શોધખોળ કરો

Aircrafts Crash: મિરાજ અને સુખોઈ-30 વચ્ચે આકાશમાં શું થયું હતું? થયો મોટો ખુલાસો

હેલિકોપ્ટર દ્વારા ઘટનાસ્થળે પહોંચેલા એરમેન ઘાયલ પાયલટોને બચાવીને ગ્વાલિયર એરબેઝ પર લાવવામાં આવ્યા હતાં.ત્યાર બાદ ઘાયલ પાયલોટને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ભારતીય વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30 અને મિરાજ-2000 એકબીજા સાથે અથડાવાને કારણે ક્રેશ થઈ ગયા હતા. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે આ મામલે વધુ માહિતી કોર્ટ ઓફ ઈન્કવાયરીમાં જ બહાર આવશે. જ્યારે આ દુર્ઘટનામાં પાઇલટના શહીદની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

બીજી તરફ હેલિકોપ્ટર દ્વારા ઘટનાસ્થળે પહોંચેલા એરમેન ઘાયલ પાયલટોને બચાવીને ગ્વાલિયર એરબેઝ પર લાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ઘાયલ પાયલોટને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના (IAF)ના બે ફાઈટર એરક્રાફ્ટ (સુખોઈ-30 અને મિરાજ-2000) આજે શનિવારે મધ્ય પ્રદેશના મોરેના જિલ્લામાં ક્રેશ થયા હતા. તેમાંથી એક દુર્ઘટનાગ્રસ્ત વિમાન રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં સ્થિત પિંગોરા ગામમાં જઈને પડ્યું હતું. 

ગ્વાલિયર એરબેઝ પરથી ભરી હતી ઉડાન

મોરેનાના પોલીસ અધિક્ષક આશુતોષ બાગરીએ જણાવ્યું હતું કે, વિમાનમાંથી 2 પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતાં પરંતુ ત્રીજો પાયલટ શહીદ થયો. આ દુર્ઘટના પહેલા વાયુસેનાના બંને ફાઈટર જેટ્સે ગ્વાલિયર એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.

ભારતીય વાયુસેનાએ અકસ્માતની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બેસાડી દીધી છે. જણાવવામાં આવ્યું હતું કે, ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન બે પાઈલટ સુખોઈમાં સવાર હતા જ્યારે એક પાઈલટ મિરાજમાં સવાર હતો.

આ ઘટના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહની નજર 

વાયુસેના પ્રમુખે રક્ષા મંત્રી રાજનાથ સિંહને બે ફાઈટર જેટ ક્રેશ થવાની જાણકારી આપી હતી. રાજનાથ સમગ્ર વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સક્રિયતા દાખવી હતી અને મોરેના જિલ્લા વહીવટીતંત્રને રાહત અને બચાવ માટે જરૂરી સૂચના આપી હતી.

સીએમ શિવરાજે પણ જરૂરી સૂચનાઓ આપી

મુખ્યમંત્રી શિવરાજે ટ્વીટ કરીને કહ્યું હતું કે, મોરેનામાં કોલારસ પાસે વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ-2000 વિમાનના ક્રેશ થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. મેં સ્થાનિક વહીવટીતંત્રને ઝડપી બચાવ અને રાહત કાર્યમાં વાયુસેનાને સહકાર આપવા સૂચના આપી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બંને પ્લેનના પાયલોટ સુરક્ષિત રહે.

એરફોર્સ આ મામલે કહ્યું કે...

ભારતીય વાયુસેનાએ આ મામલે એક નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં કહ્યું હતું કે, ભારતીય વાયુસેનાના બે ફાઇટર એરક્રાફ્ટ આજે સવારે ગ્વાલિયર નજીક ક્રેશ થયા હતા. વિમાન નિયમિત તાલીમ મિશન પર હતું. જેમાં સામેલ 3 પાઇલોટમાંથી એકે જીવ ગુમાવ્યો હતો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
બેન્ક ખાતામાંથી 35,000થી વધુ રૂપિયા નહીં ઉપાડી શકે ગ્રાહકો, RBIએ આ બેન્ક પર લગાવ્યા અનેક પ્રતિબંધો
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Embed widget