શોધખોળ કરો

Supreme : ગોધરાના ગુનેગારોને રાહત માટે અપાઈ રાજીવ ગાંધીની દલીલ પણ ગુજરાત સરકારનો સણસણતો જવાબ

તુલસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના 2017ના નિર્ણય સામે અરજીની સુનાવણી થવાની છે, જેમાં કોર્ટે 11 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી.

Godhara Case Accused Demands Relief : પૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યામાં સંડોવાયેલા ગુનેગારોને આપવામાં આવેલી મુક્તિ સમાન ગોધરાના ગુનેગારોએ સુપ્રીમ કોર્ટમાં માફી માટે અપીલ કરી છે. નોંધનીય છે કે 2002માં ગોધરામાં ટ્રેનની બોગીમાં આગ લાગવાથી અયોધ્યાથી પરત ફરી રહેલા 59 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ગોધરાના ગુનેગારોની આ અરજી 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

ગોધરાના દોષિતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ જણાવ્યું હતું કે, લગભગ તમામ દોષિતોએ 16-18 વર્ષની જેલની સજા ભોગવી છે. તેમણે દલીલ કરી હતી કે, ઘણા કેસમાં ટ્રાયલ કોર્ટની સજા પર સવાલો ઉભા થયા છે. તેમણે ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો જેમાં સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને આજીવન કેદ માટે 14 વર્ષ જેલમાં વિતાવનારાઓ માટે માફી પર વિચાર કરવા જણાવ્યું હતું.

તુલસીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટના 2017ના નિર્ણય સામે અરજીની સુનાવણી થવાની છે, જેમાં કોર્ટે 11 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી અને બાકીની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. તેમણે કહ્યું હતું કે, આ ગુનેગારોને જામીન મળવા જોઈએ.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જીબી પારડીવાલાની બેન્ચે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે, શું આ દોષિતોને માફી આપી શકાય? જેનો જવાબ અપાતા મહેતાએ જણાવ્યું હતું કે, આ ગુનો જઘન્ય પ્રકારનો છે. ટ્રેન રોકવામાં આવી હતી, સાબરમતીના S-6 કોચમાં બહારથી પેટ્રોલ છાંટી આગ લગાડવામાં આવી હતી. ત્યાર બાદ આ ઘટનાના કાવતરાખોરો અને તેને અંજામ આપનારા લોકોએ બોગી પર પથ્થરમારો શરૂ કર્યો. જેના કારણે આ સળગતી બોગીમાં બેઠેલા મુસાફરો ટ્રેનમાંથી બહાર નીકળી શક્યા ન હતા. આટલું જ નહીં તેઓએ ફાયર એન્જિનોને પણ ટ્રેનની નજીક પહોંચતા અટકાવ્યા. જેના કારણે બાળકો અને મહિલાઓ સહિત 59 લોકોના મોત થયા હતાં. આનાથી વધુ જઘન્ય અને દુર્લભ અપરાધ કોઈ હોઈ શકે નહીં. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે તે 11 લોકોની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની રાજ્ય હાઈકોર્ટ સામે પણ અરજી કરી છે.

મહેતાએ કહ્યું હતું કે, આ દોષિતો સામે TADA લાગુ કરવામાં આવ્યું છે અને તેઓ કોઈ રાહત મેળવવાના હકદાર નથી. ઉલ્લેખનીય છે કે, ગોધરા કેસમાં એક દોષિતને માનવતાના ધોરણે જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. દોષિતની પત્ની કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે અને તેની બે નાની બાળકીઓનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. જેના આધારે કોર્ટે તેને જામીન પર મુક્ત કર્યો હતો. જો કે, આ દોષિતની અરજી હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

મહેતાની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે અરજદારના એડવોકેટ ઓન રેકોર્ડ અને રાજ્ય સરકારના વકીલ સ્વાતિ ઘિલડિયાલને ગોધરા કાંડના દોષિતો અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવા જણાવ્યું હતું. આ મામલે હવે ત્રણ સપ્તાહ બાદ કોર્ટમાં સુનાવણી થશે.

નોંધનીય છે કે 2017માં ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડના 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ ઉપરાંત 20થી વધુ દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખવામાં આવી હતી. જ્યારે 63 આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
સુરેન્દ્રનગરમાં કલેક્ટર-નાયબ મામલતદારના ઘરે EDના દરોડાથી ફફડાટ, બેનામી સંપત્તિઓ અંગે ખુલાસાની શક્યતા
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
Rajya Sabha Election: 2026માં યુપીની 10 સહિત 75 બેઠકો પર થશે મતદાન, રાજ્યસભામાં સત્તાનું ગણિત બદલાશે?
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
Embed widget