![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Independence Day : સ્વતંત્રતા દિવસ પર ભારતીય ઓલિમ્પિક ગ્રુપને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરશે પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને લાલ કિલ્લાના પ્રાંગણમાં આમંત્રિત કરવાની સાથે સાથે તેમને તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર બેઠક અને વાતચીત માટે પણ આમંત્રણ આપ્યું છે.
![Independence Day : સ્વતંત્રતા દિવસ પર ભારતીય ઓલિમ્પિક ગ્રુપને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરશે પીએમ મોદી exclusive pm modi to invite indian olympics squad as 15 august special guests Independence Day : સ્વતંત્રતા દિવસ પર ભારતીય ઓલિમ્પિક ગ્રુપને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરશે પીએમ મોદી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/06/4ca784646884106ead731b3f717d4613_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
15 August Special Guests: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર ખાસ મહેમાન તરીકે સમગ્ર ભારતીય ઓલિમ્પિક ટુકડીને આમંત્રિત કરશે. તેઓ તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર સમગ્ર ઓલિમ્પિક ટુકડીના દરેક સભ્ય સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરશે અને વાતચીત કરશે. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત આવું થઈ રહ્યું છે જ્યારે ઓલિમ્પિક ખેલાડીઓને લાલ કિલ્લા પર આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
15 ઓગસ્ટના રોજ, પ્રધાનમંત્રી સિવાય, મંત્રીમંડળના સભ્યો, સેનાના મુખ્ય અધિકારીઓ અને દેશના ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોને લાલ કિલ્લાની દિવાલ પર આમંત્રિત કરવામાં આવ્યા છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરાઓને તોડીને લાલ કિલ્લા પર ખેલાડીઓને આમંત્રણ આપ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓને લાલ કિલ્લાના પ્રાંગણમાં આમંત્રિત કરવાની સાથે સાથે તેમને તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર બેઠક અને વાતચીત માટે પણ આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન તેમના નિવાસસ્થાને તમામ ઓલિમ્પિક ખેલાડીઓને વ્યક્તિગત રીતે વાતચીત કરશે અને તેમના અનુભવો જાણશે. પીએમ તેમની પાસેથી તાલીમ દરમિયાન આવેલી મુશ્કેલી ખાસ કરીને કોરોના સમય દરમિયાન થયેલી સમસ્યાઓ વિશે પણ જાણશે.
તમને યાદ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને કહ્યું હતું કે જો તે મેડલ જીત્યા બાદ આવશે તો તે આઈસ્ક્રીમ ખાશે. આ પછી જ્યારે સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો ત્યારે તેના પિતા પીવી રમન્નાએ કહ્યું હતું કે હવે અમે પીએમ મોદી સાથે આઈસ્ક્રીમ ખાવા જઈશું.
એવું માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લાના પ્રાંતમાં ઓલિમ્પિક ખેલાડીઓને આમંત્રિત કરીને ખેલાડીઓને સન્માનિત કરવા જ નહીં, પણ લોકોમાં રમતગમત અંગે જાગૃતિ લાવવા માંગે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)