શોધખોળ કરો

શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી

India Pakistan Dispute: ભારત અને પાકિસ્તાન વચ્ચેના બગડેલા સંબંધોની વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાનની મુલાકાત લેવાના છે.

India Pakistan Relations: પાકિસ્તાનમાં યોજાનારા SCO શિખર સંમેલનમાં ભારત તરફથી ભાગ લેવા વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર જશે. ત્યાંની રાજધાની ઇસ્લામાબાદમાં આ બેઠક 15-16 ઓક્ટોબર, 2024ના રોજ યોજાશે, જેમાં એસ જયશંકર જ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે શુક્રવાર (04 ઓક્ટોબર)ના રોજ આપી.

વિદેશ મંત્રી ડૉ. જયશંકર હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે, ત્યાં તેમણે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી છે. ABP ન્યૂઝના પ્રશ્ન કે શું આ મુલાકાત પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે? આના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે વિદેશ મંત્રીનું ઇસ્લામાબાદ જવું SCOને લઈને છે. આનાથી વધુ આ વિશે ન વિચારવું જોઈએ.

પડોશી પ્રથમ નીતિ પર કામ થઈ રહ્યું છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ દિવસોમાં પડોશી પ્રથમની નીતિ પર કામ થઈ રહ્યું છે અને આ જ નીતિ પર આપણે આગળ વધી રહ્યા છીએ. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ 7 ઓક્ટોબરથી ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ દિલ્હી, મુંબઈ અને બેંગલુરુનો પણ પ્રવાસ કરશે. આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ 6 ઓક્ટોબરની સાંજે ભારત પહોંચશે અને 7 ઓક્ટોબરથી રાજકીય પ્રવાસ શરૂ થશે.

ઇઝરાયેલ ઈરાન સંઘર્ષ પર ભારતનું શું વલણ છે?

ABP ન્યૂઝના પ્રશ્ન પર કે શું ભારત તણાવ ઘટાડવાનો પ્રયાસ કરશે? આના પર રણધીર જાયસવાલે કહ્યું કે ઈરાન ઇઝરાયેલ તણાવમાં બધા પક્ષો સંયમથી કામ લે. આ પરિસ્થિતિમાં સામાન્ય લોકોની સુરક્ષા આવશ્યક છે. બધા મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ.

તેમણે આગળ કહ્યું કે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. બધા મુદ્દાઓ સંવાદ અને કૂટનીતિ દ્વારા ઉકેલાવા જોઈએ. તેમણે એ પણ જણાવ્યું કે ઈરાનમાં લગભગ 10,000 ભારતીયો છે, જેમાં 5,000 વિદ્યાર્થીઓ છે. આ ઉપરાંત ઇઝરાયેલમાં લગભગ 30,000 ભારતીયો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોનો લાંબો ઈતિહાસ છે, જેનું મુખ્ય કારણ કાશ્મીર મુદ્દો અને પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદ છે. ભારત કહે છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે.

(વિશાલ પાંડેના ઇનપુટ સાથે)

આ પણ વાંચોઃ

લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
ઈરાન યુદ્ધ વચ્ચે ભારત ડોલર ચૂકવ્યા વિના આ રીતે રશિયા પાસેથી ખરીદી રહ્યું છે ઓઈલ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં

વિડિઓઝ

Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
શું બારીઓ ખુલ્લી રાખીને વાહન ચલાવવાથી કારનું માઇલેજ ઘટે છે? જાણો શું છે સત્ય?
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
ના LPG ની જરૂર અને ના શોક લાગવાનો ડર? જાણો કેવી રીતે કામ કરે છે આ 1000 રુપિયાનો ઇલેક્ટ્રિક ચૂલો
ના LPG ની જરૂર અને ના શોક લાગવાનો ડર? જાણો કેવી રીતે કામ કરે છે આ 1000 રુપિયાનો ઇલેક્ટ્રિક ચૂલો
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
2,000 કિલોમીટર દૂરથી આ દેશે ભારત માટે ખોલ્યો 'ખજાનો' ? જહાજ ભરીને આવી રહ્યો છે LPG ગેસ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Embed widget