શોધખોળ કરો

India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના મોતમાં આવ્યો મોટો ઉછાળો, જાણો લેટેસ્ટ આંકડો

India Covid-19 Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14,955 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,413પર પહોંચ્યો છે.

Coronavirus Cases Today in India: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,226 નવા કેસ 65 લોકના મોત થયા છે.   શનિવારે  2,323 નવા કેસ અને 25 સંક્રમિતોના મોત થયા હતા.  એક્ટિવ કેસ ઘટીને 15 હજારથી ઓછા થયા છે.

એક્ટિવ કેસ કેટલા છે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 14,955 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,413પર પહોંચ્યો છે. દેશમાં 4,25,97,003 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 192,28,66,524 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14,37,881 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.

ભારતમાં આવશે કોરોનાની ચોથી લહેર ? જાણો દેશના જાણીતા વાઈરોલોજિસ્ટે શું કરી ભવિષ્યવાણી

દેશના જાણીતા વાઈરોલોજિસ્ટ ડૉ. ટી જેકબ જાને તાજેતરમાં કહ્યું કે ભારતમાં કોરોનાની ચોથી લહેરની શક્યતા અત્યંત ઓછી છે. ડૉ જ્હોને કહ્યું કે મારી જાણકારી મુજબ કોઈ પણ રાજ્ય કોરોનાના કેસમાં વધારો નથી થઈ રહ્યો. ડૉ. જ્હોને કહ્યું કે જો ચોથી લહેર આવશે તો તે મારા માટે આશ્ચર્યજનક હશે. તેથી હું તેના વિશે કંઈપણ અનુમાન કરી શકતો નથી. ચોથી લહેરની શક્યતા ઘણી ઓછી છે. કોરોના લહેરની ખરાબ અસરો સામે આપણો શ્રેષ્ઠ બચાવ રસીકરણ છે. સંપૂર્ણ રસીકરણનો અર્થ છે બે ડોઝ અને ઓછામાં ઓછા 6 મહિના પછી પ્રિકોશન ડોઝ લેવો. તેમણે એમ પણ કહ્યું કે સંપૂર્ણ રસીકરણ તરીકે બે ડોઝનું સત્તાવાર સંસ્કરણ અવૈજ્ઞાનિક છે.

કોરોના વાયરસથી બચવા માસ્કનો ઉપયોગ કરો

કોરોનાના કેસોને રોકવા અને ટાળવા માટે બીજું શું કરવું જોઈએ તેના પર વાઈરોલોજિસ્ટે કહ્યું કે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું વધતા જતા કેસ વચ્ચે શાળાઓ બંધ કરવી જોઈએ, ત્યારે ડો જ્હોને કહ્યું કે શાળાઓ બિલકુલ બંધ કરવી જોઈએ નહીં. શાળાઓ ખુલ્લી રાખવી જોઈએ.

દેશમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ છે કે કેમ તેના પર વાઈરોલોજિસ્ટે પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યાં જ્યાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે ત્યાં કેસમાં પણ ઘટાડો થયો છે. કોરોનાના કેસમાં વધારો જરાય ટકી રહ્યો નથી. તેથી મને નથી લાગતું કે કોઈ નવા પ્રકાર સામેલ છે. જો કે, વેરિયન્ટ સ્ક્રીનીંગ ચાલુ રાખવું જોઈએ, જેથી કરીને કોરોના વાયરસ આપણને ફરીથી આશ્ચર્યમાં ન નાખે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા
સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Daily Rashifal 2024 | જાણો આજનો આપનો 29મી માર્ચનો દિવસ કેવો રહેશે? RashifalHun To Bolish : ચૂંટણીનું જ્ઞાતિવાદી ચકડોળ । abp AsmitaHun To Bolish : સવાલ સ્વમાનનો । abp AsmitaMedanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
ભારતમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે 'I' અને AI બંને બોલે છે... બિલ ગેટ્સ સાથે પીએમ મોદીની મન કી બાત
સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા
સોનામાં તેજીનો તરખાટ, 10 ગ્રામનો ભાવ 70 હજાર; એક જ મહિનામાં 6 હજાર વધ્યા
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
Lok sabha 2024 Live Update: સીટ વહેંચણીને લઈને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે વાતચીત, MVAને લઈને પ્રકાશ આંબેડકર કરશે મોટો ખુલાસો
કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ મનપા એક્શનમાં, લોકો માટે શરૂ કરી આ સુવિધાઓ
કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ મનપા એક્શનમાં, લોકો માટે શરૂ કરી આ સુવિધાઓ
Assembly By Elections: વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસે આ ઉમેદવારોના નામ પેનલમાં મોકલ્યાં , જાણો ડિટેલ
Assembly By Elections: વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસે આ ઉમેદવારોના નામ પેનલમાં મોકલ્યાં , જાણો ડિટેલ
Road Accident In Jammu: જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાનક અકસ્માત, કેબ ખાઈમાં પડી જતાં 10 લોકોનાં મોત
Road Accident In Jammu: જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભયાનક અકસ્માત, કેબ ખાઈમાં પડી જતાં 10 લોકોનાં મોત
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Embed widget