શોધખોળ કરો

Himachal Pradesh: હિમાચલ પ્રદેશના 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, શિમલામાં આ તારીખ સુધી શાળા-કૉલેજ બંધ રહેશે 

હવામાન વિભાગે 22 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 12માંથી 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હિમાચલ પ્રદેશમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગ (IMD) એ ફરી એકવાર હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 22 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના 12માંથી 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આઠ જિલ્લાઓમાં બિલાસપુર, હમીરપુર, કુલ્લુ, મંડી, શિમલા, સોલન, સિરમૌર અને ઉનાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં મંગળવારે પણ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે મંડીના કેટલાક વિસ્તારોમાંથી ભૂસ્ખલનના અહેવાલ છે.

હિમાચલ પ્રદેશના શિમલામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 23 અને 24 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરતા શિમલા શહેર માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. ભારે વરસાદ માટે 'રેડ' એલર્ટને ધ્યાનમાં રાખીને શિમલા જિલ્લામાં તમામ આંગણવાડીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ 23 અને 24 ઓગસ્ટે બંધ રહેશે.


આ અઠવાડિયે વરસાદથી કોઈ રાહત નહીં મળે

હવામાન વિભાગે ચંબા અને મંડી જિલ્લાના કેચમેન્ટ વિસ્તારોમાં અચાનક પૂરની ચેતવણી આપી છે.  હવામાન વિભાગ દ્વારા  26 ઓગસ્ટ સુધી વરસાદ  રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભારે વરસાદથી ભૂસ્ખલન થઈ શકે છે, અચાનક પૂરથી નદીઓ અને નાળાના જળ સ્તરમાં વધારો થઈ શકે છે. જે ઉભા પાક, ફળ ઝાડ અને છોડને નુકસાન પહોંચાડી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે.

એક સપ્તાહમાં 78 લોકોના મોત,  અત્યાર સુધીમાં 227 લોકોએ જીવ ગુમાવ્યા છે

શિમલામાં શિવ મંદિરના કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળ્યા બાદ શનિવારે હિમાચલ પ્રદેશમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 78 પર પહોંચી ગયો છે. શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ જણાવ્યું હતું કે ગત રવિવાર રાતથી રાજ્યમાં થયેલા 78 મૃત્યુમાંથી 24 મૃત્યુ એકલા શિમલામાં ત્રણ મોટા ભૂસ્ખલનમાં થયા છે. તેમણે જણાવ્યું કે તેમાંથી સમર હિલના શિવ મંદિરમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે ફાગલીમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે કૃષ્ણ નગરમાં બે લોકોના મોત થયા છે.

હિમાચલમાં 24 જૂને ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 227 લોકોના મોત થયા છે, જ્યારે 38 લોકો હજુ પણ ગુમ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, 12,000 થી વધુ મકાનોને સંપૂર્ણ અથવા આંશિક રીતે નુકસાન થયું છે.

રાજ્ય સરકારે લોકોને વહેતી નદીઓ અને ભૂસ્ખલનની સંભાવનાવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 8099 કરોડની સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન થયું છે. આના કારણે જ PWDને 2712.19 કરોડની સંપત્તિનું નુકસાન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું ચર્ચા થઈ
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું ચર્ચા થઈ
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 7 કલાક ચાલી મીટિંગ, ટ્રમ્પના ટેરિફની વચ્ચે શું થઈ વાત?
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 7 કલાક ચાલી મીટિંગ, ટ્રમ્પના ટેરિફની વચ્ચે શું થઈ વાત?
Narendra Modi Birthday: કોણ હતા એ ‘વકીલ સાહેબ’, જેના કપડા ધોતા હતા નરેન્દ્ર મોદી, સંઘમાં પણ તેઓ જ લાવ્યા હતા
Narendra Modi Birthday: કોણ હતા એ ‘વકીલ સાહેબ’, જેના કપડા ધોતા હતા નરેન્દ્ર મોદી, સંઘમાં પણ તેઓ જ લાવ્યા હતા
Advertisement

વિડિઓઝ

Himatnagar Suicide Case : હિંમતનગરમાં હોસ્પિટલના ક્વાર્ટર પરથી કૂદીને મહિલાએ કરી લીધો આપઘાત
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Hun To Bolish : હું તો બોલીશ : હવે ખેડૂતોનો વાંક કાઢશો?
Hun To Bolish : હું તો બોલીશ :  બોટલીયા બાબુ!
Morbi Accident : મોરબીમાં ટ્રેલરની ટક્કરે વૃદ્ધનું મોત, સામે આવ્યા સીસીટીવી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું ચર્ચા થઈ
ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન પાઠવ્યા, જાણો શું ચર્ચા થઈ
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
વંતારા કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી: 'જો કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે'
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 7 કલાક ચાલી મીટિંગ, ટ્રમ્પના ટેરિફની વચ્ચે શું થઈ વાત?
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 7 કલાક ચાલી મીટિંગ, ટ્રમ્પના ટેરિફની વચ્ચે શું થઈ વાત?
Narendra Modi Birthday: કોણ હતા એ ‘વકીલ સાહેબ’, જેના કપડા ધોતા હતા નરેન્દ્ર મોદી, સંઘમાં પણ તેઓ જ લાવ્યા હતા
Narendra Modi Birthday: કોણ હતા એ ‘વકીલ સાહેબ’, જેના કપડા ધોતા હતા નરેન્દ્ર મોદી, સંઘમાં પણ તેઓ જ લાવ્યા હતા
ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું, 50 થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા: જીવ બચાવવા 10 કિલોમીટર પગપાળા ચાલવાની નોબત
ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું, 50 થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા: જીવ બચાવવા 10 કિલોમીટર પગપાળા ચાલવાની નોબત
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જ ટ્રમ્પને જૂઠા સાબિત કર્યા: ભારતે અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જ ટ્રમ્પને જૂઠા સાબિત કર્યા: ભારતે અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો
Devayat Khavad: હવે રાજનીતિમાં મોરેમોરો ઉતરવાની તૈયીરમાં દેવાયત ખવડ, જાણો કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે?
Devayat Khavad: હવે રાજનીતિમાં મોરેમોરો ઉતરવાની તૈયીરમાં દેવાયત ખવડ, જાણો કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે?
આ રાજ્યમાં મોટો રાજકીય ભૂકંપ: અચાકન જ કેબિનેટના 8 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા
આ રાજ્યમાં મોટો રાજકીય ભૂકંપ: અચાકન જ કેબિનેટના 8 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા
Embed widget