![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Independence Day 2023: આ જગ્યાઓ પર મનાવો ભારતની આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન
આઝાદીની માંગ માટે ઉઠેલા અવાજોને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં હજારો અને લાખો ક્રાંતિકારીઓએ લોહી વહાવ્યું. કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓ શહીદ થયા
![Independence Day 2023: આ જગ્યાઓ પર મનાવો ભારતની આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન Independence Day 2023: best and amazing hidden places in india that will make you feel patriotic in 15 august 2023 Independence Day 2023: આ જગ્યાઓ પર મનાવો ભારતની આઝાદીનો જશ્ન, યાદ આવી જશે શહીદોનું બલિદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/07/04aae6b0e5b89fd0fcc5df8116dc7119169139992230477_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Independence Day 2023: આ મહિનામાં ફરી એકવાર દેસવાસીઓને આઝાદીનો જશ્ન મનાવવાનો મોકો મળશે, 15 ઓગસ્ટને ભારતના ઈતિહાસનો સૌથી ગૌરવપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો હતો. જે દેશ અને દેશવાસીઓ સદીઓથી અંગ્રેજોની ગુલામીની સાંકળોમાં બંધાયેલા હતા, તેમને ઘણું બધુ સહન કર્યું છે. પોતાના દેશમાં ગુલામ હોવાને કારણે તેમના અધિકારોથી વંચિત રહેવાને કારણે દેશવાસીઓમાં આક્રોશ ઊભો થયો અને તેમણે સ્વતંત્રતા સંગ્રામની જ્યોત પ્રગટાવી.
આઝાદીની માંગ માટે ઉઠેલા અવાજોને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં હજારો અને લાખો ક્રાંતિકારીઓએ લોહી વહાવ્યું. કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓ શહીદ થયા. જોકે અંતે અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું અને દેશની સત્તા દેશવાસીઓના હાથમાં આવી. આ જીતના જશ્નને ઉજવવા માટે દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે લોકો આઝાદી માટે લડનારા બહાદુર સપૂતોને યાદ કરે છે, ધ્વજ લહેરાવાની સાથે સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામી આપવામાં આવે છે.
15 ઓગસ્ટે જાહેર રજા છે. આ રજાના દિવસે તમે મિત્રો, પરિવાર કે બાળકો સાથે એવા સ્થળોની મુલાકાત લઈ શકો છો, જે દેશભક્તિની લાગણીમાં વધારો કરે અને સ્વતંત્રતાની ઉજવણીને બમણી કરે. અહીં તમારી દેશભક્તિની ભાવનાથી તરબોળ કરવા માટે કેટલાક ખાસ સ્થળો બતાવવામાં આવ્યા છે. જુઓ....
રાષ્ટ્રીય શહીદ સ્મારક, દિલ્હી -
આ વર્ષે 15 ઓગસ્ટ મંગળવાર છે. આવામાં માત્ર એક દિવસની રજા આપવામાં આવી રહી છે. જો તમારી પાસે વધુ સમય નથી અને વધુ પૈસા ખર્ચવા નથી માંગતા તો તમે દિલ્હીમાં જ આવા સ્થળોની મુલાકાત લઈ શકો છો, જે તમને બહાદુર પુત્રોના બલિદાનથી વાકેફ કરે છે.
દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવું અને પરેડ જોઈ શકાય છે. વળી, ઇન્ડિયા ગેટ નજીકના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈ શકાય છે. અહીં 1947, 1962, 1971 અને 1999ના યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર પુત્રોને શ્રદ્ધાંજલિ આપી શકાય છે.
જલિયાંવાલા બાગ, અમૃતસર -
અમૃતસરના જલિયાવાલા બાગને ઈતિહાસમાં હંમેશા એ કાળો દિવસ યાદ કરવામાં આવે છે જ્યારે અંગ્રેજોએ નિઃશસ્ત્ર ભારતીયો પર ગોળીબાર કર્યો હતો. એક દર્દનાક હત્યાકાંડના અવશેષો અને નિર્દોષ ભારતીયોના લોહીના ડાઘ આજે પણ અહીંની દિવાલો પર દેખાય છે. અહીં સેંકડો શહીદોના નામે એક સ્મારક બનાવવામાં આવ્યું છે.
વાઘા બૉર્ડર, અમૃતસર -
આઝાદી પહેલા ભારત અને પાકિસ્તાન એક હતા, બાદમાં તે બે દેશોમાં વહેંચાઈ ગયા. સ્વતંત્રતા દિવસથી બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, પરંતુ સ્વતંત્રતા દિવસના અવસર પર અમૃતસર સ્થિત વાઘા બોર્ડર પર બંને દેશોના સૈનિકો વચ્ચે તાલમેલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે અહીં રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે.
ચંદ્રશેખર આઝાદ પાર્ક, પ્રયાગરાજ -
સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદે દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું હતું. 1931માં ચંદ્રશેખર આઝાદ પ્રયાગરાજમાં બ્રિટિશ સૈનિકો સાથે લડી રહ્યા હતા. બ્રિટિશ પોલીસે તેને ઘેરી લીધો પણ આઝાદે અંગ્રેજોની ગોળી મારવા કરતાં પોતાની ગોળી વધુ સારી ગણી. ચંદ્રશેખર આઝાદ માત્ર 25 વર્ષની વયે શહીદ થઈ ગયા હતા. તેમની યાદમાં આ જગ્યાએ એક પાર્ક બનાવવામાં આવ્યો હતો, જે ચંદ્રશેખર આઝાદ પાર્ક તરીકે ઓળખાય છે. પાર્કમાં ચંદ્રશેખર આઝાદની પ્રતિમા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)