શોધખોળ કરો

Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Kunal Kamra Controversy: કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. આ દરમિયાન એકનાથ શિંદેએ પણ પ્રતિક્રિયા આપી છે.

Eknath Shinde On Kunal Kamra: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા પર કરેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ સાથે તેણે કહ્યું કે કુણાલ કામરાની ટિપ્પણીના વિરોધમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુંબઈના સ્ટુડિયોમાં કરવામાં આવેલી તોડફોડનું તેઓ સમર્થન કરતા નથી, પરંતુ દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે.

તમને જણાવી દઈએ કે કુણાલ કામરાએ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓએ કહ્યું છે કે તેઓ કોઈપણ કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ અને કોર્ટને સહકાર આપવા તૈયાર છે.

'બીબીસી'ને આપેલા ઈન્ટરવ્યુમાં એકનાથ શિંદેએ કહ્યું કે, કુણાલ કામરાએ માત્ર તેમના વિશે જ નહીં પરંતુ ઘણા મોટા નેતાઓ વિશે અપમાનજનક અને કટાક્ષપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, "અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, અમે વ્યંગ સમજીએ છીએ, પરંતુ તેની એક મર્યાદા હોવી જોઈએ. આ બધું કોઈની વિરુદ્ધ બોલવા માટે 'સોપારી' લેવા જેવું છે."

વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટ પર ખોટી ટિપ્પણીઓ- શિંદે

એકનાથ શિંદેએ કહ્યું, "કોઈપણ વસ્તુનો અર્થ બદલીને કોઈને ખોટું કહેવું યોગ્ય નથી.  (કુણાલ કામરા) વડા પ્રધાન વિશે, સુપ્રીમ કોર્ટ વિશે, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વિશે ખૂબ ખોટું બોલ્યા છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિશે પણ અપમાનજનક વાતો કહી છે. તેમણે ઘણા ઉદ્યોગપતિઓ વિરુદ્ધ નિવેદનો પણ આપ્યા છે અને કેટલીક એરલાઇન્સ પણ કૃણાલ કામરા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

મેં કોઈ ક્રિયા પર પ્રતિક્રિયા આપી નથી - એકનાથ શિંદે

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, કાયદો અને વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરનાર આવા વ્યક્તિ પાછળ કોણ છે એક તરફ સરકાર સુમેળભર્યું વાતાવરણ બનાવવાની વાત કરે છે અને બીજી તરફ તેમના જ પક્ષના લોકો જઈને સ્ટુડિયો તોડી નાખે છે, શું આ વિરોધાભાસ નથી? આના પર એકનાથ શિંદેએ કહ્યું, "જુઓ, હું એક સંવેદનશીલ વ્યક્તિ છું. અને મેં ન તો કંઈ કહ્યું કે ન તો કોઈ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી. મારા પર ઘણા આરોપો લાગ્યા છે, છેલ્લા અઢી વર્ષથી આરોપો લગાવવામાં આવી રહ્યા છે."

ડેપ્યુટી સીએમએ વધુમાં કહ્યું, "હું મારા કામથી આરોપોનો જવાબ આપું છું. જે લોકોએ મારા પર આરોપ લગાવ્યા હતા તેમને જનતાએ ઘરે બેસાડી દીધા, પરંતુ તેઓ હજુ સુધરી રહ્યા નથી."

'આ ક્રિયાને સમર્થન આપતું નથી'

શિંદેએ એમ પણ કહ્યું હતું કે તેઓ એ ઘટનાને સમર્થન આપતા નથી જેમાં કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરવામાં આવી હતી. જો કે, તેણે તેમના કાર્યકરોમી  ભાવનાઓ સાથે જોડી હતી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget