શોધખોળ કરો

કૉંગ્રેસના પૂર્વ નેતાઓને BJPએ આપી મોટી જવાબદારી, જયવીર શેરગિલને બનાવાયા પ્રવક્તા

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે (2 ડિસેમ્બર) કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા જયવીર શેરગીલને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી.

BJP Appointed: ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે (2 ડિસેમ્બર) કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા જયવીર શેરગીલને રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને સુનીલ જાખરને રાષ્ટ્રીય કાર્ય સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. બંને નેતાઓ લાંબા સમયથી કોંગ્રેસમાં હતા. આ સિવાય યુપી બીજેપી અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહને પણ રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવવામાં આવ્યા છે.

પાર્ટીએ ભાજપના ઉત્તરાખંડ એકમના પૂર્વ અધ્યક્ષ મદન કૌશિક, પાર્ટીના છત્તીસગઢ એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ વિષ્ણુદેવ સાંઈ અને ભાજપના પંજાબ એકમના ભૂતપૂર્વ અધ્યક્ષ મનોરંજન કાલિયાને રાષ્ટ્રીય કાર્ય સમિતિના વિશેષ આમંત્રિત સદસ્ય બનાવ્યા છે. પાર્ટીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.  

જયવીર શેરગીલે કોંગ્રેસ કેમ છોડી?

ઓગસ્ટ 2022માં કોંગ્રેસ છોડતી વખતે જયવીર શેરગીલે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે નેતા સતત જમીની વાસ્તવિકતાને અવગણી રહ્યા છે. પાર્ટીના નિર્ણાયકો યુવાનોની આકાંક્ષાઓ અનુસાર નિર્ણય લઈ રહ્યા નથી.


અપમાનિત કર્યા

પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે 18 સપ્ટેમ્બર 2021ના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી સ્પષ્ટ થયું કે તે પાર્ટી છોડવાના છે. લગભગ 40 દિવસ પછી, નવેમ્બર 2021 માં, તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી પણ રાજીનામું આપી દીધું. અમરિંદર સિંહે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીએ તેમનું અપમાન કર્યું છે. કેપ્ટનની લોક કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સાથે મળીને 2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ તેમની પાર્ટીને સફળતા મળી ન હતી. તેઓ પોતે પટિયાલા શહેરથી આમ આદમી પાર્ટીના અજીતપાલ સિંહ કોહલી સામે ચૂંટણી હારી ગયા હતા.

 

Gujarat Election 2022: અચાનક હવાઈ માર્ગથી ગોધરા પહોંચ્યા સીઆર પાટીલ, મીડિયાને રાખવામાં આવ્યું દૂર

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે તો બીજી તરફ બીજા તબક્કાના મતદાન પહેલા તમામ પાર્ટીઓ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો આજે પંચમહાલના ગોધરા ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઓચિંતી મુલાકાત રાજકારણ ગરમાયું છે. સીઆર પાટીલે ભાજપના સ્થાનિક હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ઇન્ચાર્જ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તમને જણાવી દઈએ કે, બીજા ચરણમાં પંચમહાલ જિલ્લામાં મતદાન યોજવાનું છે. આ બેઠકમાં જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ભાજપની સ્થિતિ અંગેની જાણકારી મેળવી તેમજ જરૂરી સૂચનો પણ સીઆર પાટીલે આપ્યા હતા. હવાઈ માર્ગે આવેલા ગોધરા આવેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે સ્થાનિક પદાધિકારીઓ સાથે 1 કલાક સુધી બેઠક કરી હતી. જો કે આ સમગ્ર બેઠકથી મીડિયાને દૂર રખાયું હતું.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એ વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું, જાણો ક્યારે યોજાશે બોર્ડની પરીક્ષા
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે મનાવ્યો T20 World Cup જીતનો જશ્ન, નતાશા નજરે ન પડતાં ફેન્સે કહ્યું...
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Embed widget