શોધખોળ કરો

Governor: મોડી રાત્રે અનેક રાજ્યોના બદવામાં આવ્યા રાજ્યપાલ, ગુજરાતના આ પૂર્વ IAS બન્યા પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર, જુઓ સંપૂર્ણ યાદી

Governor: પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક પદેથી બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે.

Governor: શનિવારે મોડી રાત્રે ઘણા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી નિમણૂકોને મંજૂરી આપી. તો બીજી તરફ, પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક પદેથી બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.

 

રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે મોડી રાત્રે કેટલાક રાજ્યો માટે રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે. ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રીલીઝ મુજબ, લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુલાબચંદ કટારિયાનું સ્થાન લીધું છે. આ ઉપરાંત ગુલાબચંદ કટારિયાને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.

સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના નવા રાજ્યપાલ બનશે

પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પંજાબના ગવર્નર અને ચંદીગઢના પ્રશાસક પદેથી બનવારીલાલ પુરોહિતનું રાજીનામું સ્વીકારી લીધું છે. રિલીઝ અનુસાર, સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે. રાધાકૃષ્ણનના સ્થાને સંતોષ કુમાર ગંગવાર ઝારખંડના નવા રાજ્યપાલ બનશે.

કે કે. કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ હશે અને ઓમ પ્રકાશ માથુર સિક્કિમના નવા રાજ્યપાલ હશે. રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને મેઘાલયના રાજ્યપાલ તરીકે સીએચ વિજયશંકરની નિમણૂક કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કે. કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક તેમના ચાર્જ સંભાળ્યાની તારીખથી લાગુ થશે. આ નિમણૂંકો તેઓ પોતપોતાની ઓફિસનો ચાર્જ સંભાળે તે તારીખથી પ્રભાવી થશે, એમ નિવેદનમાં જણાવાયું છે.

કોણ છે કે. કૈલાશનાથન? 

તમને જણાવી દઈએ કે, કે. કૈલાશનાથન ગુજરાત કેડરના 1979 બેચના આઈએએસ ઓફીસર હતા. તેઓ વર્ષ 2009થી  ગુજરાતમાં સીએમઓમાં ફરજ બજાવતા હતા. આ ઉપરાંત કે. કૈલાશનાથન 2013માં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત થયા હતા. તેઓ વર્ષ 2013માં વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા પરંતુ ત્યારબાદ સતત 11 વર્ષ સુધી કરાર આધારિત સેવા ગુજરાતના વહીવટી તંત્રને આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગાડી ટ્રાન્સફર કરવું બનશે સરળ! સરકાર કરવા જઈ રહી છે મોટો બદલાવ
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
રિફાઈનરીઓને LPG ઉત્પાદન વધારવા સરકારનો આદેશ, રેસ્ટોરન્ટ્સ-હોટલમાં સપ્લાય માટે બનાવી કમિટી
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર

વિડિઓઝ

Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
Share Market Rebound: મોટા કડાકા બાદ શેર બજારમાં ફરી રોનક, જાણો બજારમાં તેજીના કારણો  
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર, જાણો કોને આપશે ટિકિટ?
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
Gold Silver price: સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો બદલાવ, જાણો તમારા શહેરમાં શું છે ગોલ્ડની કિંમત 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
AC સર્વિસ કરાવતા સમયે આ 4 વસ્તુઓનું રાખો ધ્યાન, વીજળીનો ખર્ચ થશે ઓછો 
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપ જુના જોગીઓના પત્તા કાપશે, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં ?
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
Embed widget