શોધખોળ કરો
Advertisement
શું ફાઈલો દ્વારા પણ ફેલાય છે કોરોના? ભોપાલથી આવેલ આ રિપોર્ટ ચોંકાવનારો છે
મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ સચિવ પલ્લવી ગોવિલ સહિત વિભાગના કુલ 21 અધિકારી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.
ભોપાલઃ કોરોના વાયરસ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે આ વાઇરસ ફાઈલો દ્વારા ફેલાવાવની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં એક કોરોના વાયરસનો એવો કેસ સામે આવ્યો છે જે બીજા રાજ્યોમાં કામ કરતા સ્વાસ્થ્ય વિભાગ કે સ્વાસ્થ્ય કર્મીઓને સાચવેત કરે છે.
મધ્ય પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ સચિવ પલ્લવી ગોવિલ સહિત વિભાગના કુલ 21 અધિકારી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. 4 એપ્રિલને પલ્લવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને એ જ દિવસે પલ્લવીની સાથે કામ કરતા 3 અન્ય અધિકારી સંક્રમિત થઈ ગયા. જ્યારે પાંચથી સાત એપ્રિલની વચ્ચે સ્વાસ્થ્ય વિભાગના 21 અધિકારી સંક્રમિત થઈ ગયા.
પલ્લવીએ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પહેલા વિભાગની અનેક બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં કોરોના પોઝિટિવ મળી આવેલ અધિકારી પણ સામેલ હતા જેના પર મેડમની ફાઈલોને ચેક કરીને આગળ વધારવાની જવાબદારી હતી. કહેવાય છે કે, પલ્લવીએ વિભાગની ફાઈલો અધિકારીઓને સોંપી ત્યાર બાદ અધિકારી પણ કોરોના પોઝિટિવ થતા ગયા.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પલ્લવીને એમપીના આયુષ્માન ભારતના CEO વિજય કુમારથી કોરોના સંક્રમણ થયું જે તેની પહેલા કોરોનાનો બોગ બન્યા હતા. જણાવીએ કે, મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી 229 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion