શોધખોળ કરો

શેખ હસીનાને પાછા બાંગ્લાદેશ મોકલશે ભારત? વિદેશ મંત્રાલયે કરી દીધું સ્પષ્ટ

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બાંગ્લાદેશમાં થયેલી અશાંતિને કારણે ત્યાં ઘણી પરિયોજનાઓનું કામ અટકી ગયું છે. બાંગ્લાદેશમાં ઘણા વિપક્ષી પક્ષોએ ત્યાંની સરકાર પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી છે.

India On Sheikh Hasina Extradition: ભારતે શુક્રવારે (30 ઓગસ્ટ 2024) પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશ તરફથી કોઈપણ સંભવિત માગણીના મુદ્દા પર વિસ્તૃત રીતે બોલવાનો ઇનકાર કર્યો. જોકે ભારતે સ્વીકાર્યું કે પડોશી દેશમાં અશાંતિને કારણે વિકાસ પરિયોજનાઓ પર કામ અટકી ગયું છે.

'સુરક્ષા કારણોસર ભારત આવ્યા શેખ હસીના'

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ બાંગ્લાદેશની અંતરિમ સરકાર દ્વારા શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણીની સંભાવનાઓ વિશે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ એવો મામલો છે જે કાલ્પનિક મુદ્દાઓ પર આધારિત છે. તેમણે કહ્યું કે અમે આ પહેલા પણ કહી ચૂક્યા છીએ કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સુરક્ષા કારણોસર ખૂબ ઓછા સમયમાં ભારત આવ્યા હતા.

શેખ હસીનાએ તેમની સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના નેતૃત્વમાં અનેક અઠવાડિયા સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ 5 ઓગસ્ટ 2024ના રોજ પદ છોડી દીધું અને ભારત આવી ગયા હતા. હાલમાં તેઓ એક સુરક્ષિત સ્થળે છે, જોકે ભારતીય અધિકારીઓએ તેમના ઠેકાણા વિશે કોઈ માહિતી આપી નથી. બાંગ્લાદેશમાં ઘણા વિપક્ષી પક્ષોએ મુહમ્મદ યુનુસના નેતૃત્વ વાળી અંતરિમ સરકાર પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી છે.

ઘણી પરિયોજનાઓ થઈ પ્રભાવિત

રણધીર જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં અશાંતિને કારણે દ્વિપક્ષીય પરિયોજનાઓ પ્રભાવિત થઈ છે. તેમણે કહ્યું, "બાંગ્લાદેશમાં એકવાર સ્થિતિ સ્થિર થઈ જશે અને સામાન્ય સ્થિતિ બહાલ થતાં જ અમે ત્યાંની અંતરિમ સરકાર સાથે વાતચીત કરીશું અને જોઈશું કે કેવી રીતે તે પરિયોજનાઓ પર આગળ કામ કરી શકાય છે."

તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન રહેલા શેખ હસીના ભાગીને ભારત તો આવી ગયા, પરંતુ હવે અહીંથી તેમનું ક્યાંય અન્યત્ર જવું ખૂબ જ મુશ્કેલ છે. શેખ હસીના પર નવી અંતરિમ સરકારે હત્યા, નરસંહાર અને અપહરણના કુલ 30થી પણ વધુ કેસ દાખલ કર્યા છે. આમાં 26 કેસ હત્યાના, 4 નરસંહારના અને એક અપહરણનો કેસ છે.

બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં આરોગ્ય મંત્રાલયના વડા નૂરજહાં બેગમે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનમાં 1,000 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 400થી વધુ લોકોએ આંખોની રોશની ગુમાવી હતી. ઘણાએ એક અથવા બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી છે. બાંગ્લાદેશમાં 16 જુલાઈ 2024ના રોજ સરકાર વિરોધી દેખાવો શરૂ થયા. 1971 પછી શરૂ થયેલો દેશનો આ સૌથી મોટો સરકાર વિરોધી વિરોધ હતો.

આ પણ વાંચોઃ

ચિરાગ પાસવાનનો ભાજપથી મોહભંગ! LJP રામવિલાસના 3 સાંસદ BJP માં જશે? 5 પોઈન્ટમાં જાણો કેમ ઉઠ્યા સવાલો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget