શોધખોળ કરો

Haryana: હરિયાણા નૂહમાં VHPની રથયાત્રા પર પથ્થરમારો, હોમગાર્ડની ગોળી મારી હત્યા

ગુરુગ્રામના સેંકડો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ભગવાન શિવના જલાભિષેક કરવા માટે નળ હદ શિવ મંદિર મેવાત ગયા હતા.

Haryana News: હરિયાણાના નૂહમાં બે જૂથો વચ્ચે અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ પણ સ્થળ પર તૈનાત છે. આ પથ્થરમારો અને ગોળીબાર બ્રિજ મંડળની યાત્રા દરમિયાન થયો હતો. ટોળાએ પથ્થરમારો અને ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન એક હોમગાર્ડને ગોળી વાગતા તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રિજ મંડળ જલાભિષેક યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગુરુગ્રામના સેંકડો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ભગવાન શિવના જલાભિષેક કરવા માટે નળ હદ શિવ મંદિર મેવાત ગયા હતા.

ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ

આ ઘટના બાદ નૂહમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જોકે મોટા ભાગના સ્થળોએ હજુ પણ ઈન્ટરનેટ ચાલુ છે. નૂહમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. એક હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સ્પીકરના માધ્યમથી લોકોને સતત તેમના ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.

પોલીસે મામલો શાંત પાડવા કર્યું ફાયરિંગ 

ગુરુગ્રામ વિશ્વ હિંદુ પરિષદના મહાસચિવ યશવંત શેખાવતના જણાવ્યા અનુસાર, યાત્રા શિવ મંદિર નળ હુદમાં પહોંચતા જ તોફાની તત્વોએ યાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને આગચંપી કરી હતી. સાથે જ અનેક વાહનોમાં તોડફોડ પણ કરી હતી. હંગામા દરમિયાન ફાયરિંગથી લઈને આગચંપી સુધીની ઘટનાઓ બની હતી. ઘણા સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને કેટલાક ખાનગી વાહનોને પણ ટોળાએ નિશાન બનાવ્યા હતા. પોલીસે મામલો શાંત પાડવા ફાયરિંગ પણ કર્યું હતું. આ વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને ઘણી જગ્યાએ છૂટાછવાયા બનાવો નોંધાઈ રહ્યા છે. આ ઘટના બાદ નૂહ-હોડલ રોડ પર માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેને લઈને નૂહ શહેર સાવ નિર્જન ભાસી રહ્યું છે. આ ઘટના બાદ મોટાભાગની બજાર બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે.

રાજસ્થાનના ભરતપુરમાં બાળકોના કારણે ઝઘડો થયો હતો

તાજેતરમાં મહોરમ નિમિત્તે આવી ઘણી ઘટનાઓ બની છે, જેમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને મામલો બિચક્યો હતો. પહેલી ઘટના રાજસ્થાનના ભરતપુર જિલ્લાના મચલી મોહલ્લાની છે જ્યાં દર વર્ષની જેમ મહોરમ પર તાજિયા કાઢવામાં આવ્યા હતા. તાજિયાને ઉપાડવા અને તેને દોરી જવા માટે બાળકો વચ્ચે ઝઘડો થયો હતો. બાળકોના આ ઝઘડાએ રવિવારે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ વિસ્તારમાં બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને શાંતિ ભંગના આરોપમાં લગભગ 30 લોકોની ધરપકડ કરી હતી.

રાજસ્થાનના ભીલવાડામાં લાઉડસ્પીકરને લઈ વિવાદ

આ ઉપરાંત બીજો બનાવ રાજસ્થાનના ભીલવાડાનો છે જ્યાં 29 જુલાઈની રાત્રે ભગવાન ચારભુજા નાથનો રથ એક નગરમાંથી પસાર થઈ રહ્યો હતો. અહીં મહોરમ નિમિત્તે નગરના લખારા ચોક ખાતે લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હતા. તેને બંધ કરવાની અપીલ કરવામાં આવી જેને અવગણવામાં આવતાં બંને સમુદાયો સામસામે આવી ગયા હતા. મુસ્લિમ સમુદાયનો આરોપ છે કે, તાજિયાના બે દિવસ પહેલા છ્ડી કાઢવાનો રિવાજ છે. આ દરમિયાન હિન્દુ સમાજે ભજન કીર્તન રાખ્યું હતું. મોટા અવાજે કીર્તન-ભજનોને કારણે છડી કાઢવામાં તકલીફ પડતી હતી. એવો પણ આરોપ છે કે, સૌહાર્દને ખલેલ પહોંચાડવા માટે આમ કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget