શોધખોળ કરો
Advertisement
પ્રધાનમંત્રી ઉજ્જવલ ફાયનાન્સ યોજના હેઠળ મળી રહી છે લોન પણ ચૂકવવી પડશે 3200 રૂપિયા પ્રોસેસિંગ ફી ? મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇને કોઇ વસ્તુ વાયરલ થતી હોય છે. જેમાંથી ઘણી વસ્તુઓ ભ્રામક હોય છે. હાલ એક લેટર વિવિધ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલ ફાયનાન્સ યોજના હેઠળ લોન આપવામાં આવી રહી છે અને આ માટે 3,200 રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.
પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે તેના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું,આ લેટર ફેક છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ સ્કીમ ચલાવવામાં આવતી નથી.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.
ગુજરાતી પટેલ પરિવારને USમાં થયો એક્સિડન્ટ, માતા-પિતા બચી ગયાં પણ બંને કિશોર દીકરાનાં મોત. જાણો ક્યાંનો છે પરિવાર ?
9 મહિના બાદ આ રાજ્યમાં આજથી ફરી ખૂલશે કોલેજો, જાણો કઈ બાબતોનું કરવું પડશે પાલન
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion