્ટુડિયો તોડી નાખે છે, શું આ વિરોધાભાસ નથી? આના પર એકનાથ શિંદેએ કહ્યું, "જુઓ, હું એક સંવેદનશીલ વ્યક્તિ છું. અને મેં ન તો કંઈ કહ્યું કે ન તો કોઈ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી. મારા પર ઘણા આરોપો લાગ્યા છે, છેલ્લા અઢી વર્ષથી આરોપો લગાવવામાં આવી રહ્યા છે."

ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું, "હું મારા કામથી આરોપોનો જવાબ આપું છું. જે લોકોએ મારા પર આરોપ લગાવ્યા હતા તેમને જનતાએ ઘરે બેસાડી દીધા, પરંતુ તેઓ હજુ સુધરી રહ્યા નથી."

'આ ક્રિયાને સમર્થન આપતું નથી'

શિંદેએ એમ પણ કહ્યું હતું કે તેઓ એ ઘટનાને સમર્થન આપતા નથી જેમાં કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરવામાં આવી હતી. જો કે, તેણે તેમના કાર્યકરોમી  ભાવનાઓ સાથે જોડી હતી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
15 ઓગસ્ટ પહેલાં IGI એરપોર્ટ ટર્મિનલ-3 અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget