શોધખોળ કરો

India US Trade Deal: દવાથી લઈને હીરા સુધી, કઈ કઈ વસ્તુ પર લાગશે ઝીરો ટેરિફ? પિયુષ ગોયલે કર્યો ખુલાસો

India US Trade Deal: ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે શનિવારે (7 ફેબ્રુઆરી) થયેલા વચગાળાના વેપાર કરાર બાદ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેને બંને દેશોના હિતમાં એક મોટો સોદો ગણાવ્યો હતો.

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે શનિવારે (7 ફેબ્રુઆરી) થયેલા વચગાળાના વેપાર કરાર બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે તેને બંને દેશોના હિતમાં એક મોટી ડીલ ગણાવી છે. કેન્દ્રીય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમેરિકાએ આપણા પાડોશી દેશો ચીન પર 35 ટકા અને બાંગ્લાદેશ પર 20 ટકા ટેરિફ લગાવ્યો છે, જ્યારે ભારત પર માત્ર 18 ટકા ટેરિફ લગાવશે.

પીયૂષ ગોયલે કહ્યું કે એવી ઘણી વસ્તુઓ પણ છે જેના પર અમેરિકા કોઈ ટેરિફ નહીં લગાવે. આ કરાર હેઠળ અમેરિકા કેટલીક ભારતીય નિકાસ જેવી કે જેનરિક દવાઓ, રત્ન-ઝવેરાત, હીરા અને વિમાનના પાર્ટ્સ પરથી આ ટેરિફ હટાવી દેશે. તેમણે કહ્યું કે આપણા નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા 'મોસ્ટ પ્રિફર્ડ ડ્યુટી' સાથે ખુલે છે. ગઈકાલે મોડી રાત્રે ભારત અને અમેરિકા વચ્ચે જે સંયુક્ત નિવેદન નક્કી થયું અને વિશ્વ સમક્ષ રાખવામાં આવ્યું, તેનું દરેક જગ્યાએ સ્વાગત થયું છે. ગોયલે કહ્યું કે આજનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

વિકસિત ભારત 2047 અંગે શું કહ્યું?

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે આજનો દિવસ 'વિકસિત ભારત 2047'ના માર્ગમાં એક મહત્વપૂર્ણ દિવસ છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક વાટાઘાટો ફેબ્રુઆરી 2025માં શરૂ થઈ હતી, જેનો લક્ષ્ય વાર્ષિક 500 અબજ ડોલરનો નિકાસ કારોબાર હાંસલ કરવાનો હતો. તેમણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરતા એક ભવ્ય અને દૂરંદેશી દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરવા બદલ વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વના વખાણ કર્યા હતા.

આ સામાન થશે ટેરિફ ફ્રી

તેમણે કહ્યું કે આ કરારથી ભારતીય નિકાસકારો, ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ખેડૂતો અને માછીમારો માટે તકોમાં વધારો થવાની અપેક્ષા છે. ભારત-અમેરિકા વેપાર કરાર હેઠળ અમેરિકાને નિકાસ કરવામાં આવતી ઘણી મુખ્ય વસ્તુઓ પર કોઈ શુલ્ક લાગશે નહીં. રત્ન અને આભૂષણોની સાથે ઔષધીય ઉત્પાદનોને પણ હવે ટેરિફ ફ્રી પ્રવેશ મળશે, જેનાથી ભારતની નિકાસ સ્પર્ધાત્મકતા વધશે અને 'મેક ઇન ઇન્ડિયા'ને પણ ટેકો મળશે.

પીયૂષ ગોયલે જણાવ્યું કે ડાયમંડ, ફાર્મા, કોફી, કેરી અને અન્ય ઘણી વસ્તુઓ અમેરિકાને ટેરિફ ફ્રી નિકાસ કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં અનેક ભારતીય ઉત્પાદનો હવે કોઈપણ ટેરિફ વગર અમેરિકા મોકલી શકાશે. જેમાં ચા, મસાલા, નાળિયેર તેલ, વનસ્પતિ મીણ, સોપારી, બ્રાઝિલ નટ્સ અને અનેક પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર શાકભાજીના મૂળ, અનાજ, જવ, બેકરી ઉત્પાદનો, કોકો ઉત્પાદનો, તલ, ખસખસ અને સાઇટ્રસ ફળોના રસ પર પણ કોઈ રેસીપ્રોકલ ટેરિફ લાગશે નહીં અને હવે તે અમેરિકન માર્કેટમાં ટેરિફ ફ્રી થઈ જશે.

ચીન અને બાંગ્લાદેશ પર કેટલો ટેરિફ

તેમણે આગળ જણાવ્યું કે એવી ઘણી વસ્તુઓ કે જેના પર પહેલા 50 ટકા ટેરિફ લાગતો હતો, તે હવે ઝીરો ટેરિફ સાથે અમેરિકન માર્કેટમાં જશે. પીયૂષ ગોયલે નવા ભારત-અમેરિકા વેપાર માળખા હેઠળ ભારતીય નિકાસકારો માટે મોટી જીત પર પ્રકાશ પાડતા કહ્યું કે ચીન પર 35 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જ્યારે બાંગ્લાદેશ અને વિયેતનામ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Whatsappએ શરૂ કરી વેબ આધારિત કોલિંગ, કૉલને ટ્રાન્સફર કરી શકશો
Whatsappએ શરૂ કરી વેબ આધારિત કોલિંગ, કૉલને ટ્રાન્સફર કરી શકશો
Embed widget