શોધખોળ કરો

ઉ.પ્ર વિધાનસભા ચૂંટણી માટે ABPનો સર્વે: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી યૂપીમાં પાસ કે ફેલ?

નવી દિલ્લી: ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પ્રધાનમંત્રીને જ આગળ રાખીને ચુંટણી લડવા જઇ રહી છે, અને યુપીની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ યુપીમાં રાજકીય તસવીર બલાઇ રહી છે. અને મતદારોના બદલાતા મંતવ્યોને  જાણવા માટે એબીપી ન્યૂઝે લોકનીતિ અને સીએસડીએસની સાથે મળીને એક મોટો સર્વે કર્યો છે. યુપીમાં સમાજવાદી પાર્ટી, બીએસપી, કૉંગ્રેસના સીએમ પદના ચહેરા સામે આવી ગયા છે, તો ત્યાંજ ભાજપે હજુ સુધી પોતાના પક્ષ તરફથી સીએમ પદનો ચહેરો કોણ હશે તેની જાહેરાત કરી નથી. ભાજપે હજુ સુધી પ્રધાનમંત્રી મોદી ઉપર જ વિશ્વાસ મુક્યો છે, અને ભાજપ માટે પ્રધાનમંત્રી મોદી જ યુપીમાં સૌથી મોટા સ્ટ્રેન્થ છે. ભાજપનો આ ચહેરો યુપીમાં સફળ થશે કે નહી તે જાણવા માટે ઉત્તરપ્રદેશમાં એક સર્વે કરવામાં આવ્યો છે. જેમા યુપીમાં મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ ચકાસવામાં આવ્યો છે. જેના માટે યુપીના લોકોથી પ્રધાનમંત્રી મોદી વિશે 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા.   પ્રથમ પ્રશ્ન: પ્રધાનમંત્રી તરીકે નરેંદ્ર મોદી વિશે શું વિચારો છો? શું તમે લોકો તેમના કામથી સંતુષ્ટ છો કે નથી? આ પ્રશ્નના જવાબમાં 68 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તે લોકો પ્રધાનમંત્રી મોદીના કામથી સંતુષ્ટ છે, જ્યારે 22 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તે લોકો મોદીના કામથી સંતુષ્ટ નથી.        
બીજો પ્રશ્ન- બે વર્ષથી કામ કરી રહી એનડીએ સરકારની કામગીરી કેવી લાગી? 63 ટકા લોકોએ જણાવ્યું કે તે એનડીએ સરકારની કામગીરીથી સંતુષ્ટ છે, જ્યારે 23 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ સરકારની કામગીરીથી સંતુષ્ટ નથી. ત્રીજો પ્રશ્ન:  પ્રધાનમંત્રી મોદીના અચ્છે દિનવાળા સૂત્રોચ્ચારને લઇને હતો. જેમા લોકોથી પૂછવામાં આવ્યું કે, શું પીએમ મોદી સારા દિવસો લાવવામાં નિષ્ફળ રહ્યા છે? આ પ્રશ્નના જવાબમાં 52 ટકા લોકોએ જણાવ્યું કે મોદી સારા દિવસો લાવવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 32 ટકા લોકો જણાવ્યું કે મોદી સારા દિવસો લાવવામાં સફળ રહ્યા છે. આ જ પ્રશ્ન યૂપીના દલિત વોટરોને પણ પૂછવામાં આવ્યું, જેમા 55 ટકા દલિતોએ જણાવ્યું કે મોદી સારા દિવસો લાવવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 23 ટકા લોકોએ જણાવ્યું કે મોદી સારા દિવસો લાવવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે યુપીમાં 21-22 ટકા દલિત મતદારો છે. ઓબીસી મતદારો પછી દલિતોની સંખ્યા વધારે છે. અને 55 ટકા દલિતોએ મોદીને સારા દિવસો લાવવામાં નિષ્ફળ ગણાવ્યા છે, તો મોદી અને ભાજપ બંન્ને માટે યૂપીની ચુંટણીમાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા છે. આ સર્વે 23 જુલાઇથી લઇને 7 ઓગસ્ટ વચ્ચે યુપીના 403 માંથી 65 વિધાનસભાની બેઠકો પર કરવામાં આવ્યું હતું. જેમા 256 પોલિંગ બૂથ શામેલ હતા અને તેમાં 4452 વોટરોના મંતવ્ય લેવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget