શોધખોળ કરો
Advertisement
નોટિસ છતાં પૂર્વ સાંસદો ખાલી નથી કરી રહ્યા સરકારી મકાન
જે પૂર્વ સાંસદોએ પોતાનુ સરકારી મકાન ખાલી નથી કર્યું તેમના સરકારી મકાનના તાળા તોડવામાં આવશે અને ઘર ખાલી કરાવવામાં આવશે.
નવી દિલ્હીઃ પૂર્વ સાંસદોને ફાળવવામાં આવેલા ઘર ખાલી ન થવાના કારણે હવે સરકાર તેમને ખાલી કરાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રોના મતે જે પૂર્વ સાંસદોએ પોતાનુ સરકારી મકાન ખાલી નથી કર્યું તેમના સરકારી મકાનના તાળા તોડવામાં આવશે અને ઘર ખાલી કરાવવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી પાંચ-છ પૂર્વ સાંસદોએ પોતાના સરકારી મકાન ખાલી નથી કર્યા અને તાળા લગાવીને ચાલ્યા ગયા છે. સરકારે નિર્ણય કર્યો છે કે પંચનામા તૈયાર કરી તાળા તોડવામાં આવશે અને સામાન બહાર કઢાશે. પૂર્વ સાંસદોને અનેકવાર ઘર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી ચૂકી છે. એટલું જ નહી વિજળી અને પાણી કનેક્શન કાપી નાખવાની પણ ધમકી અપાઇ છે પરંતુ પૂર્વ સાંસદો પોતાનું સરકારી મકાન ખાલી કરતા નથી. સૂત્રોના મતે નવી લોકસભાના 76 નવા સાંસદોને સરકારી મકાન મળી શક્યું નથી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion