શોધખોળ કરો

Independence Day 2023: લાલ કિલ્લા પરથી PM મોદીએ વિપક્ષ પર કર્યો પ્રહાર, કહ્યુ- 'પરિવારવાદે લોકોનો હક છીનવ્યો'

Independence Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસરે દેશને સંબોધન કર્યું હતું

Independence Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસરે દેશને સંબોધન કર્યું હતું. લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં પીએમ મોદીએ મણિપુર હિંસાથી લઇને મજબૂત સરકાર બનાવવા સહિતની તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ અગાઉની સરકારો પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે અગાઉની સરકારો દરમિયાન થયેલા કૌભાંડોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ભ્રષ્ટાચારનો રાક્ષસ દેશને જકડી રહ્યો હતો.

લીકેજ બંધ કરીને મજબૂત અર્થવ્યવસ્થા બનાવી – પીએમ

પીએમ મોદીએ કહ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓના પ્રયાસનું ફળ મળ્યું છે કે આજે આપણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ. અગાઉ દેશને ભ્રષ્ટાચારના રાક્ષસે જકડ્યો હતો, લાખો કરોડના કૌભાંડો દેશની અર્થવ્યવસ્થાને હચમચાવી નાખતા હતા. અમે લિકેજ બંધ કર્યા અને મજબૂત અર્થવ્યવસ્થા બનાવી. અમે ગરીબોના કલ્યાણ માટે મહત્તમ નાણાં ખર્ચવાનો પ્રયાસ કર્યો.

પરિવારવાદનો પણ ઉલ્લેખ કર્યો

પીએમ મોદીએ ભ્રષ્ટાચારને લઈને વિપક્ષને ઘેરતા કહ્યું હતું કે આ મોદીના જીવનની પ્રતિબદ્ધતા છે કે હું ભ્રષ્ટાચાર સામે લડતો રહીશ. બીજું વંશવાદે આપણા દેશને પાયમાલ કરી દીધો હતો. આ વંશવાદે જે રીતે દેશને જકડી રાખ્યો છે, તેણે લોકોના અધિકારો છીનવી લીધા છે. ત્રીજી દુષ્ટતા તુષ્ટિકરણની છે. આ તુષ્ટિકરણે દેશની મૂળભૂત વિચારસરણી, આપણા રાષ્ટ્રીય ચારિત્ર્ય પર ડાઘ લગાવ્યો છે. એટલા માટે આપણે આ દુષણો-ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણ સાથે આપણી તમામ શક્તિથી લડવું પડશે.

'10 વર્ષમાં મોટું પરિવર્તન આવ્યું'

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, જ્યારે દેશ આર્થિક રીતે સમૃદ્ધ હોય છે ત્યારે તેનાથી માત્ર તિજોરી જ ભરાતી નથી, પરંતુ દેશની તાકાત અને દેશવાસીઓની તાકાતમાં પણ વધારો થાય છે. તમે જોશો કે 10 વર્ષમાં આટલો મોટો બદલાવ આવ્યો છે. 10 વર્ષ પહેલા ભારત સરકાર પાસેથી 30 લાખ કરોડ રૂપિયા રાજ્યોમાં જતા હતા છેલ્લા 9 વર્ષમાં આ આંકડો 100 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાને ભારતીય જહાજોને કઈ રીતે આપી હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થવાની મંજૂરી? એસ જયશંકરે કર્યો ખુલાસો 
ઈરાને ભારતીય જહાજોને કઈ રીતે આપી હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થવાની મંજૂરી? એસ જયશંકરે કર્યો ખુલાસો 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે પવન અને કરા સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં ભારે પવન અને કરા સાથે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Embed widget