![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India Omicron Threat : દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાતા ફફડાટ, દેશમાં કુલ 45 ઓમિક્રોનના કેસ
આજે દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ છે. આ 6માંથી એખ દર્દી સાજો થઈ ગયો છે. તેમજ અન્ય દર્દીઓની તબિયત સામાન્ય છે.
![India Omicron Threat : દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાતા ફફડાટ, દેશમાં કુલ 45 ઓમિક્રોનના કેસ India Omicron Threat : Today, 4 new omicron cases arrived in India India Omicron Threat : દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાતા ફફડાટ, દેશમાં કુલ 45 ઓમિક્રોનના કેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/08/c33c6ea11eda402d4fab181e5bb73260_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લીઃ દેશમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે તંત્ર ફરી એકવાર ચિંતિત બન્યું છે. આજે દિલ્લીમાં ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે દિલ્લીમાં આ કેસોની સંખ્યા 6 થઈ છે. આ 6માંથી એખ દર્દી સાજો થઈ ગયો છે. તેમજ અન્ય દર્દીઓની તબિયત સામાન્ય છે. દેશમાં નવા 4 કેસ સાથે કુલ 45 ઓમિક્રોનના કેસ થઈ ગયા છે.
કોરોના નવા વેરિયન્ટની દહેશત વધી છે પરંતુ અત્યાર સુધીમાં તેનો જે પ્રભાવ જોવા મળી રહ્યો છે. તેને લઇને કહી શકાય કે. આ કોરોના મહામારીનો અંત પણ હોઇ શકે છે. ભલે ડેલ્ટા વેરિયન્ટથી ઓમિક્રોનની ફેલાવવાની ક્ષમતા પાંચ ગણી વધુ હોય પરંતુ ઓમિક્રોન સંક્રમિતોના દર્દીઓમાં અત્યાર સુધી ખૂબ જ માઇલ્ડ લક્ષણો જોવા મળી રહ્યાં છે અને દર્દીને હોસ્પિટલમાં એડમિટ થવાની પણ જરૂર નથી પડતી. આ મુદ્દે કેન્દ્રીય મંત્રાલયે અનેક એક્સ્પર્ટ સાથે આ મુદ્દે કેટલીક વાતચીત કરી હતી. નવા વેરિયન્ટની બીમારી કરવાની ક્ષમતા ઓછી હોવાથી તેની અંતની આ શરૂઆત પણ હોઇ શકે છે. આ વાતનો એકસ્પર્ટે સ્વીકાર કર્યો છે.
ડેલ્ટાની તુલનામાં ઓછો ખતરનાક
આઇસીએમઆરના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવ કોઇ નિષ્ક્રર્ષ પર પહોંચે તે પહેલા તેઓ હજુ એક મહિનાની રાહ જોવાની વાત કરી રહ્યાં છે. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓમિક્રોન ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે.પરંતુ અત્યાર સુધીના ડેલ્ટા કહે છે કે ઓમિક્રોનથી સરળતાથી સંક્રમિત તો વ્યક્તિ થઇ જશે પરંતુ તે તેને ગંભીર રીતે બીમાર નથી કરી શકતો. તેમણે જણાવ્યું કે, મહામારીનો અંત આવી જ રીતે થતો હોય છે. જો કે એક્સ્પર્ટના મત મુજબ એક વખત વાયરસ પેદા થઇ જાય તો ખતમ નથી થતો પરંતુ જ્યારે તેની ઝપેટમાં આવેલા લોકો બીમાર નથી પડતાં તો તે વાયરસથી પેદા થયેલી મહામારીનો અંત માનવામાં આવે છે. એકસ્પર્ટનું માનવું છે કે, ઓમિક્રોનથી પણ ઝડપથી ફેલાતા હજું અનેક કોરોના વેરિયન્ટ આવી શકે છે પરંતુ તેનાથી લોકો બીમાર નહીં પડે. ચિંતા કરવાની જરૂર નથી.
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની દહેશત સમગ્ર વિશ્વમાં છે. તમામ દેશો ઓમિક્રોનના કારણે સતર્ક થઈ ગયા છે. યૂકેમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી પ્રથમ મોત થયું છે. યૂકેના પીએમ બોરીસ જોનસને આ વાતની પુષ્ટી કરી છે.
બ્રિટનમાં આજે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત એક દર્દીનું મોત થયું છે. વિશ્વમાં આ પ્રકારથી મૃત્યુનો આ પ્રથમ કેસ છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને આ વાતની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે યુકેમાં ઓમિક્રોનનો કેસ ઝડપથી વધી રહ્યો છે. આ પ્રકારનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં આવ્યો હતો. યુકેમાં, લગભગ 1500 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)