શોધખોળ કરો

India US Trade Deal: દવાથી લઈને હીરા સુધી, કઈ કઈ વસ્તુ પર લાગશે ઝીરો ટેરિફ? પિયુષ ગોયલે કર્યો ખુલાસો

India US Trade Deal: ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે શનિવારે (7 ફેબ્રુઆરી) થયેલા વચગાળાના વેપાર કરાર બાદ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેને બંને દેશોના હિતમાં એક મોટો સોદો ગણાવ્યો હતો.

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે શનિવારે (7 ફેબ્રુઆરી) થયેલા વચગાળાના વેપાર કરાર બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે તેને બંને દેશોના હિતમાં એક મોટી ડીલ ગણાવી છે. કેન્દ્રીય મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમેરિકાએ આપણા પાડોશી દેશો ચીન પર 35 ટકા અને બાંગ્લાદેશ પર 20 ટકા ટેરિફ લગાવ્યો છે, જ્યારે ભારત પર માત્ર 18 ટકા ટેરિફ લગાવશે.

પીયૂષ ગોયલે કહ્યું કે એવી ઘણી વસ્તુઓ પણ છે જેના પર અમેરિકા કોઈ ટેરિફ નહીં લગાવે. આ કરાર હેઠળ અમેરિકા કેટલીક ભારતીય નિકાસ જેવી કે જેનરિક દવાઓ, રત્ન-ઝવેરાત, હીરા અને વિમાનના પાર્ટ્સ પરથી આ ટેરિફ હટાવી દેશે. તેમણે કહ્યું કે આપણા નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા 'મોસ્ટ પ્રિફર્ડ ડ્યુટી' સાથે ખુલે છે. ગઈકાલે મોડી રાત્રે ભારત અને અમેરિકા વચ્ચે જે સંયુક્ત નિવેદન નક્કી થયું અને વિશ્વ સમક્ષ રાખવામાં આવ્યું, તેનું દરેક જગ્યાએ સ્વાગત થયું છે. ગોયલે કહ્યું કે આજનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

વિકસિત ભારત 2047 અંગે શું કહ્યું?

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે આજનો દિવસ 'વિકસિત ભારત 2047'ના માર્ગમાં એક મહત્વપૂર્ણ દિવસ છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક વાટાઘાટો ફેબ્રુઆરી 2025માં શરૂ થઈ હતી, જેનો લક્ષ્ય વાર્ષિક 500 અબજ ડોલરનો નિકાસ કારોબાર હાંસલ કરવાનો હતો. તેમણે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરતા એક ભવ્ય અને દૂરંદેશી દ્રષ્ટિકોણ પ્રસ્તુત કરવા બદલ વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વના વખાણ કર્યા હતા.

આ સામાન થશે ટેરિફ ફ્રી

તેમણે કહ્યું કે આ કરારથી ભારતીય નિકાસકારો, ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગો, ખેડૂતો અને માછીમારો માટે તકોમાં વધારો થવાની અપેક્ષા છે. ભારત-અમેરિકા વેપાર કરાર હેઠળ અમેરિકાને નિકાસ કરવામાં આવતી ઘણી મુખ્ય વસ્તુઓ પર કોઈ શુલ્ક લાગશે નહીં. રત્ન અને આભૂષણોની સાથે ઔષધીય ઉત્પાદનોને પણ હવે ટેરિફ ફ્રી પ્રવેશ મળશે, જેનાથી ભારતની નિકાસ સ્પર્ધાત્મકતા વધશે અને 'મેક ઇન ઇન્ડિયા'ને પણ ટેકો મળશે.

પીયૂષ ગોયલે જણાવ્યું કે ડાયમંડ, ફાર્મા, કોફી, કેરી અને અન્ય ઘણી વસ્તુઓ અમેરિકાને ટેરિફ ફ્રી નિકાસ કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં અનેક ભારતીય ઉત્પાદનો હવે કોઈપણ ટેરિફ વગર અમેરિકા મોકલી શકાશે. જેમાં ચા, મસાલા, નાળિયેર તેલ, વનસ્પતિ મીણ, સોપારી, બ્રાઝિલ નટ્સ અને અનેક પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર શાકભાજીના મૂળ, અનાજ, જવ, બેકરી ઉત્પાદનો, કોકો ઉત્પાદનો, તલ, ખસખસ અને સાઇટ્રસ ફળોના રસ પર પણ કોઈ રેસીપ્રોકલ ટેરિફ લાગશે નહીં અને હવે તે અમેરિકન માર્કેટમાં ટેરિફ ફ્રી થઈ જશે.

ચીન અને બાંગ્લાદેશ પર કેટલો ટેરિફ

તેમણે આગળ જણાવ્યું કે એવી ઘણી વસ્તુઓ કે જેના પર પહેલા 50 ટકા ટેરિફ લાગતો હતો, તે હવે ઝીરો ટેરિફ સાથે અમેરિકન માર્કેટમાં જશે. પીયૂષ ગોયલે નવા ભારત-અમેરિકા વેપાર માળખા હેઠળ ભારતીય નિકાસકારો માટે મોટી જીત પર પ્રકાશ પાડતા કહ્યું કે ચીન પર 35 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે, જ્યારે બાંગ્લાદેશ અને વિયેતનામ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
Embed widget