શોધખોળ કરો

સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દિલ્હી ખાતે મહંતસ્વામીની સંનિધિમાં ધ્વજવંદન સમારોહ

Independence Day 2024: દિલ્લી અક્ષરધામ મંદિર પરિસર ઇષ્ટભક્તિ, ગુરુભક્તિ અને રાષ્ટ્રભક્તિથી ગુંજાયમાન.

waminarayan Akshardham Temple: સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, નવી દિલ્હીમાં ભારતનો 78મો સ્વતંત્રતા દિવસ દેશભક્તિ સાથે મનાવવામાં આવ્યો. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં, ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આવેલા ભક્તોએ રાષ્ટ્રના આ આઝાદીના ઉત્સવમાં ભાગ લીધો. આ પ્રસંગે સમગ્ર સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર પરિસર રાષ્ટ્રભક્તિમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઊઠ્યું.

સવારે ૬.૩૦ વાગ્યે કાર્યક્રમની શરૂઆત પ્રભુસ્મરણ અને પ્રાર્થના સાથે થઈ. ત્યારબાદ BAPSના બાળ અને યુવા મંડળે સાંસ્કૃતિક અને રાષ્ટ્રભક્તિનાં કીર્તનો ગાઈને અક્ષરધામ પરિસરના વાતાવરણને ઓજસ્વી બનાવી દીધું.  આજની વિશેષ સ્વતંત્રતા દિવસની પરેડમાં સુરક્ષા વિભાગના સ્વયંસેવકો અને પરિસરમાં ફરજ પર રહેલા પોલીસકર્મીઓએ પણ ભાગ લીધો. બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે મંદિર પરિસરમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો અને દેશની આઝાદી માટે પોતાનો બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે ધ્વજને સલામી આપવામાં આવી.

૯૨ વર્ષની વયે પણ મહંતસ્વામી મહારાજે રાષ્ટ્રગાન કર્યા બાદ તિરંગાને સલામી આપીને સમગ્ર રાષ્ટ્રને નાગરિક કર્તવ્યનો બોધ આપ્યો.

આગળ BAPSના વરિષ્ઠ સંત વિવેકસાગરદાસ સ્વામીએ તેમના પ્રવચનમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું, “ ભારત દેશ ગૌરવશાળી દેશ હતો. આજે આપણી ફરજ છે કે દેશની ગૌરવશાળી વિરાસતને સાચવીએ. જીવનમાં સદાચાર લાવીએ એ જ સાચી સ્વતંત્રતા છે.”

ત્યારબાદ, બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં કહ્યું, “આજના દિવસે પ્રાર્થના કરીએ કે ભારતનો દરેક ક્ષેત્રમાં ખૂબ વિકાસ થાય. દેશના સર્વે પ્રશ્નોનું વહેલું નિરાકરણ થાય. સહુ દેશવાસી સુખી થાય. દેશની આઝાદી માટે ગુરુ યોગીજી મહારાજ રોજ ૨૫ માળા ફેરવતા. દેશ મારા માટે શું કરશે એવું નહિ, પણ હું દેશ માટે શું કરી શકું એવી ભાવના હશે તો ભારત દેશ જરૂર આગળ આવશે.” આશીર્વચન બાદ, સૌ સંતો અને ભક્તોએ ભારતની શાંતિ અને સમૃદ્ધિ માટે સામૂહિક પ્રાર્થના કરી.

આજે આ ઐતિહાસિક સ્વતંત્રતા દિવસ જ્યાં ઉજવાયો તે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર, નવી દિલ્હી એક મુખ્ય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થળ છે જે ભારતની સમૃદ્ધ વારસો અને આધ્યાત્મિક પરંપરાઓનું કેન્દ્ર છે. આ માત્ર ઉપાસના સ્થળ જ નથી પરંતુ ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વૈવિધ્યતાનો ઉત્સવ પણ છે, જે વિશ્વભરમાંથી લાખો મુલાકાતીઓને આકર્ષે છે.

આ પણ વાંચોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરી ગરીબો માટે કરી મોટી જાહેરાત, જાણો શું લાભ થશે

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હનીટ્રેપનો ખતરનાક ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : ડૂબ્યા શહેર અને ગામ, મપાયું કોનું પાણી?
AAJ No Muddo : આજનો મુદ્દો : નહી બચી શકે ભેળસેળીયાઓ
Ahmedabad Waterlogging: વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદથી અમદાવાદમાં જળફર્ફ્યુ
Dholka Rain Update: અમદાવાદનું ધોળકા બન્યું જળમગ્ન, બજાર, સોસાયટીમાં ફરી વળ્યા પાણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 24 જિલ્લામાં વરસાદ છોતરા કાઢશે, ત્રણ જિલ્લામાં સાંબેલાધાર વરસાદની આગાહી
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
TCS કર્મચારીઓ માટે આંચકાજનક સમાચાર: કંપની 12,000 થી વધુ કર્મચારીઓની છટણી કરશે
આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે વરસાદ! ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓને ધમરોળશે
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
Rain Forecast: રાજ્યમાં કઇ તારીખ સુધી કયા જિલ્લામાં વરસશે ભારે વરસાદ, જાણો વેધર અપડેટ્સ
અમદાવાદમાં વરસાદનો કહેર: ગ્રામ્ય વિસ્તારોથી પોશ સોસાયટીઓ સુધી જળબંબાકાર, પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં વરસાદનો કહેર: ગ્રામ્ય વિસ્તારોથી પોશ સોસાયટીઓ સુધી જળબંબાકાર, પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
Gujarat Rain: આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ આપ્યું
Gujarat Rain: આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ આપ્યું
ના નીકળતા બહાર! હવામાન વિભાગે આપી ચેતવણી, આ જિલ્લાઓમાં ભારે વરસાદ ત્રાટકશે
ના નીકળતા બહાર! હવામાન વિભાગે આપી ચેતવણી, આ જિલ્લાઓમાં ભારે વરસાદ ત્રાટકશે
એલર્ટ! એલર્ટ! ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે, સાવચેતી રાખજો, જુઓ લેટેસ્ટ આગાહી
એલર્ટ! એલર્ટ! ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે, સાવચેતી રાખજો, જુઓ લેટેસ્ટ આગાહી
Embed widget