શોધખોળ કરો

Supreme : ગોધરાના ગુનેગારોને રાહત માટે અપાઈ રાજીવ ગાંધીની દલીલ પણ ગુજરાત સરકારનો સણસણતો જવાબ

તુલસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના 2017ના નિર્ણય સામે અરજીની સુનાવણી થવાની છે, જેમાં કોર્ટે 11 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી.

Godhara Case Accused Demands Relief : પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યામાં સંડોવાયેલા ગુનેગારોને આપવામાં આવેલી મુક્તિ સમાન ગોધરાના ગુનેગારોએ સુપ્રીમ કોર્ટમાં માફી માટે અપીલ કરી છે. નોંધનીય છે કે 2002માં ગોધરામાં ટ્રેનની બોગીમાં આગ લાગવાથી અયોધ્યાથી પરત ફરી રહેલા 59 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ગોધરાના ગુનેગારોની આ અરજી 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

ગોધરાના દોષિતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ જણાવ્યું હતું કે, લગભગ તમામ દોષિતોએ 16-18 વર્ષની જેલની સજા ભોગવી છે. તેમણે દલીલ કરી હતી કે, ઘણા કેસમાં ટ્રાયલ કોર્ટની સજા પર સવાલો ઉભા થયા છે. તેમણે ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો જેમાં સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને આજીવન કેદ માટે 14 વર્ષ જેલમાં વિતાવનારાઓ માટે માફી પર વિચાર કરવા જણાવ્યું હતું.

તુલસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના 2017ના નિર્ણય સામે અરજીની સુનાવણી થવાની છે, જેમાં કોર્ટે 11 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી અને બાકીની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. તેમણે કહ્યું હતું કે, આ ગુનેગારોને જામીન મળવા જોઈએ.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જીબી પારડીવાલાની બેન્ચે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે, શું આ દોષિતોને માફી આપી શકાય? જેનો જવાબ અપાતા મહેતાએ જણાવ્યું હતું કે, આ ગુનો જઘન્ય પ્રકારનો છે. ટ્રેન રોકવામાં આવી હતી, સાબરમતીના S-6 કોચમાં બહારથી પેટ્રોલ છાંટી આગ લગાડવામાં આવી હતી. ત્યાર બાદ આ ઘટનાના કાવતરાખોરો અને તેને અંજામ આપનારા લોકોએ બોગી પર પથ્થરમારો શરૂ કર્યો. જેના કારણે આ સળગતી બોગીમાં બેઠેલા મુસાફરો ટ્રેનમાંથી બહાર નીકળી શક્યા ન હતા. આટલું જ નહીં તેઓએ ફાયર એન્જિનોને પણ ટ્રેનની નજીક પહોંચતા અટકાવ્યા. જેના કારણે બાળકો અને મહિલાઓ સહિત 59 લોકોના મોત થયા હતાં. આનાથી વધુ જઘન્ય અને દુર્લભ અપરાધ કોઈ હોઈ શકે નહીં. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે તે 11 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની રાજ્ય હાઈકોર્ટ સામે પણ અરજી કરી છે.

મહેતાએ કહ્યું હતું કે, આ દોષિતો સામે TADA લાગુ કરવામાં આવ્યું છે અને તેઓ કોઈ રાહત મેળવવાના હકદાર નથી. ઉલ્લેખનીય છે કે, ગોધરા કેસમાં એક દોષિતને માનવતાના ધોરણે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. દોષિતની પત્ની કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે અને તેની બે નાની બાળકીઓનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. જેના આધારે કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો. જો કે, આ દોષિતની અરજી હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

મહેતાની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અરજદારના એડવોકેટ ઓન રેકોર્ડ અને રાજ્ય સરકારના વકીલ સ્વાતિ ઘિલડિયાલને ગોધરા કાંડના દોષિતો અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવા જણાવ્યું હતું. આ મામલે હવે ત્રણ સપ્તાહ બાદ કોર્ટમાં સુનાવણી થશે.

નોંધનીય છે કે 2017માં ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડના 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ ઉપરાંત 20થી વધુ દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી હતી. જ્યારે 63 આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
India Nuclear Weapons: ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયાર કર્યા તૈનાત, નવા રિપોર્ટથી પાક-ચીનને લાગશે 440 વૉલ્ટનો ઝટકો
India Nuclear Weapons: ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયાર કર્યા તૈનાત, નવા રિપોર્ટથી પાક-ચીનને લાગશે 440 વૉલ્ટનો ઝટકો
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
જૂનમાં મંગળ બે વાર બદલશે ચાલ: મોંઘવારીમાં આ 4 રાશિવાળા થશે માલામાલ, બેંક બેલેન્સ વધશે
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
શું PM મોદીએ મહિલાઓને સોનું વેચવાની અપીલ કરી? જાણો આ વાયરલ મેસેજનું 100% સાચું સત્ય
Embed widget