શોધખોળ કરો

સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દિલ્હી ખાતે મહંતસ્વામીની સંનિધિમાં ધ્વજવંદન સમારોહ

Independence Day 2024: દિલ્લી અક્ષરધામ મંદિર પરિસર ઇષ્ટભક્તિ, ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિથી ગુંજાયમાન.

waminarayan Akshardham Temple: સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, નવી દિલ્હીમાં ભારતનો 78મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિ સાથે મનાવવામાં આવ્યો. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં, ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ રાષ્ટ્રના આ આઝાદીના ઉત્સવમાં ભાગ લીધો. આ પ્રસંગે સમગ્ર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસર રાષ્ટ્રભક્તિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઊઠ્યું.

સવારે ૬.૩૦ વાગ્યે કાર્યક્રમની શરૂઆત પ્રભુસ્મરણ અને પ્રાર્થના સાથે થઈ. ત્યારબાદ BAPSના બાળ અને યુવા મંડળે સાંસ્કૃતિક અને રાષ્ટ્રભક્તિનાં કીર્તનો ગાઈને અક્ષરધામ પરિસરના વાતાવરણને ઓજસ્વી બનાવી દીધું.  આજની વિશેષ સ્વતંત્રતા દિવસની પરેડમાં સુરક્ષા વિભાગના સ્વયંસેવકો અને પરિસરમાં ફરજ પર રહેલા પોલીસકર્મીઓએ પણ ભાગ લીધો. બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે મંદિર પરિસરમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને દેશની આઝાદી માટે પોતાનો બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે ધ્વજને સલામી આપવામાં આવી.

૯૨ વર્ષની વયે પણ મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રગાન કર્યા બાદ તિરંગાને સલામી આપીને સમગ્ર રાષ્ટ્રને નાગરિક કર્તવ્યનો બોધ આપ્યો.

આગળ BAPSના વરિષ્ઠ સંત વિવેકસાગરદાસ સ્વામીએ તેમના પ્રવચનમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું, “ ભારત દેશ ગૌરવશાળી દેશ હતો. આજે આપણી ફરજ છે કે દેશની ગૌરવશાળી વિરાસતને સાચવીએ. જીવનમાં સદાચાર લાવીએ એ જ સાચી સ્વતંત્રતા છે.”

ત્યારબાદ, બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં કહ્યું, “આજના દિવસે પ્રાર્થના કરીએ કે ભારતનો દરેક ક્ષેત્રમાં ખૂબ વિકાસ થાય. દેશના સર્વે પ્રશ્નોનું વહેલું નિરાકરણ થાય. સહુ દેશવાસી સુખી થાય. દેશની આઝાદી માટે ગુરુ યોગીજી મહારાજ રોજ ૨૫ માળા ફેરવતા. દેશ મારા માટે શું કરશે એવું નહિ, પણ હું દેશ માટે શું કરી શકું એવી ભાવના હશે તો ભારત દેશ જરૂર આગળ આવશે.” આશીર્વચન બાદ, સૌ સંતો અને ભક્તોએ ભારતની શાંતિ અને સમૃદ્ધિ માટે સામૂહિક પ્રાર્થના કરી.

આજે આ ઐતિહાસિક સ્વતંત્રતા દિવસ જ્યાં ઉજવાયો તે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, નવી દિલ્હી એક મુખ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થળ છે જે ભારતની સમૃદ્ધ વારસો અને આધ્યાત્મિક પરંપરાઓનું કેન્દ્ર છે. આ માત્ર ઉપાસના સ્થળ જ નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વૈવિધ્યતાનો ઉત્સવ પણ છે, જે વિશ્વભરમાંથી લાખો મુલાકાતીઓને આકર્ષે છે.

આ પણ વાંચોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરી ગરીબો માટે કરી મોટી જાહેરાત, જાણો શું લાભ થશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારૂ મુદ્દે ઘર્ષણ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયાઓનું પાંજરું !
Hun To Bolish : હું તો બોલીશ : સમાજની શક્તિ, લાવશે નવી ક્રાંતિ !
Alpesh Thakor : ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર કરશે શક્તિ પ્રદર્શન, ક્ષત્રિય ઠાકોર સેનાનું મહાસંમેલન
Ambalal Patel Forecast : ગુજરાતમાં પડશે હાડ થીજવતી ઠંડી! અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
ગુજરાત કોંગ્રેસનો મોટો ધડાકો: 12 લાખ મતદારોને હટાવવાનું ષડયંત્ર? રાહુલ ગાંધીએ કહ્યું- 'જ્યાં ભાજપ હારે ત્યાં વોટ ગાયબ!'
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
Gandhinagar: રાત્રે 3 વાગ્યે રચાશે ઈતિહાસ! અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં 2 લાખ લોકોનું મહાસંમેલન
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
જૈસલમેર જવું હવે મોંઘું પડશે! 22 વર્ષ પછી ફરી લાગ્યો આ 'ટેક્સ'; સિટીમાં એન્ટ્રી માટે ચૂકવવા પડશે પૈસા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
બગદાણા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ; SIT ને મળ્યા પુરાવા
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
અકસ્માત નહીં, મર્ડર! ACP પોતે ફરિયાદી બન્યા, શક્તિસિંહના ભત્રીજા યશરાજસિંહ સામે ગુનો દાખલ
IND vs PAK: 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ! શું હવે ભારત-પાકિસ્તાન મેચ રમાશે? રાજીવ શુક્લાએ કરી મોટી સ્પષ્ટતા
IND vs PAK: 'ઓપરેશન સિંદૂર' બાદ તણાવ! શું હવે ભારત-પાકિસ્તાન મેચ રમાશે? રાજીવ શુક્લાએ કરી મોટી સ્પષ્ટતા
શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ
શાહરૂખ ખાનની સૌથી ચર્ચિત ફિલ્મ "King" ની રિલીઝ ડેટ જાહેર, ફેન્સમાં ખુશીની લહેર
Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Embed widget