શોધખોળ કરો

ભારતમાં ભ્રષ્ટાચાર ઘટ્યો, અમેરિકા-UK માં વધ્યો! 180 દેશોની યાદીમાં ભારતનો નવો રેન્ક જાહેર, જાણો વિગતો

ગ્લોબલ રિપોર્ટ: 180 દેશોની યાદીમાં ભારત 91મા ક્રમે; ડેનમાર્ક સૌથી પ્રમાણિક જ્યારે અમેરિકાનો સ્કોર ઘટ્યો, ચીનની સ્થિતિ પણ ચિંતાજનક, જાણો કયા 4 કારણોસર નક્કી થાય છે રેન્કિંગ.

Corruption Perception Index 2025: વિશ્વભરમાં ભ્રષ્ટાચાર પર નજર રાખતી પ્રતિષ્ઠિત સંસ્થા 'ગ્લોબલ ટ્રાન્સપરન્સી' (Global Transparency) એ વર્ષ 2025 માટેનો પોતાનો નવો અને બહુપ્રતિક્ષિત અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ભારત માટે રાહતના સમાચાર છે. કુલ 180 દેશોના કરવામાં આવેલા સર્વેક્ષણમાં ભારતની સ્થિતિમાં મામૂલી પણ મહત્વનો સુધારો જોવા મળ્યો છે. જ્યારે બીજી તરફ, પોતાને વિકસિત અને પારદર્શક ગણાવતા અમેરિકા (USA) અને બ્રિટન (UK) જેવા પશ્ચિમી દેશોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે, જે આશ્ચર્યજનક બાબત છે.

તાજેતરમાં જાહેર થયેલા અહેવાલ મુજબ, ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારતનો ક્રમ સુધરીને 91 પર પહોંચ્યો છે. ભારતનો વર્તમાન 'કરપ્શન સ્કોર' (Corruption Score) 39 છે. અગાઉના વર્ષે એટલે કે 2023 માં ભારત 93 માં ક્રમે હતું, જે હવે સુધરીને 91 પર આવ્યું છે. જોકે, 39 નો સ્કોર હજુ પણ ચિંતાજનક ગણાય, કારણ કે આ સ્કોર જેટલો ઓછો હોય તેટલો ભ્રષ્ટાચાર વધુ માનવામાં આવે છે. આમ છતાં, ઘણા યુરોપિયન દેશોની સરખામણીએ ભારતે સકારાત્મક પ્રગતિ દર્શાવી છે.

બીજી તરફ, યુરોપ અને અમેરિકામાં પારદર્શિતા ઘટી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની મોટી વાતો કરે છે, પરંતુ હકીકત એ છે કે અમેરિકાનો રેન્ક ગગડ્યો છે. 2024 માં અમેરિકા 28 માં ક્રમે હતું, જે હવે સરકીને 29 માં સ્થાને આવી ગયું છે. યુરોપમાં બ્રિટન, ફ્રાન્સ અને ઈટાલી જેવા દેશોના સ્કોરમાં પણ ઘટાડો નોંધાયો છે. યુરોપમાં માત્ર 'જર્મની' (Germany) એવું રાષ્ટ્ર છે જ્યાં સુધારો જોવા મળ્યો છે.

આપણા પાડોશી દેશ અને મહાસત્તા બનવા જઈ રહેલા ચીનની હાલત પણ ખરાબ છે. તમામ કડક નિયમો છતાં ચીન 76 માં ક્રમે છે અને તેનો સ્કોર 43 છે, જે ત્યાંની વ્યવસ્થામાં રહેલી છટકબારીઓ દર્શાવે છે. રિપોર્ટમાં ટોપ અને બોટમ દેશોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં ફરી એકવાર યુરોપિયન દેશ 'ડેનમાર્ક' (Denmark) વિશ્વનો સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવતો દેશ બન્યો છે. જ્યારે યાદીના તળિયે 'દક્ષિણ સુદાન' (South Sudan) અને 'સોમાલિયા' (Somalia) છે, જ્યાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે.

આ રેન્કિંગ કયા આધારે નક્કી થાય છે તે જાણવું પણ જરૂરી છે. આ સર્વેક્ષણ મુખ્યત્વે 4 પરિબળો પર આધારિત હોય છે: લોકશાહી સંસ્થાઓને મળતું 'રાજકીય ફંડિંગ' (Political Donation), દેશમાં સરકારી સંસ્થાઓની સ્થિતિ, કામ કરાવવા માટે અપાતી રોકડ લાંચ એટલે કે 'કેશ ફોર એક્સેસ' (Cash for Access) અને પત્રકારો તથા મીડિયા પર સરકારનું દબાણ કેવું છે. આ તમામ બાબતોનું વિશ્લેષણ કરીને સ્કોર આપવામાં આવે છે.

સંસ્થાએ ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા સંઘર્ષો અને નેતાઓની સત્તાલક્ષી વૃત્તિને કારણે વર્તમાન 'વૈશ્વિક વ્યવસ્થા' (Global Order) દબાણમાં છે. જેના કારણે જવાબદારીનો અભાવ જોવા મળી રહ્યો છે અને પરિણામે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં હજુ લાંબી મજલ કાપવાની બાકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
VerSe Innovation એ P.R. રમેશને ઓડિટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા, જાણો શું છે કંપનીનો પ્લાન
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
Advertisement

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
1 એપ્રિલથી ATMમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા! HDFCથી લઈને PNB બેન્કે કર્યા મોટા ફેરફારો
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Embed widget